આજકાલ અવાર નવાર અજાણી જગ્યાએ થી મૃતદેહો મળવાની ઘટના સામે આવી રહી છે. આવા અવાવરુ કેસોનો ભેદ ઉકેલવો ખુબ મુશ્કેલ હોઈ છે છતાં પણ તેના મુખ્ય આરોપીને પકડી પાડવામાં આવતા હોઈ છે. વધુ એક રહસ્યમય અને ચોંકાવનારી ઘટના સુરતના કામરેજ વિસ્તારમાં આવેલા મીઠા પાણીના તળાવ પર બની છે.
સુરત શહેરના કામરેજ નજીક આવેલા એક ખરસદ ગામ પાસે એક તળાવ છે. ત્યાં ગામના લોકો રોજીંદા આવ જાવ કરતા રહે છે. તેમાં એક વ્યક્તિને એક સાથે ત્રણ મૃતદેહો મળી આવતા અફરાતફરી નો માહોલ સર્જાયો છે. આ સમાચાર ગામમાં પહોચતા જ લોકોમાં ભયનો માહોલ પેદા થઈ ગયો હતો.
આ તળાવ માંથી એક મહિલા અને બે બાળકો સાથે કુલ 3 મૃતદેહો મળી આવ્યા છે. માતા અને તેના બે બાળકો માં એક પુત્રને એક પુત્રી નો સમાવેશ થાય છે. હાલમાં પૂરતી માહિતી પર્યાપ્ત ન હોવાથી તેઓનું તળાવમાં ડૂબીને મૃત્યુ થયું હોવાનું અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.
પરંતુ અસલી કારણની રાહ ગામના સૌ કોઈ લોકો જોઈ રહ્યા છે. આ મૃતદેહો મળ્યા બાદ ગામના કેટલાક લોકોએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી પરંતુ આ એક અકસ્માત છે કે હ,ત્યા છે??? તેનો પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો નથી.
પોલીસ દ્વારા આ ઘટનાની આગળ તપાસ ચાલી રહી છે. ગામના લોકો આ લોકોને ઓળખે છે કેમ? તે અંગે પણ કોઈ માહિતી મળી શકી નથી. આ તળાવમાંથી એક પછી એક એમ ટોટલ 3 મૃતદેહો મળ્યા હતા. તેથી સૌ કોઈ લોકોને ભૂત-પ્રેતની પણ શંકા ગઈ છે.
આ મૃતદેહોમાં પાણી ભરાઈને ફૂલી ગયા અને સપાટી પર ઉપર દેખાઈ આવ્યા ત્યારે લોકોને જાણ થઈ હતી કે તળાવમાં મૃતદેહો તરી રહ્યા છે. તેથી આ મૃતદેહો 2 દિવસ પેહલાના હોવાનું જાણવા મળ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]