કળિયુગના આ અઘરા સમયની અંદર અત્યારના દીકરા કે દીકરીઓ પોતાના જ માતા પિતાને ખૂબ જ વધારે પડતી હેરાનગતિ પહોંચાડવા લાગ્યા છે. સંસ્કારોમાં થોડી ઘણી કચાશ રહી જવાને કારણે તેઓ અમુક ઉંમર પછી પોતાના માતા પિતાને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂકે છે. અત્યારે ફરીદાબાદમાંથી એક એવો હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે જે જાણ્યા બાદ તમે પણ ગુસ્સેથી લાલ-પીળા થઈ જશો..
આ ઘટના હનુમાનનગરની ગલી નંબર 5 માંથી સામે આવી છે. જ્યાં 38 વર્ષનો જીતુ તેની 60 વર્ષની માતા ચંપાબેન અને 70 વર્ષના પિતા વીરસિંહની સાથે રહેતો હતો. જીતુના લગ્ન થઈ ચૂક્યા હતા. પરંતુ તેને દારૂ પીવાની ખોટી હતી. એટલા માટે તેની પત્ની તેને મૂકીને પોતાના પિયર ચાલી ગઈ છે..
અને તેના છૂટાછેડા પણ થઈ ગયા છે. જીતુ અવારનવાર દારૂ પીઈને ઘરે આવતો હતો અને તેની પત્નીને મારપીટ કરતો હતો. આ ઉપરાંત તેના માતા-પિતાને પણ ન કહેવાના શબ્દો કહેવા લાગ્યો હતો. જીતુ પોતાની પત્નીને તો ખોઈ બેસ્યો હતો. પરંતુ હવે એક દિવસ તેણે ગુસ્સામાં પોતાના જ માતા પિતાને મોતને ઘાટ ઉતારી દીધા છે..
એક વખત તે જ્યારે નશામાં ધુત થઈને ઘરે પહોંચ્યો ત્યારે તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો અને આ ઠપકાનું તેને ખૂબ જ માઠું લાગી આવતા તેણે તેની 60 વર્ષની માતા ચંપાબેન અને 70 વર્ષના પિતા વીર સિંહ બંનેને ઉપર કાતર લઈને તૂટી પડ્યો હતો. આ ધારદાર કાતર વડે માતાને પિતા બંનેને મોતને ઘાટ ઉતારી દીધા હતા..
જ્યારે ચીસા ચીસ સર્જાઈ ગઈ ત્યારે આસપાસના પડોશીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. પડોશીઓને આવતા જોઈ જીતુ નામનો યુવક ખૂબ જ ડરી ગયો હતો અને તે ઘર મૂકીને ભાગી ગયો. પડોશીઓએ આ ઘટનાની જાણકારી ચંપાબેનની દીકરી રેખા અને રેખાના પતિને આપી હતી. રેખા તેના પતિની સાથે પોતાને આવી પહોંચી અને ત્યાં આવીને જોયું તો..
તેની માતા જમીન ઉપર વૃદ્ધાવતમાં પડી હતી, તો તેના પિતા ખાટલા ઉપર મૃત હાલતમાં દેખાયા હતા. તેઓએ રાત્રિના લગભગ સાડા ત્રણ વાગ્યા આસપાસ નજીકના પોલીસ સ્ટેશનમાં સૂચના આપી દીધી હતી કે, જીતુ નામના યુવકે તેમના માતા-પિતાને મોતને ઘાટ ઉતારી દીધા છે અને જીતુ અત્યારે ઘરેથી ફરાર થઈ ગયો છે..
ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ બંને વ્યક્તિઓની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે તપાસ શરૂ કરી જીતુ નામના આરોપીને પકડવામાં પોતાના સૂત્રોને ગતિમાન કરી દીધા છે. આ યુવક વ્યસનના એવા રવાડે ચડી ગયો હતો કે તેણે પોતાના જ માતા પિતાનો જીવ લઈ લીધો છે..
કદાચ આવનારા સમયમાં તેને આ ઘટનાનો ખૂબ જ સ્પષ્ટતાઓ થશે. પરંતુ હવે પછતાવા કરીએ પણ કશો ફાયદો નથી કારણ કે તેના માતા પિતાનો જીવ ચાલ્યો ગયો છે. આવી ઘટનાઓને જાણ્યા બાદ આપડું મગજ પણ કામ કરતુ બંધ થઈ જાય છે. આવનારી પેઢીના બાળકોને સારા સંસ્કારો આપવા ખુબ જ જરૂરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]