જે વ્યક્તિ ઉપર આપણે મન મૂકીને વિશ્વાસ કરીએ છીએ એ જ વ્યક્તિ આપણી સાથે ઘણી બધી વાર છેતરપિંડી જતો રહે ત્યારે બે ઘડી તો આપણે પણ મૂંઝવણમાં મુકાઈ જતા હોઈએ છીએ, આ પ્રકારના બનાવો પાછળના સમયમાં ઘણા બધા વ્યક્તિઓ સાથે બની ચૂક્યા છે. અને અત્યારે પણ ઘણા બધા લોકો રોજબરોજ મોટી છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે..
અત્યારે એક કારખાનાના માલિક અને તેના કારખાનાની અંદર કામ કરતા એક એ કારીગરે એવું કારનામું કરી નાખ્યું હતું કે, કારખાનાનો માલિક માથે હાથે દઈને નીચે બેસી ગયો હતો. મનસુખ નામનો એક વ્યક્તિ શહેરની બહાર આવેલી મનુપુર ઇન્ડસ્ટ્રીયલ કોલોનીમાં એ ખૂબ જ મોટું કારખાનું ચલાવે છે..
તેના કારખાનાની અંદર અંદાજે 30 જેટલા લોકો કામકાજ પણ કરે છે, મનસુખભાઈએ તેના સૌથી વિશ્વાસુ કારીગરને કારખાનાની ઘણી બધી જવાબદારીઓ આપી દીધી હતી. પરંતુ એ જ વિશ્વાસવાળા કારીગરે મનસુખભાઈની સાથે ખૂબ જ મોટી છેતરપિંડી કરી નાખી હતી, મનસુખભાઈ તેમના કારખાના ઉપર આવે ત્યારે જુદી જુદી ચીજ વસ્તુઓનું ધ્યાન રાખતા હતા અને જ્યારે તેઓ કારખાનાથી પોતાના ઘરે જાતા..
ત્યારબાદ તે તમામ જવાબદારીઓ મનસુખભાઈના વિશ્વાસુ કારીગર જતીન રાખતો હતો, જતીન કારખાના માં ઘણી બધી મહેનત પણ કરતો હોવાને કારણે મનસુખભાઈએ તેનો પગાર પણ ખૂબ જ સારો કરી આપ્યો હતો. છતાં પણ જતીનનું મન ભરાયું નહીં અને તેને પોતાના જ શેઠને પીઠ પાછળથી લૂંટી લેવાનું કામકાજ શરૂ કરવાનું મન બનાવી નાખ્યું હોય..
એવી રીતે ખૂબ જ કાળા કારનામા કરવા લાગ્યો હતો, હકીકતમાં કોઈ પણ વ્યવસાયની અંદર અત્યારે હરીફાઈનો જમાનો ચાલી રહ્યો છે જો સેલિંગ તેમજ પ્રોડક્શન વધારવું હોય તો અન્ય લોકો કરતા કંઈક જુદી રીતે કામકાજ કરવું પડે છે, જતીન નામનો આ કારીગર તેના શેઠની પીઠ પાછળ કંપનીની ઘણી બધી અંગત માહિતીઓને અન્ય કંપનીઓને વેચી દેતો હતો..
અને રૂપિયાની કમાણી કરતો હતો, આ ઘટના વિશે કંપનીના માલિક મનસુખભાઈ બિલકુલ અજાણ હતા, તેઓ વિશ્વાસ વ્યક્તિઓના આધારે પોતાના કારખાનાને છોડી મૂકતા હતા, એક દિવસ સાંજના સમયે તેઓ પોતાના ઘરે જવા માટે નીકળી ગયા અને અડધે રસ્તે પહોચ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમને કારખાનાની અંદર જ તેમનો મોબાઈલ ફોન ભુલાઈ ગયો છે..
એટલા માટે તેઓ પોતાના કારખાને ભુલાઈ ગયેલો મોબાઇલ ફોન લેવા માટે આવી પહોંચ્યા હતા, એ વખતે તેઓ જોયું તો કારખાનાની અંદર બનાવવામાં આવેલી બંધ ઓરડીની અંદર કોઈ અજાણ્યા વ્યક્તિ લાઈટ શરૂ રાખીને કોઈ ચીજ વસ્તુઓની શોધખોળ કરતો હોય તેવું દેખાયું હતું..
આ દ્રશ્ય જોતાની સાથે જ તેણે કારખાનાની પાસે જવાની કોશિશ કરી અને ત્યાં જઈને જોયું તો તેમનો વિશ્વાસુ કારીગર જતીન કોઈ ચીજ વસ્તુઓની શોધખોળ ખૂબ જ ઉતાવળમાં કરતો હોય તેવું લાગતું હતું, આ દ્રશ્ય જોયા બાદ મનસુખભાઈ તેના કારીગરને અટકાવવાની કે પૂછવાની કોશિશ કરી નહીં પરંતુ તે શું કરી રહ્યો છે તેની જાણકારી તેઓ મેળવવા લાગ્યા હતા..
અને તેઓએ પોતાની નજર સામે જોયું કે, તેમની કંપનીના ખૂબ જ અંગત માહિતી વાળા કાગળિયાના ફોટોગ્રાફ્સ પાડીને જતીન નામનો યુવક અન્ય કેટલાક વ્યક્તિઓને મોબાઈલ ફોનના માધ્યમથી મોકલી રહ્યો હતો, આ દ્રશ્ય જ્યારે તેઓએ જોયું ત્યારે તેઓ સમજી ગયા કે નક્કી તેમની કંપનીની અંદર કામ કરતો આ કારીગર કંપનીની અંગતની માહિતીઓ અન્ય કંપની સુધી પહોંચાડી રહ્યો છે..
જેનાથી તેમને ધંધામાં ખૂબ જ મોટું નુકસાન પણ થઈ શકે છે, તેણે બંધ ઓરડીનો આ દરવાજો ખોલતાની સાથે જતીન નામનો આ કારીગર ખૂબ જ ડરી ગયો હતો અને તેના ધબકારા પણ વધી ગયા હતા કારણ કે, તેની પોલ હવે ખુલ્લી પડી જવા પામી હતી. મનસુખભાઈએ પોતાના કારીગર પાસે તેનો મોબાઇલ માંગ્યો હતો અને મોબાઈલની અંદર આ ફોટોગ્રાફને તે કયા વ્યક્તિને મોકલી રહ્યો છે..
તેની પણ તેઓએ માહિતી મેળવી તેને ખબર પડી કે, જતીન આ માહિતી એક ખૂબ જ મોટી અને નામચીન કંપની સુધી પહોંચાડતો હતો, મનસુખભાઈ ખૂબ જ મહેનત કરીને સેલર સાથે મીટીંગ ગોઠવવીને સેટિંગ કરતા હતા. જ્યારે જતીન સેલરની તમામ માહિતીઓ અન્ય કંપનીઓને ડાયરેક્ટ પહોંચાડી દેતો અને કારણે મનસુખભાઈને સેલિંગની અંદર ખૂબ જ વધારે નુકસાન જવા લાગ્યું હતું..
આ ઘટના પાછળ તેમના કારીગરની પોલ ખુલ્લી પડી ગઈ હતી, આ ઘટનાને લઇ સમગ્ર કારખાનાની અંદર ફફડાટનો માહોલ સર્જાઈ ગયો મનસુખભાઈએ તરત જ જાણકારી પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી અને તેમના વિશ્વાસુ કારીગર ઉપર જ ફરિયાદ નોંધાવી દીધી હતી કે કંપનીની માહિતીને લીકેજ કરવાના આરોપોમાં તેઓ કાયદેસરની કાર્યવાહી કરવા માંગે છે..
દિવસ રાત મહેનત કરતા મનસુખભાઈને કારખાનામાં જતીન નામના કારીગરે ખૂબ જ મોટી નુકસાની પણ કરાવી દીધી હતી, આ ઘટના તેમનાથી સહન થઈ નહીં કારણ કે કોઈપણ વ્યક્તિના વેપાર ધંધાની અંદર જો કોઈ વ્યક્તિ જાણી જોઈને નુકસાન કરાવી આપે તો આવી બાબતને કોઈપણ વ્યક્તિ સહન કરી શકતા નથી..
અને તેમની સામે કાયદેસરની કાર્યવાહીને પણ ચલાવવામાં આવતી હોય છે, પોલીસે પણ જતીનની ધરપકડ કરી હતી અને અત્યારે તેની પૂછપરછ મેળવાઈ રહી છે, જતીન છેલ્લાં છ મહિનાથી આ કામગીરી ચલાવતો હતો, એક ફાઈલની માહિતી પહોંચાડવાના તેને દોઢ લાખ રૂપિયા મળતા હોવાનું મામલો પણ સામે આવ્યો છે..
અત્યાર સુધી જતીનને કુલ 25 લાખ રૂપિયાની રકમ અન્ય કંપનીઓ પાસેથી મેળવી લીધી છે, આ તમામ રકમને પરત કરીને આગળની કાર્યવાહીઓ ઉપર પોલીસ છે, તપાસ શરૂ કરાવી દીધી હતી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]