દરેક પરિવારમાં લોકો ખૂબ જ હળી મળીને રહે છે. ઘણા બધા પરિવાર ગરીબીમાં જીવી રહ્યા છે અને ઘણા બધા પરિવાર ખૂબ જ સુખદાય જીવન જીવતા હોય છે પરંતુ હાલમાં એવી એક ઘટના સામે આવી હતી. જે પરિવારની વાત જાણીને દરેક લોકોના આંખમાંથી આંસુ આવી ગયા હતા. આ ઘટના ગોરખપુર જિલ્લામાં બની હતી.
શાહપુર વિસ્તારના ગીતા વાટિકામાં એક પરિવાર ઘણા સમયથી રહેતું હતું. આ પરિવાર ઘોસીપુરવાનું રહેવાસી પરિવાર હતું. પરિવારમાં ઓમ પ્રકાશ નામના વ્યક્તિ રહેતા હતા. ઓમ પ્રકાશનો મોટો દીકરો જીતેન્દ્ર શ્રીવાસ્તવ તેમની બંને દીકરીઓ અને તેમની પત્ની સાથે રહેતા હતા. ઓમ પ્રકાશ બિહારના ગુથની પોલીસ સ્ટેશન વિસ્તારના આવેલા સિવાનનો રહેવાસી છે.
તેમણે 30 વર્ષ પહેલાં ઘોસીપુરવામાં મકાન બનાવ્યું હતું, જેના કારણે તે 30 વર્ષથી ઘોસીપુરવામાં રહે છે. ઓમ પ્રકાશનો મોટો દીકરો જીતેન્દ્ર શ્રી વાસ્તવ ઘરે જ ટેલરિંગનું કામ કરતો હતો અને તે ઘણા વર્ષો પહેલાં મેરવા સ્ટેશન પર ગોરખપુર આવી રહ્યો હતો તે સમયે સ્ટેશન પર ટ્રેન દ્વારા તેમનો કોઈ અકસ્માતમાં એક પગ કપાઈ ગયો હતો.
જેના કારણે તે કુત્રિમ પગનો સહારો લઈને પોતાનું જીવન જીવી રહ્યો હતો. કુત્રિમ પગની મદદથી ઘરે જ ટેલરીંગનું કામ કરતો અને જીતેન્દ્ર શ્રી વાસ્તવને સંતાનમાં 2 દીકરીઓ હતી અને તેમની પત્નીનું નામ સીમી હતું. સીમીનું 2 વર્ષ પહેલાં કોઈ કેન્સરની બીમારીને કારણે અવસાન થઈ ગયું હતું. જેના કારણે જીતેન્દ્ર પર પોતાની બંને દીકરીઓ ની જવાબદારી આવી હતી.
જીતેન્દ્રસિંહ વાસ્તવની ઉંમર 45 વર્ષની હતી અને તેમની એક દીકરીનું નામ માન્ય શ્રીવાસ્તવ અને બીજી દીકરીનું નામ માનવી શ્રીવાસ્તવ હતું. માન્યાની ઉંમર 16 વર્ષની હતી અને માનવીની ઉંમર 14 વર્ષની હતી. બંને આવાસ વિકાસથી સેન્ટ્રલ એકેડમીમાં અભ્યાસ કરવા માટે જતી હતી. જેમાં માનયા ધોરણ 9 માં અભ્યાસ કરતી હતી.
અને માનવી ધોરણ 7 માં અભ્યાસ કરતી હતી. ઓમ પ્રકાશ ખાનગી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેઓ એક દિવસ તેઓ તેમની નોકરી પર ગયા હતા. જીતેન્દ્ર શ્રીવાસ્તવ પોતાના જ ઘરે કામ કરી રહ્યા હતા અને તેમની બંને દીકરીઓ શાળાએથી ઘરે આવી હતી. ત્યારબાદ ઓમ પ્રકાશ સવારના સમયે નોકરીએ ગયા અને તેઓ રાતના સમયે થતા પરત આવ્યા,..
ત્યારે તેમણે ઘરનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ ઘરમાં કોઈએ ઘરનો દરવાજો ખોલ્યો નહીં જેના કારણે પાડોશીની મદદથી ઘરનો દરવાજો ઓમ પ્રકાશ એ તોડી નાખ્યો અને રૂમમાં જઈને જોયું તો પાડોશીના લોકો અને ઓમ પ્રકાશ જોઇને આઘાતમાં આવી ગયા, ઓમ પ્રકાશએ જોયું તો તેમના ઘરના રૂમમાં એકસાથે તેમના જ પરિવારના ત્રણ વ્યક્તિઓ લટકી રહ્યા હતા.
જીતેન્દ્ર અને તેમની બંને દીકરીઓએ લટકીને આપઘાત કરી લીધો હતો. આ જોઈને ઓમ પ્રકાશ ત્યાંને ત્યાં જ બેહોશ થઈ ગયા હતા. તેમને ખૂબ જ આઘાત લાગી ગયો ત્યારબાદ પાડોશીના લોકોએ તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરી, જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને તમામ તપાસને હાથ ધરી હતી.
પોલીસે તપાસ કરતા સમયે પોલીસને રૂમમાંથી બે મોબાઈલ ફોન અને એક અંતિમ નોટ પણ મળી આવી હતી. આ અંતિમ નોટમાં જીતેન્દ્ર શ્રીવાસ્તવે લખ્યું હતું કે, ‘તેમની બંને દીકરીઓની શાળાની ફી 5-5 મહિનાથી બાકી હતી અને જે તેઓ ભરી શકે તેમ ન હતા અને ખૂબ જ ગરીબીમાં તેમની બંને દીકરીઓને તે જીવતા જોઈ શકતા ન હતા’
જેના કારણે બંને દીકરીઓ સાથે તેમણે પોતાનો જીવ ગુમાવી દીધો હતો. આ વાંચીને ઓમ પ્રકાશ અને પોલીસ પણ ચોકી ગઈ હતી. ત્યારબાદ પોલીસ આગળની તપાસ કરી રહી હતી. એક સાથે પરિવારમાં ત્રણ વ્યક્તિઓએ આપઘાત કરી લીધો હતો. જેના કારણે ગોરખપુર જિલ્લામાં દરેક વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]