રોજિંદા જીવનથી માંડીને કામ ધંધાની જગ્યા ઉપર પણ વિશ્વાસુ વ્યક્તિની દરેક માણસને જરૂરિયાત હોય છે, કારણ કે વિશ્વાસુ વ્યક્તિ જ આપણને જીવનમાં પ્રગતિ કરવામાં મદદરૂપ થતા હોય છે. મોટાભાગના કામ ધંધા અને પારિવારિક સંબંધો પણ વિશ્વાસના ભરોસે ચાલે છે, પરંતુ આજકાલના ઝડપથી આગળ વધતી જતી આ દુનિયામાં સ્વાર્થ વચ્ચે આવી જવાને કારણે સપૂર્ણ વિશ્વાસ પણ તૂટી જતો હોય છે..
અને લોકો એકબીજા સાથે છેતરપિંડી કરવાના વિચારો પણ મનમાં લાવી બેસે છે, અત્યારે એક કારીગરે તેના શેઠની એવી રીતે જુનો ચોપડી દીધો હતો કે, તેનો શેઠ રસ્તા ઉપર આવી ગયો હતો. બીચાર આ શેઠે કારીગરને સુખ અને દુઃખની દરેક ઘડીની અંદર ખૂબ જ સાથ અને સહકાર પૂરો પાડ્યો હતો..
પરંતુ એ જ કારીગરે શેઠને રસ્તા ઉપર લાવી દીધા હતા, આ ઘટના જાણ્યા બાદ તમે પણ કહેવા લાગશો કે, હકીકતમાં આ જમાનો ખૂબ જ ખરાબ છે અને કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકવો જોઈએ નહીં, આ હચમચાવી લેતી ઘટના વિક્રમ પાર્કમાંથી સામે આવી છે, અહીં રહેતા અશોકભાઈ નામના એક શેઠને અત્યારે ખરા પરિસ્થિતિમાંથી પસાર થવાનો વારો આવી ગયો છે..
અશોકભાઈ એક સ્ટીલનું કારખાનું ચલાવી રહ્યા છે, આ કારખાનું તેઓ છેલ્લા 27 વર્ષથી ચલાવે છે. જેમાં તેમનો એક વિશ્વાસુ કારીગર કારખાનેને ઘણી બધી જવાબદારીઓ સંભાળતો હતો, અશોકભાઈને તેમના કારખાનામાં છેલ્લા 17 વર્ષથી કામ કરતા દિનેશ નામના આ કારીગર ઉપર ખૂબ જ વધારે વિશ્વાસ હતો..
તે દિનેશને તેના પરિવારનો જ એક સભ્ય માનતા અને તેની પ્રગતિ પણ ખૂબ જ વધારે કરાવતા હતા, દર મહિને તેના પગારમાં પણ વધારો કરવામાં આવતો આ ઉપરાંત જો દિનેશને કોઈ વધારે રૂપિયાની જરૂર હોય ત્યારે પણ અશોકભાઈ આગળ આવીને આ કારીગરને ખુશ કરતા હતા..
એક વખત જ્યારે દિનેશની પત્ની નું ખૂબ જ મોટી બીમારીનું ઓપરેશન કરાવવાનો સમય આવ્યો ત્યારે પણ અશોકભાઈએ આ કોઈ પણ સવાલ પૂછ્યા વગર દિનેશને મદદ કરી દીધી હતી. પરંતુ એક દિવસે દિનેશે તેના શેઠ અશોક ભાઈને લૂંટી લેવાનો પ્રયાસ કરી નાખ્યો હતો, અને બીચારા રસ્તા ઉપર આવી ગયા હતા..
અશોકભાઈ ઘણી બધી વાર દિનેશના તેમના કારખાનાને છોડીને અન્ય કોઈ વ્યવસાય માટે પણ સમય ફાળવતા હતા, દિનેશે તેના શેઠ અશોકભાઈના વિશ્વાસનો ગેરફાયદો ઉઠાવીને કારખાનાના ઘણા બધા કાગળિયા ઉપર અશોકભાઈની સહી લઈ લીધી હતી અને કારખાનું અશોકભાઈ ના નામેથી હટાવી દઈ પોતાના નામે કરી નાખ્યું હતું..
જ્યારે અશોકભાઈ આ કારખાનાને ઉપર લોન લેવા માટે બેંકના અધિકારી પાસે પહોંચે ત્યારે બેંકના અધિકારીઓએ અશોકભાઈને તબડાવી નાખ્યા અને કહ્યું કે, જે કારખાનું તમારા નામ પર નથી એ કારખાના ઉપર તમે લોન લેવા માટે આવી રહ્યા છો. તમે ખૂબ જ મૂર્ખ માણસ છો, જ્યારે અશોકભાઈને ખબર પડી કે આ કારખાનું તેના નામ ઉપરથી હટાવી દેવામાં આવ્યું છે..
અને દિનેશ નામના કારીગરે પોતાના નામ ઉપર કાર્ય કારખાનાની તમામ સંપત્તિ કરી લીધી છે, કારખાનાના મશીન સહિતની તમામ સામગ્રી ઉપર દિનેશભાઈની માલિકીનો હક લાગી ગયો હતો, ત્યારે તેમને ખૂબ જ દુઃખ થયું કે આ કારીગર જે આજથી 17 વર્ષ પહેલાં તેમના કારખાના ની અંદર બે ટકના રોટલો રળવા માટે આવ્યો હતો..
તે કારીગર અને તેઓએ પ્રગતિ કરાવીને ખૂબ જ મોટું પદ આપ્યું, પગાર આપ્યો અને સાથે સાથે સુખ અને દુઃખની ઘડીમાં પણ તેને મદદ કરી હતી એ જ કારીગરે આજે તેના શેઠને મીઠી રીતે જૂનો ચોપડી દીધો હતો. દિનેશ નામના કારીગરે ખૂબ જ વધારે ભેજુ દડાવી હતું, તેણે તેના શેઠને મીઠી મીઠી વાતો કહીને પોતાની જાળમાં ફસાવ્યા અને આ કાર્યક્રમ ઉપર સહી કરાવીને બધું જ પોતાના નામે કરાવી લીધો હતો..
આ ઘટનાનો આઘાત અશોકભાઈને ખૂબ જ લાગ્યો હતો, કારણકે તેઓ 27 વર્ષથી જે કામ ધંધા સાથે જોડાયેલા હતા અને ઈમાનદારીના પેટે દિનેશ ઉપર વિશ્વાસ મૂક્યો હતો, એજ વિશ્વાસ તોડીને દિનેશે તેના શેઠને ચુનો ચોપડી દીધો હતો, અને તેને રસ્તા પર લાવી દીધા હતા. આ ઘટનાને લઈને અશોકભાઈ તેના કારીગર સામે ફરિયાદ પણ નોંધાવી હતી..
આ મામલો હવે કાયદાકીય રીતે આગળ વધી રહ્યો છે કે, જ્યારે જ્યારે આપણે આવી ઘટના વિશે સાંભળીએ છીએ ત્યારે ત્યારે આપણા મનમાં પણ વિચાર આવે છે કે, આજકાલના સમયની અંદર કોઈપણ વ્યક્તિ ઉપર મન મૂકીને વિશ્વાસ મૂકવો પાછળ જઈને આપણને પછતાવા સમાન સાબિત કરી દે છે. એટલા માટે વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકતા પહેલા સો વખત વિચાર કરવો જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]