એકતરફી પ્રેમમાં તું મારી નહીં તો બીજા કોઈની નહીં તેમજ તું બીજા યુવકો સાથે શા માટે વાતચીત કરે છે, મને શા માટે તું કોઈપણ ભાવ આપતી નથી એમ કહીને અલ્પેશ ઠાકોરે દીકરી તૃષા સોલંકીની કરપીણ હત્યા કરી નાખી છે. હત્યા કર્યા બાદ સોલંકી ને લોહીના ખાબોચીયામાં તરફડતો મુકીને તે તૃષાની ગાડી લઈને ભાગી ગયો હતો..
તેમજ ત્યારબાદ તે પોતાના મિત્રની મદદથી બીજી બાઈક પર પોતાના ઘરે જઈને આરામથી સુઈ ગયો હતો. આ તમામ બાબતો પરથી તમે વિચારી શકો છો કે, આ હત્યારો કેવી માનસિકતા સાથે દીકરીની હત્યા કરવા માટે આવ્યો હશે..!!! હત્યારા કલ્પેશે તૃષાને પૂછ્યું હતું કે તારે અન્ય કોઈ યુવાન સાથે સંબંધ છે કે નહીં..? પરંતુ તૃષાએ જણાવ્યું હતું કે હું તને કોઈ પણ પ્રકારનો જવાબ આપીશ નહીં.
તૃષાનો જવાબ સાંભળતાની સાથે જ કલ્પેશ રોષે ભરાઈ ગયો હતો અને પોતાની કમરમાંથી પાળિયું કાઢીને તૃષાના ગળાના ભાગે ઊંડા ઘા માર્યા હતા અને કરપીણ હત્યા કરી નાખી હતી. તૃષા ચીસાચીસ કરી રહી હતી તેણે જે હાથમાં વીંટી પહેરી હતી એ જ હાથને કલ્પેશે કાપી નાખ્યો હતો.
અને જણાવ્યું હતું કે તું મારી નહીં થાય તો હું તને કોઈની પણ નહીં થવા દઉં આ વાક્ય બોલતા બોલતા તેણે પાળિયાના ઘા માર્યા હતા. દીકરી તૃષાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. દીકરી તૃષાની હત્યા કર્યા બાદ તેને દિકરી તૃષાનો મોબાઇલ લઇ લીધો હતો તેમજ મોબાઈલ ને સ્વીચ ઓફ કરીને તેની બાઈકની સીટ નીચે સંતાડી દીધો હતો..
આ બાબતની જાણ જ્યારે પોલીસે હત્યારાની કડકમાં કડક પૂછતાછ કરી હતી. ત્યારે તેણે જણાવી હતી. પોતાનો મોબાઈલ ફોન ચાલુ રાખ્યો હતો જેના કારણે પોલીસને તેનું લોકેશન સરળતાથી મળ્યું હતું. અને પોલીસે કલ્પેશને તાત્કાલિક ધોરણે ઝડપી પાડયો હતો. પોલીસે જ્યારે કલ્પેશ ને પકડવા માટે તેના ઘર સુધી પહોંચી હતી..
ત્યારે હથિયારો ઘરે આરામથી સૂતો હતો. તેમજ તૃષાની હત્યા કરવા માટે વપરાયેલું પાળીયુ પણ તેને દુકાનમાં છુપાવી દીધું હતું. પોલીસની પૂછપરછમાં તેણે પાળિયાનો અતો બતાવતા પોલીસે આ પાળીયાને કબજે લીધું છે. જે જગ્યા પર અત્યારે કલ્પેશ સોલંકીની હત્યા કરી હતી એ ખેતર મુજબ ગામડી ગામ પાસે આવેલું છે..
આ ખેતર ના માલિક સોમાભાઈ પાટણવાડીયા છે. તેઓના ખેતરમાંથી સોલંકીની હત્યા કરેલી લાશ મળી હતી. આ સાથે સાથે દીકરી નું આધારકાર્ડ તેમજ ઘટના સ્થળના થોડા અંતરેથી દીકરીની એકટીવા પણ મળી હતી. ખરેખર આ ઘટનાને લઇને સમગ્ર વડોદરા પંથકમાં ચકચાર મચી ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]