Breaking News

કડકડતી ઠંડીને લીધે 17 વર્ષની દીકરી શાળામાં કલાસરૂમમાં ભણતા જ ઢળી પડી ટીચરે જગાડતા થયું એવું કે, જોઇને તમે બાળકોનું ધ્યાન રાખશો..!!

શિયાળાના સમયમાં ઠંડીને કારણે લોકોને સવારે ઉઠવું ગમતું નથી પરંતુ નાના બાળકોને શાળાએ આવી કડકટથી ઠંડીમાં જવું પડે છે. બિચારા બાળકો ઠંડીમાં પરાણે સ્કૂલે જઈ રહ્યા હોય છે પરંતુ હાલમાં એવી એક ઘટના સામે આવી હતી કે જેમાં ઠંડીને કારણે એક માસુમ દીકરીએ પોતાના જીવને જોખમમાં મુક્યો હતો.

આ ઘટના રાજકોટ શહેરમાં આવેલી એ.વી જસાણી શાળામાં બની હતી. શાળામાં ઘણા બધા વિદ્યાર્થીઓ આવી ઠંડીમાં સવારના સમયે જતા હોય છે પરંતુ શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતી દીકરી અચાનક શાળામાં બેભાન થઈ ગઈ હતી. આ દીકરીનું નામ રિયા કિરણકુમાર સાગર હતું. તેમની ઉંમર 17 વર્ષની હતી.

રિયા તેમના પરિવારમાં ખૂબ જ મોજ મસ્તીથી રહેતી હતી. પરિવારમાં તેમને માતા-પિતા અને એક નાની બહેન છે. નાની બહેનનું નામ નિરાલી છે. રિયાના પિતા સોની કામ કરે છે. બંને બહેનો પરિવારમાં માતા-પિતાની ખૂબ જ લાડકી દીકરીઓ હતી. માતા પિતાએ બંને બહેનોને ગોંડલ રોડ પર આવેલી એ.વી જસાણી સ્કૂલમાં અભ્યાસ માટે બેસાડી હતી.

જેના કારણે બંને બહેનો સવારે 7:00 વાગ્યાના સમયે એક જ વાનમાં સ્કૂલે જતી હતી. શાળામાં શિયાળાના સમયમાં નિયમ હતો કે શાળાનું જ સ્વેટર પહેરીને આવવાનું જેના કારણે બંને બહેનો શાળાનું સ્વેટર પહેરીને જતી હતી. એક દિવસ નિરાલી અને રિયા બંને બહેનો સવારના સમયે પોતાના વાનમાં બેસીને સ્કૂલે ગઈ હતી.

ત્યારબાદ સ્કૂલે જઈને બંને બહેનો પોત પોતાના ક્લાસરૂમમાં જતી રહી હતી. સમયસર શાળામાં પ્રાર્થના કરવામાં આવતી હોવાને કારણે વિદ્યાર્થીઓએ પ્રાર્થના પૂરી કરી હતી અને ત્યારબાદ સ્કૂલના ક્લાસરૂમમાં લેક્ચર રાબેતા મુજબ ચાલુ થયા હતા. લેક્ચર ચાલુ હતો તે સમયે રિયા પોતાના આ લેક્ચરમાં બેઠી હતી.

અને અચાનક જ તેમની તબિયત બગાડતા તે બેન્ચીસ ઉપર ઢળી પડી હતી. ઢળી પડતા જ વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા અને તેઓએ પોતાના ટીચરને બોલાવ્યા હતા. રિયાને શાળાના ટીચર સ્ટાફ રૂમમાં લઈ ગયા હતા અને ત્યાં રિયાને ઉઠાડવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ રિયા ભાનમાં આવી ન હતી. ત્યારબાદ રિયાના પિતા કિરણ કુમારને આ વાતની જાણ કરવામાં આવી હતી.

જેના કારણે કિરણકુમાર તરત શાળાએ પહોંચ્યા હતા અને તેમની દીકરીને રાજકોટની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ ત્યાં લઈ જતા ડોક્ટરોએ રીયાનું મૃત્યુ થઈ ગયું છે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ માલવીયા પોલીસ સ્ટેશનનો સ્થાન સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બીજી બાજુ દીકરીના પરિવારના લોકોને રિયાના મૃત્યુની જાણ થતા તેઓ અઘાતમાં આવી ગયા હતા.

અને ખૂબ જ રડી રહ્યા હતા. તેમની દીકરીએ ઠંડીને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરિવારના લોકોએ શાળાના શિક્ષકો અને શાળાના સ્ટાફ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિવારના લોકોનું કહેવું હતું કે શાળાના દરેક શિક્ષકો અને આચાર્ય જેકેટ પહેરીને શાળામાં આવતા હોય છે પરંતુ નાના બાળકોને આવી કડકતી ઠંડીમાં પાતળું સ્વેટર પહેરીને સ્કૂલે બોલાવવામાં આવે છે.

તે લોકો નિયમમાં પણ ફેરફાર કરતા નથી. બાળકોને આવું પતલુ સ્વેટર પહેરવાને કારણે ખૂબ જ ઠંડી લાગી જાય છે અને ડબલ સ્વેટર પહેરીને જાય તો પણ આ ઠંડી સહન થાય તેમ નથી. રીયાએ ઠંડીમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. રિયાની માતાનું કહેવું હતું કે તેમની દીકરીનું લોહી થીજી જવાને કારણે હાર્ટ એટેકને કારણે દીકરીનું મૃત્યુ થઈ ગયું છે.

તેના જવાબદાર શાળાના શિક્ષકો અને આચાર્ય છે. જેના કારણે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ દરેક વાલીઓને થતા તે લોકો પોતાના બાળકોને લઈને ચિંતામાં આવી ગયા હતા. ત્યારબાદ શાળાના સમયમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો હતો. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. જેના કારણે બાળકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *