ક્યારે કઈ ઘટના બની જાય તેનું નક્કી હોતું નથી, આપડી નજર સામે એવી ઘણી બધી ઘટના પસાર થઈ જતી હોય છે કે, જેમાં આપણે આંખને પણ વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય કે આખરે આ બાબત કેવી રીતે શક્ય બની હશે. અત્યારે કંઈક એવા પ્રકારની જ એક ઘટના સામે આવી છે..
આ બનાવ સંગીતાપુરમનો છે, અહીં કૈલાશ નામનો યુવક તેના માતા પિતા સાથે રહે છે. તેને ગયા વર્ષે જ કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અને હવે તે એક ખાનગી કંપનીમાં નોકરી કરવા માટે જવાનો હતો અને પોતાના માતા-પિતાના દરેક સ્વપ્નને પૂરા કરવા માંગતો હતો, પરંતુ તે તેના મા બાપે જોયેલા દરેક સ્વપ્નને પૂરા કરે એ પહેલા તો તેની ઉપર એવી મોટી આફત આવી પડી છે કે જેની ન પૂછો વાત..
આફતની આ ઘડી તેના માતા પિતા માટે પણ સહન થઈ શકી નથી, અત્યારે અડદિયા પાક, ખજૂર પાક, તલની સાની સહિતની ચીજ વસ્તુઓની પડાપડી બોલી રહી છે. એવામાં કૈલાશની માતા વીણા બહેને પોતાની ઘરે ખજૂર પાક બનાવ્યો હતો. કૈલાશે પેટ ભરીને ખજૂર પાક ખાઈ લીધો હતો..
કારણકે તેને ખજૂર પાક ખૂબ જ વધારે ભાવતો હતો. તેની આ ઈચ્છાને માન રાખીને તેની મમ્મીએ તેના માટે ખજૂર પાક બનાવ્યો હતો. અને તેને પેટ ભરીને ખાતાની સાથે જ તેની સાથે એવું થયું છે કે, પરિવારજનોને તાબડતો હોસ્પિટલ ભેગું થવું પડ્યું છે. આ ખજૂર પાક ખાતા જ કૈલાશને અચાનક જ પરસેવો વળવા લાગ્યો હતો..
અને ધીમે-ધીમે તેનો શ્વાસ ઓછો થતો હોય એ પ્રકારનો અનુભવ થઈને થવા લાગ્યો અને જોતજોતામાં જ તે ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યો હતો. કૈલાશની માતા વીણાબેનને શરૂઆતમાં તો લાગ્યું કે, કૈલાશે વધારે પડતો ખજૂર પાક ખાઈ લીધો છે. એના કારણે તેને પેટમાં ગરબડ શરૂ થઈ ગઈ હશે..
અને તે ચક્કર ખાઈને નીચે ઢાળી પડ્યો છે. તેને તાત્કાલિક પોતાની પડોશમાં રહેતા આશુતોષભાઈને બોલાવ્યા હતા. તેઓ પોતાની કારની અંદર કૈલાશને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તપાસ શરૂ કરી અને આ તપાસની અંદર ડોક્ટરે જણાવી દીધું કે કૈલાસનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને આ મૃત્યુ વધારે પડતો ખજૂર પાક ખાવાને કારણે નહીં પરંતુ હૃદય રોગના હમલાને કારણે થયું છે..
ડોક્ટરે કૈલાશના પરિવારજનોને જણાવી કે, અત્યારે જુવાન ઉંમરની વ્યક્તિઓમાં પણ હૃદય રોગના હમલાના બનાવો ખૂબ જ વધી ગયા છે. દિન પ્રતિ દિન આ બીમારીને કારણે ઘણા બધા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જ્યારે કૈલાસની માતાએ ડોક્ટરના મોઢેથી આ શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ પણ ત્યાંને ત્યાં જ ઢળી પડ્યા હતા..
કારણ કે તેઓ તેમના દીકરાના મૃત્યુના સમાચારને સહન કરી શક્યા નહીં, ત્યાં રહેલા અન્ય સગા સંબંધી હોય તરત જ કૈલાસના પિતા મોહનભાઈને હોસ્પિટલે બોલાવી લીધા હતા. ડોક્ટરે જણાવ્યું કે, જ્યારે પણ કોઈ વ્યક્તિને અચાનક જ પરસેવો વળવા લાગે છે. માથામાં દુખાવો થવા લાગતો હોય અથવા તો છાતીમાં દુખાવો ઉપડે ત્યારે તરત જ હોસ્પિટલે દોડી આવવું જોઈએ..
કારણકે આ તમામ લક્ષણો હૃદય રોગના હુમલાના પ્રાથમિક લક્ષણો છે, જો આ લક્ષણો દેખાતાની સાથે જ હોસ્પિટલમાં દાખલ થઈ જવામાં આવે તો કોઈ વ્યક્તિનો જીવ બચી જતો હોય છે. પરંતુ જો સહેજ પણ મોડું થઈ જાય તો વ્યક્તિનો જીવ પણ જતો રહે છે. અત્યારે કૈલાસનો જીવવું જતો રહેતા તેના પરિવારજનોમાં મોતનો માતમ છવાઈ ગયો છે.
જ્યારે કૈલાશને દવાખાને લઈ જવામાં આવતો હતો, ત્યારે સૌ કોઈ લોકોને લાગ્યું કે, તેની તબિયત વધારે પડતો ખજૂર પાક ખાવાને કારણે બગડી ગઈ છે. અને તે ચક્કર ખાઈને નીચે ઢળી પડ્યો હતો. પરંતુ આ તમામ મામલો ખજૂર પાક ખાવાને કારણે નહીં પરંતુ હૃદય રોગના હુમલાને કારણે થયો છે..
તેવી જાણકારી ડોક્ટરે આપી છે. હકીકતમાં આ ઘટના આટલી બધી ચોંકાવનારી સાબિત થઈ છે કે એક પરિવારને તેના લાડકવાયા દીકરાને ખોવાનો વારો આવ્યો છે. ભગવાન કૈલાશને સ્વર્ગવાસ આપે અને તેના પરિવારના સભ્યોને આ દુખની ઘડી સહન કરવાની તાકાત આપે એવી પ્રાર્થના… ઓમ શાંતિ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]