રોજબરોજ લોકોએ આપઘાત કર્યાની ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે. અવારનવાર લોકો સાથે આવી ઘટનાઓ બનતા લોકો પોતાના પરિવારથી દૂર થઈ રહ્યા છે. તેના પરિવારજનોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. અવારનવાર લોકો નાની-નાની વાતમાં કંટાળીને આવી ઘટનાઓ કરી રહ્યા હોય છે. ઘણી વખત લોકો માનસિક બીમારીને કારણે પણ આવી ઘટનાઓ કરી લે છે.
પોતાની જીદગીથી કંટાળીને તેના જીવ ગુમાવી દે છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. જેમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. પાણીમાં ડૂબાથી ઘણા બધા વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં વધુ એક ઘટના બની હતી. આ ઘટના જોધપુર જિલ્લાના લોડતા અચલાવતામાં આ પરિવાર રહેતું હતું.
પરિવાર દેવળિયા ગામમાં રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની અને તેમના બંને નાના ભાઈઓ રહેતા હતા. પતિના બંને નાના ભાઈઓ ખૂબ જ ખુશીથી પોતાના ભાઈ ભાભી સાથે રહેતા હતા. પરિવારમાં રહેતા ભાભીની ઉંમર 26 વર્ષની હતી. તેમનું નામ ભવરી દેવી હતું. તેના બંને દેવર તેને ખૂબ જ સારું માન આપતા હતા.
તેના બંને દેવરના નામ સંતોષ અને ઇન્દ્રમ હતું. સંતોષની ઉંમર 18 વર્ષની હતી. ઈન્દ્રમની ઉંમર 15 વર્ષની હતી. સંતોષે ગયા વર્ષે જ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ઇન્દ્રમ નવમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો હતો. તેના ભાઈ ખેતી કામ કરીને તેમના પરિવારનું ગુજરાત ચલાવતા હતા પરંતુ ભાભીને છેલ્લા એક વર્ષથી તેની માનસિક સ્થિતિ સારી ન હતી.
તેને માનસિક બીમારી થઈ ગઈ હતી જેને કારણે એક વર્ષથી તેની સારવાર ચાલી રહી હતી. ભાભી પોતાના ઘરના લોકો સાથે સારો વ્યવહાર કરતા ન હતા પરંતુ તેઓને ભાભીની માનસિક બીમારીની જાણ હોવાને કારણે તેના બંને દિયર તેનું ખૂબ જ સારું એવું ધ્યાન રાખી રહ્યા હતા. એક દિવસ ભાભી ની માનસિક બીમારી સારી ન હોવાને કારણે તેમને ઘરમાં કોઈ વાતને લઈને ખોટું લાગી ગયું હતું.
જેને કારણે તેઓ અચાનક પોતાના ઘરની બહાર નીકળ્યા હતા અને કેનાલ તરફ દોડવા લાગ્યા હતા. ગામની બહાર એક કેનાલ આવેલી હતી. ભાભી ઘરમાંથી નીકળીને કેનાલ તરફ દોડી રહ્યા હતા. તે સમયે તેના બંને દિયર પણ ભાભીની પાછળ દોડ્યા હતા. ભાભીને બચાવવા માટે તેઓ પણ ભાભીની પાછળ ખૂબ જ ઝડપી સ્પીડમાં દોડી રહ્યા હતા.
ભાભી સુધી પહોંચે તે પહેલા જ ભાભીએ કેનાલમાં પડતું મૂકી દીધું હતું. તેઓ કેનાલમાં કૂદી ગયા હતા. પોતાની સાથે જ કેનાલ ખૂબ જ ભારે પાણીથી વહી રહી હતી. જેને કારણે તેઓ વહેવા લાગ્યા હતા. બંને દિયરને તરતા આવડતું ન હતું છતાં પણ ભાભીને બચાવી લેશે તેમ તેને લાગ્યું હતું અને તેઓ પણ આ કેનાલમાં કૂદી ગયા હતા.
ત્રણેય વ્યક્તિઓ ધસમસતા પાણીમાં તણાઇ રહ્યા હતા અને પાણીનો પ્રવાહ ખૂબ જ ભારે હોવાને કારણે તેઓ પાણીમાં તણાઈ રહ્યા હતા. ત્યારબાદ ખેતરમાં કામ કરતા લોકોએ આ ઘટના જોઈ હતી. કેનાલની બાજુમાં ખેતરમાં લોકો આ જોઈને ચોકી ગયા હતા. તેઓ તરત જ ત્રણે વ્યક્તિઓને બચાવવા માટે કેનાલના કિનારે આવ્યા હતા.
પરંતુ તે ત્રણેય વ્યક્તિઓ તણાઈ ગયા હતા. જેને કારણે આસપાસના રહેલા લોકોને બોલાવવામાં આવ્યા હતા અને તરત જ કામધેનુ સેનાના કાર્યકરોને આ ઘટનાની જાણ કરી હતી. જેને કારણે તેઓ પણ ઘટના સ્થળે આવ્યા હતા અને દેવરીયા ગામની સીમમાં આવેલા પુલની નીચે આ ઘટના બની હોવાને કારણે ત્રણેના મૃતદેહને તરીયા દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.
ત્યારબાદ તેમના પરિવારના લોકોને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. એકસાથે પરિવારમાં રહેતા ચાર લોકોમાંથી ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થઈ જતા પરિવારમાં આઘાત આવી ગયો હતો અને બંને દિયર તેમજ ભાભીએ પોતાનો જીવ ગુમાવી દીધા હતા. જેને કારણે મોટાભાઈ આ આઘાત સહન કરી ન શકતા તેઓ પણ બેભાન થઈ ગયા હતા.
પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેને કારણે જમુ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી. ત્રણેયના મૃતદેહની હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામાં આવ્યા હતા. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. જેને કારણે વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]