દિન પ્રતિ દિનની ખૂબ જ ચેતવણી ભર્યા કિસ્સાઓ હવે સામે આવવા લાગ્યા છે. સવારથી સાંજના સમય દરમિયાન ઘણા બધા વ્યક્તિઓને ડગલેને પગલે એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કે, જેના વિશે સૌ કોઈ લોકોએ જાણીને અગાઉથી ચેતી જવું જોઈએ, અત્યારે ઘરની અંદર કામ કરવા માટે આવતી બે કામવાળી હોય ભેગા મળીને ઘરની નોકરાણી સાથે એવી કરતુતો કરી નાખી હતી કે..
ઘટના જાણ્યા બાદ તમારી પણ અકલ બહેર મારી જશે. આ ઘટના જુના ઓપીજીપી રોડની છે. અહીં વૃંદાવન સોસાયટીમાં રહેતા વિષ્ણુકાંતભાઈના ઘરે મૂળ નેપાળની અનિતા અને રત્ના નામની બે મહિલાઓ કામ કરવા માટે આવતી હતી. વિષ્ણુભાઈને ખુબ જ મોટો વ્યાપાર ચાલતો હોવાથી સવારના સમયે તેઓ પહેલા પોતાની ફેક્ટરીએ ચાલ્યા ગયા હતા..
અને તેમની પત્ની અમૃતાબેન પણ કોઈ કામકાજ માટે ઘરની બહાર ગયા હતા. એ વખતે તેમના ઘરે મૂળ નેપાળની કામવાળી મહિલાઓ અનિતા અને રત્ના બંને આવી પહોંચ્યા હતા. કામ કરતી વખતે તેને તેના ઘરે ચોરી કરવાનો ઇરાદો બનાવી લીધો હતો. તેણે જોયું કે તેમના ઘરમાં રહેલી તિજોરીમાં કુલ 10 લાખ રૂપિયા રોકડા અને સોના ચાંદીના ઘરેણા પણ આગળના દિવસે મૂકવામાં આવ્યા છે..
આ બધી માલ સામાનની ચીજ વસ્તુઓને ચોરી કરવા માટે તેઓએ નીતિ અપનાવી નાખી હતી. આ કામવાળી બંને મહિલાઓએ અમૃતાબેનને ઘરે ખાવા માટે બનાવેલા કેરીના રસની અંદર ધતુરાના બીજ ભેળવી દીધા હતા .અને આ ધતુરાના બીજવાળો રસ ખાતાની સાથે જ અમૃતાબેન બેહોશ થઈ ગયા હતા..
ત્યારબાદ આ બંને કામવાળી મહિલા હોય તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી કરી લીધી હતી અને ત્યાંથી રફુચક્કર થઈ ગઈ હતી. જ્યારે અમૃતાબેન ભાનમાં આવ્યા ત્યારે તેમણે જોયું કે તેમના ઘરનો તમામ સામાન વેર-વિખેર હતો અને ઘરમાં રહેલા સોનાના દાગીના ની સાથે સાથે રોકડા રૂપિયા પણ ચોરી કરીને જતી રહે છે..
તેઓએ તરત જ આ ઘટનાની જાણ કરી તેમના પતિને આપી હતી અને ત્યારબાદ બંને પતિ-પત્ની નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ઘરે આવતી કામવાળી મહિલાઓએ તેમના ઘરે ખૂબ જ મોટી ચોરી કરી લીધી છે. અને આ ચોરી કરતી વખતે તેને કેરીના રસની અંદર ધતુરાના બી ભેળવી દીધા હતા..
અને આ રસ ખાતાની સાથે જ અમૃતાબેન બેભાન થઈ ગયા હતા. આવી બધી ઘટનાઓમાં જો સહેજ અમથી પણ ચૂક થઈ જાય તો કોઈ વ્યક્તિનો જીવ પણ જતો રહેતો હોય છે. પરંતુ આ કામવાળી મહિલાઓએ તેમની શેઠાણીનું સહેજ પણ ધ્યાન રાખ્યા વગર તેમની સાથે ખૂબ જ ખોટું કામ કરી નાખ્યું હતું..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]