ઘણા બધા વિસ્તારોમાંથી લોકો સાથે થતી છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અવારનવાર લોકો વધારે પૈસા કમાવા માટે લોકોના સ્વાસ્થયને જોખમમાં મૂકી રહ્યા છે. ગ્રાહકોને હલકી ગુણવત્તાની વસ્તુઓ વેચીને તેમની પાસેથી વધારે પૈસા પડાવી રહ્યા છે. અવારનવાર આવા કિસ્સાઓ બનતા હોવા છતાં ગ્રાહકો હજુ પણ છેતરાઈ રહ્યા છે.
હાલમાં એવો એક કિસ્સો સામે આવ્યો હતો. જે દરેક લોકોએ જાણવાની ખૂબ જ જરૂર રહી છે. આ કિસ્સો અજમેરમાં બન્યો હતો. અજમેરમાં શુદ્ધ અભિયાનના ભાગરૂપે ફૂડ સેફ્ટીની ટીમના લોકોએ શહેરની દરેક મોટી દુકાનમાં દરોડા પાડ્યા હતા. તે સમયે ફુડ સેફટીની ટીમને રિપોર્ટ મળતા જ એવી ચોકાવનારી વાત સામે આવી હતી.
કે જે જોઈને ગ્રાહકો વસ્તુઓ ખરીદતા પહેલા સો વાર વિચાર કરશે. અજમેરમાં ફૂડ સેફટીની ટીમે દરેક મોટી કરિયાણાના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. તે સમયે વાસુદેવ છટોમલ નામની દુકાનમાં રહેલી મસૂરની ડાળના નમુના ફૂડ સેફટીની ટીમએ લીધા હતા. જેના કારણે અલગ અલગ દાળના નમુનાઓ લઈને રિપોર્ટની રાહ જોવામાં આવી હતી.
તે સમયે ફૂડ સેફટી વિભાગના કર્મચારીઓને જાણ થઈ હતી કે, આ ડાળમાં ભેળસેળ કરવામાં આવી છે. મસૂરની દાળને પીળો રંગ ચડાવી દેવામાં આવ્યો છે અને તેના કારણે દુકાનમાં રહેલી દરેક દાળના પેકિંગનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 20 કિલો 20 કિલો દાળના પેકિંગની ફૂડ વિભાગના કર્મચારીએ જપ્ત કરી લીધા હતા.
અને ત્યારબાદ દુકાનમાં રાખવામાં આવેલી ડ્રાયફ્રુટને પણ ચેક કરવામાં આવ્યું હતું. ડ્રાયફ્રૂટની દરેક વસ્તુઓની એક્સપાયરી ગયેલી રાખવામાં આવતી હતી. આ દરેક પેકિંગની ડેટ ફ્રી થઈ ગઈ હોવા છતાં તેમણે દુકાનમાં રાખીને ગ્રાહકોને વેચવામાં આવતા હતા. આશરે 100 કિલો કાજુ અને કાજુની ઘણી પ્રકારની ખાદ્ય ચીજોને નાશ કરવામાં આવી હતી.
મરચાના પાવડર નો પણ નમૂનો લેવામાં આવ્યો હતો. જેમાં મરચાના પેકિંગમાં લાલ કલરનો પાવડર મેળવવામાં આવ્યો હતો. મસૂરની દાળમાં પીળો રંગ ચડાવ્યો હોવાને કારણે ફુડ સેફટીના કર્મચારીઓએ આ દાળને એ કાચમાં પાણી ભરીને તેમાં નાખી હતી. જેના કારણે દાળનો પીળો રંગ પાણીમાં તરતો દેખાયો હતો.
અને દાળ ધોળી થઈ ગઈ હતી. લોકોની કલર ચડાવીને ડાળ વેચવામાં આવી રહી હતી. જેના કારણે દરેક ચીજ વસ્તુઓના કર્મચારીઓ એ કબજે કરી લીધી હતી. 25 કિલો જેટલી ખાદ્ય ચીજો કબજે કરી હતી અને કંપનીની નોટિસ આપીને અહેવાલ આપવામાં આવ્યો હતો. દરેક કઠોળ તેમાં જ ડ્રાયફ્રુટમાં ભેળસેળ કરવામાં આવતી હતી. અને એક્સપર થઈ ગયેલી વસ્તુ અને વેચવામાં આવતી હતી. જેના કારણે ગ્રાહકોની ચેતવવામાં આવ્યા છે. દરેક વસ્તુઓ ખરીદતા પહેલા પૂરી જાણકારી લેવી જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]