ખાણીપીણીની દરેક ચીજ વસ્તુઓમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, મોટાભાગે બહારની ચીજ વસ્તુઓ ખાવાને કારણે કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી જતું હોય છે. પરંતુ ઘરની અંદર જે ચીજ વસ્તુ બનાવવામાં આવે છે. તેમાં કઈ ચીજ વસ્તુઓનો વપરાશ કરવામાં આવે છે તેના ઉપર ધ્યાન દોરવામાં આવતું નથી..
અત્યારે એક કરિયાણાની દુકાનમાં કાજુ બદામના સૂકા મોવા સાથે એવી કરતુતો કરવામાં આવતી હતી કે, તમે પણ ગમે ત્યાંથી સૂકો મેવો ખરીદતા પહેલા હજાર વખત વિચાર કરવા લાગશો અને આવી બધી ઘટનાઓથી તાત્કાલિક ધોરણે દરેક લોકોએ ચેતી જવું જોઈએ નહીં તો કેન્સર જેવી મોટી બીમારીનો પણ ભોગ બની શકો છો..
અત્યારે શુભ લક્ષ્મી કરિયાણા સ્ટોર નામની એક દુકાનમાંથી એટલી મોટી ભેળસેળ ઝડપાઈ ગઈ છે કે, તેના વિશે જાણકારી સાથે જ ત્યાંથી ચીજ વસ્તુઓ ખરીદી મહિલાઓમાં ફફડાટ મચી ગયો હતો. આ કરિયાણાની દુકાનમાંથી એક ભણેલ ગણેલ વ્યક્તિએ કાજુ બદામનો સૂકો મેવો ખરીદ્યો હતો અને જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે ખબર પડી કે આ સુકામેવાની અંદર ભેળસેળ કરવામાં આવી છે..
અને ખોરા થઈ ગયેલા અને ખરાબ કાજુ બદામ તેને પકડાવી દેવામાં આવ્યા છે. તે તરત જ આ દુકાને પરત આવ્યો અને જણાવ્યું કે, તમારા કાજુ બદામના સુકામેવાની અંદર ખરાબો દેખાઈ આવ્યો છે. તમે મહેરબાની કરીને આ ચીજ વસ્તુઓને બદલાવી આપો, અથવા તો તેમના રૂપિયા પરત આપો..
પરંતુ કરિયાણાની દુકાનના માલિકે દાદાગીરી કરવાની શરૂ કરી દીધી હતી અને આ ગ્રાહકને ત્યાંથી ભગાડી દીધો હતો. પરંતુ ગ્રાહક ભણેલ ગણેલ હોવાથી તેને તરત જ ગ્રાહક સેવા વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી અને અહીં તપાસ ચલાવવામાં આવી ત્યારે ખબર પડી કે, કાજુ બદામના સુકામેવાની સાથે સાથે સૂકી દ્રાક્ષ, અખરોટ, પિસ્તા તેમજ ગોળ, ખાંડ તુવેરની દાળ, બાજરો અને ઘઉંના લોટમાંથી પણ ભેળસેળ મળી આવી છે..
કરિયાણાની દુકાન ચલાવનાર યુવકો આ બધી ચીજ વસ્તુઓમાં સારા મોળાની ભેળસેળ કરતો હતો અને ખૂબ જ ઊંચા ભાવે વેચતો હતો જ્યારે તેની કડક પૂછપરછ બેસાડવામાં આવી ત્યારે કરિયાણાના દુકાન ચલાવનાર વ્યક્તિએ કબૂલી લીધું કે, તે ખરાબ થઈ ગયેલી ચીજ વસ્તુઓને ખૂબ જ સસ્તા ભાવે ખરીદી લેતો..
અને ત્યારબાદ સારી ચીજ વસ્તુઓની અંદર ભેળસેળ કરીને ગ્રાહકને ખબર પડે નહીં તેવી રીતે વેચી મારતો હતો અને સારા પૈસા કમાતો હતો. અત્યાર સુધી ક્યારેય તેની ભેળસેળનો અંદાજો કોઈ વ્યક્તિને આવ્યો હતો નહીં. પરંતુ આ ભણેલ ગણેલી વ્યક્તિએ જ્યારે ફરિયાદ નોંધાવી ત્યારે તપાસ કરતા ની સાથે જ તમામ પોલ ખુલ્લી પડી ગઈ હતી..
આવી ભેળસેળયુક્ત ચીજ વસ્તુઓ ખાવાને કારણે ધીમે ધીમે શરીરની અંદર અશક્તિઓ પેદા થઈ જાય છે અને ધીમે ધીમે આવી બધી ચીજ વસ્તુ ક્યારેય કેન્સર જેવી મોટી બીમારીનું રૂપ ધારણ કરી લે તેનું પણ કશું નક્કી કહેવાતું નથી. હંમેશા ચોખ્ખી અને સ્વાસ્થયને અનુરૂપ ચીજ વસ્તુઓનો આહાર લેવો જોઈએ..
આગળ પણ ખાણીપીણીની ઘણી બધી જગ્યાઓએ તપાસ ચલાવામાં આવી હતી અને જ્યાંથી ભેળસેળ જણાય ત્યાં સૌપ્રથમવાર નોટીસ ફટકારવામાં આવી અને ત્યારબાદ દંડ ફટ કરીને ઘણી બધી ખાણીપીણીની દુકાનોના લાયસન્સ પણ રદ કરવામાં આવ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]