Breaking News

કડવા વેણ બોલતી નણંદની હેરાનગતિથી કંટાળીને મહિલાએ દવાના 16 ટીકડા ગટગટાવી લીધા, પરિવારમાં માતમ છવાયો..!

સ્વભાવમાં વિનમ્રતાને પ્રેમભરી વાણી હોવી ખૂબ જ જરૂરી છે, કારણ કે લડાઈ ઝઘડાનું મોટું કારણ વ્યક્તિની વાણી હોય છે. બોલવામાં કોઈ પણ પ્રકારનું ઠેકાણું ન રહેતું હોય તો એવા લોકોને હંમેશા લડાઈ ઝઘડાઓ શરૂને શરૂ જ રહે છે. વાણી હંમેશા મધુર રાખવી જોઈએ પરંતુ અત્યારે કડવા વેણ બોલતી એક નણંદની હેરાનગતીથી કંટાળી જઈને મહિલાએ એવડું મોટું પગલું ભરી લીધું હતું કે..

સમગ્ર પરિવારમાં માતમ છવાઈ ગયો હતો, આ બનાવ પુષ્પા નગર કોલોનીનો છે. અહીં કમળાબેન નામની મહિલા તેના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેના પતિ જયસુખભાઈ તેના બે બાળકો શુભ અને મોન્ટુ તેમજ તેના સાસુ સસરાનો પણ સમાવેશ થાય છે, જયસુખભાઈ સવારના સમયે પોતાના ધંધે જવા માટે નીકળી પડ્યા હતા..

આ ઉપરાંત કમળાબેનના સાસુ સસરા પણ તેના નણંદના ઘરે ચાલ્યા ગયા હતા, ઘરે માત્ર કમલાબેન અને તેના બંને બાળકો હાજર હતા બંને બાળકોને શાળાએ મોકલ્યા બાદ કમળાબેને બપોરના સમયે એક સાથે 16 જેટલા ઝેરી દવાના ટીકડા ગટગટાવી લઈને આવઘાત કરી લેતા સમગ્ર પરિવાર માં રોકકળનો માહોલ સર્જાઈ ગયો હતો..

છેલ્લા છ મહિનાથી કમળાબેન અને તેમની મોટી નણંદ રંજનબેન વચ્ચે લડાઈ ઝઘડો ચાલતો હતો, રંજનબેન અવાર નવાર કમલાને કડવા વેણથી બોલાવતી હતી અને તેમના ઘરની અંદર જરૂરિયાત વગરનો વહીવટ કરવા માટે આ નણંદ આવી પહોંચતી અને પતિ પત્નીમાં લડાઈ ઝઘડો પણ કરાવી બેસતી હતી..

કમલા ખૂબ જ હોશિયાર હતી એટલા માટે તે સમજી ચૂકી કે, તેની નણંદ જમીનમાં ભાગ લેવાની બાબતને લઈને પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડો કરાવી રહી છે. પરંતુ કમલા અને જયસુખમાં ક્યારેય પણ લડાઈ ઝઘડો થયો નહીં, બસ આ વાતથી રંજનને ખૂબ જ બળતરા ઊભી થઈ અને તે તેના માતા પિતાને પણ કમલાની વિરુદ્ધ ચડયામણી કરતી હતી..

રોજબરોજની હેરાનગતિથી કંટાળી જઈને અંતે કમળાએ એવડું મોટું પગલું ભરી લીધું કે, આ મામલો હંમેશા માટે શાંત પડી ગયો હતો. જ્યારે કમલાએ આપઘાત કરી લીધો ત્યારે તેનો રિબાઈ રિબાઈને જીવ ગયો હતો. સાંજના સમયે જ્યારે બંને બાળકો શાળાએથી ઘરે પરત આવ્યા ત્યારે તેમણે જોયું તો તેમના ઘરને અંદરથી કોઈ વ્યક્તિ ખોલતું હોતું નથી..

એટલા માટે આસપાસના પડોશીઓને તેમણે જણાવ્યું કે, તેમની માતા ઘરનો દરવાજો ખોલી રહી નથી. જ્યારે આસપાસના પાડોશીઓ ત્યાં આવી પહોંચી અને ઘરની બારીમાંથી જોવાની કોશિશ કરી તો દેખાયું કે, કમળાબેન ઘરની અંદર ઢળી પડેલી હાલતમાં દેખાઈ આવ્યા છે. તરત જ ઘરનો દરવાજો તોડી નાખવામાં આવ્યો હતો..

અને પ્રવેશ કરતા જોયું તો કમળાબેનનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. પોતાની માતાને આ હાલતમાં જોઈને બંને બાળકોનું પણ સ્થિતિ ખરાબ થઈ જવા પામી હતી, વાતના સમાચાર જયસુખભાઈ સુધી પહોંચતા તેઓ પણ હવે તાત્કાલિક ધોરણે હોસ્પિટલે દોડતા થઈ ગયા હતા. આપઘાતના બનાવને લઈ ચારે કોર ચકચાર મચી જવા પામ્યો હતો..

કમળાબેનની રૂમમાંથી એક અંતિમ નોટ પણ મળી આવી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, તેની નણંદ રંજન તેને ખૂબ જ હેરાન પરેશાન કરી રહી છે. રંજનની હેરાનગતિથી કંટાળી જઈને તે આ પગલું ભરી રહી છે, તેના મૃત્યુ બાદ તેના બંને બાળકોને તેનો પતિ ખૂબ જ સારી રીતે સાચવી લેશે તેની તેને ખૂબ જ વધારે ખાતરી છે..

પરંતુ જો તેમનો પરિવાર રંજનથી દૂર નહીં રહે તો રંજન એક ને એક દિવસ જરૂર આ પરિવારને વેચીને ખાઈ જશે, આવા તમામ શબ્દો આ અંતિમ નોટની અંદર લખેલા મળી આવ્યા હતા. આ અંતિમ નોટને આધારે પોલીસે ફરિયાદ નોંધને આગળની તપાસ પણ શરૂ કરી છે. કારણ કે, કોઈપણ વ્યક્તિને ખોટી રીતે હેરાન પરેશાન કરવાનો કોઈનો અધિકાર રહેલો નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *