અત્યારે સમય એવો ચાલી રહ્યો છે કે, કોઈ સારા વ્યક્તિ ઉપર પણ આપણે વિશ્વાસ મૂકતા પહેલા બે વખત વિચાર કરીએ છીએ જો મન ફાવે તેમ લોકો ઉપર વિશ્વાસ કરીને તેમને અણધાર્યું કામ સોંપી દેવામાં આવે તો આપણે એકને એક દિવસ જરૂર પછતાવું પડે છે, કારણ કે વ્યક્તિની યોગ્યતાની પરખ કર્યા વગર જ જો તેમની સાથે વ્યવહાર કરી લેવામાં આવે તો આપણે મોટી મુશ્કેલીની અંદર પણ મુકાઈ જતા હોઈએ છીએ..
અત્યારે એક કારખાનાના માલિકે કારખાનાના મોટાભાગની જવાબદારી એક વિશ્વાસુ કારીગરને સોંપી હતી અને એ જ વિશ્વાસુ કારીગરે કારખાનાના માલિક સાથે એવી ઘટનાનો ભોગ બનાવી દીધા હતા કે, જ્યારે માલિકને આ વાત વિશે ખબર પડી ત્યારે તેમના તો મોતિયા મરી ગયા હતા..
પરેશભાઈ નામના વ્યક્તિ લોખંડના બોલ્ટ, સરિયા અને તાર બનાવવાનું કામકાજ કરી રહ્યા છે. તેઓ તેમના કારખાનાની અંદર ઘણી બધી મશીનરી પણ ધરાવે છે અને ઓર્ડર મુજબ તેઓ બોલ્ટ સરિયા અને તાર બનાવવાનું કામકાજ કરતા હતા, તેમના કારખાનાની અંદર અંદાજે 50 જેટલા લોકો કામકાજ કરે છે..
આ ઉપરાંત મેનેજરની પણ નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા એક મહિનાથી મેનેજર રજા ઉપર હોવાને કારણે મેનેજરની કામગીરીની તમામ જવાબદારીઓ પરેશભાઈએ તેમના જ કારખાનાની અંદર કામ કરતા એક વિશ્વાસુ કારીગરને સોંપી હતી અને તેનો પગાર પણ વધારે આપશે તેવી વાત નક્કી કરવામાં આવી હતી..
પરંતુ આ વિશ્વાસુ કારીગરે જ તેના શેઠને ખૂબ જ મોટી નુકસાનીનો ભોગ બનાવી દીધા હતા. પરેશભાઈએ તેમના વિશ્વાસુ કારીગર અંકિતને જણાવ્યું હતું કે, તારે પ્રોડક્શનનો તમામ રિપોર્ટ તૈયાર કરવાનો છે કે, કારખાનાની અંદર કેટલી વસ્તુનું પ્રોડક્શન થયું છે અને સામેની બાજુએ કેટલી ચીજ વસ્તુઓનું વેચાણ છે..
અને આ રિપોર્ટની અંદર લખેલા આંકડા થકી તેવોની કમાણીનો અંદાજો આવશે એટલા માટે વ્યવસ્થિત કામકાજ કરવા માટે જણાવ્યું હતું, પરંતુ અંકિતે તેના શેઠને ચુનો ચોપડી લેવાનું કામકાજ શરૂ કરી નાખ્યું હતું. રાત્રીનો સમય થતાની સાથે જ દરેક કારીગરો તેમના ઘરે જવા માટે નીકળી જતા હતા..
પરંતુ અંકિત કારખાનાની અંદર જ સુઈ જઈને સવારે ઉઠી ફરી પાછો કામે લાગી જતો હતો, કારખાનાની અંદર બનાવેલી રૂમની અંદર અંકિત સુઈ જતો હતો, કારખાનાની અંદર લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ પરેશભાઈ ઘણી બધી વાર ચેક કરતા પરંતુ જ્યારથી તેઓએ અંકિત ને બધી કામગીરી સોંપી હતી ત્યારબાદ થી તેઓ એ અંકિત ઉપર વિશ્વાસ મૂકીને કેમેરા જોવાનું પણ બંધ કરી દીધું હતું..
અને આ વાતનો લાભ ઉઠાવીને અંકિતે પ્રોડક્શન રિપોર્ટની અંદર આંકડાઓનો ફેરફાર કરી નાખ્યો હતો અને કારખાનાની અંદર બનતા લોખંડના સળિયા,બોલ્ટ અને તાર સહિતની ચીજ વસ્તુઓને બારોબાર વેચીને પૈસા કમાવા લાગ્યો હતો. રાત્રિના સમયે તે અન્ય કંપની સાથે મળી જઈને પરેશભાઈ ના કારખાના પાસે ટ્રક બોલાવી લેતો..
આ ટ્રકની અંદર લોખંડના સળિયા, બોલ્ટ અને તાર સહિતની ચીજ વસ્તુઓ લોડ કરાવી દઈ જેને બારોબાર વેચી દઈને પૈસા કમાવવા લાગ્યો હતો, એક ટ્રકના તેને અંદાજે બે લાખ રૂપિયાની રકમ મળતી હતી. આવા કુલ 20 જેટલા ટ્રક તેણે વેચી નાખ્યા હતા, જ્યારે બીજી બાજુ પ્રોડક્શન રિપોર્ટની અંદર આ વેચાઈ ગયેલા માલને તે બતાવવાનું ટાળતો હતો..
અને પરેશભાઈને તે જણાવતો કે, હાલ પ્રોડક્શન ખૂબ જ ધીમું થઈ રહ્યું છે. એટલા માટે ચીજ વસ્તુઓ બનવામાં ખૂબ જ વાર લાગી રહી છે, જ્યારે પ્રોડક્શન બરાબર જ ચાલતું હતું, પરંતુ તે વધારાનો માલ સામાન બારોબાર વેચીને પૈસા કમાવા લાગ્યો હતો. પરેશભાઈ વર્ષોથી આ કારખાનું ચલાવતા હતા..
અને પ્રોડક્શન ધીમું થવાની આ વાત સાંભળી ત્યારે તેમને પણ ખૂબ જ અજુગતું લાગ્યું હતું, તેઓએ બરાબર તપાસ કરવાનું નક્કી કર્યું અને જ્યારે સીસીટીવી કેમેરા ખોલ્યા ત્યારે કારખાનામાં સૂતેલો કારીગર અડધી રાત્રે એવી ઘટનાઓ કરતા દેખાયો હતો કે, જે જોતાની સાથે દરેક લોકોના માથા ધ્રુજી ગયા હતા..
પરેશભાઈ સીસીટીવી કેમેરા ખોલીએ ત્યારે તેમને દેખાયું કે, આ કારીગર ફેક્ટરીની અંદર બનતા લોખંડના સળિયા અને બોલ્ટને બારોબાર વેચી દઈને પૈસા કમાતો હતો, તેણે અત્યાર સુધીમાં કુલ 20 જેટલા ટ્રકનો માલ સામાન વેચીને પૈસા કમાણા છે, જ્યારે આ વાત વિશે તેઓએ બીજે દિવસે સવારમાં અંકિતને પૂછપરછ કરી ત્યારે અંકિતે શરૂઆતમાં તો કોઈ પણ વાતને કબૂલી નહીં..
અને આ બાબતની અંદર તે જોડાયેલો નથી, તેમ જણાવવા લાગ્યો હતો જ્યારે પરેશભાઈ તેમના જ કારખાનાની અંદર કામકાજ કરતા નોકરની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી કે, તેણે ખૂબ જ મોટી છેતરપિંડી કરી છે. ત્યારબાદ તે બધું સત્ય બોલવા લાગ્યો હતો..
આ પ્રકારની ઘટના સામે આવતા જ પરેશભાઈના તો મોતિયા મરી ગયા હતા કે, તેમની નજરની સામે જ આ કારીગર તેમના ચૂનો ચોપડતો રહ્યો અને કોઈ વ્યક્તિને ખબર પણ પડી નથી. આ ઘટનાને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે, આ છેતરપિંડીના કેસને લઈ હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે..
રોજને રોજ ઘણા બધા વ્યક્તિઓ મોટી છેતરપિંડીનો ભોગ બની જતા હોય છે. આવી છેતરપિંડીનો ભોગ આપણે પણ ક્યારેય ન બની એટલા માટે ડગલેને પગલે ચેતીને જીવન જીવવું જોઈએ, હંમેશા માણસના મગજને ઓળખતા શીખી લેવા જોઈએ ત્યારે કોઈ વ્યક્તિ આપણને જૂનો ચોપડીને જતો રહે તેની પણ આપણને ખબર રહેતી નથી. એટલા માટે દરેક વ્યક્તિના મગજને ઓળખવા ખૂબ જ જરૂરી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]