અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે. જેના કારણે ખૂબ જ કડકતી ભડકતી ઠંડી પડે છે. જેમાં લોકો પોતાના ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. દરેક રાજ્યમાં ઠંડી ખૂબ જ વધી રહી છે. અવારનવાર બનતા અજીબો ગરીબ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં વધુ હાલમાં એક કિસ્સો ઠંડીના કારણે ગંભીર બન્યો છે.
આ કિસ્સો કોતવાલી વિસ્તારના પચવાનિયા ગામમાં રહેતા પરિવારની દીકરી સાથે બન્યો છે. દીકરીનું નામ અંજલી સિંહ હતું. અંજલીની ઉંમર 17 વર્ષની હતી. અંજલી તેમના પરિવાર સાથે ચકિયાના પચવાનિયા ગામમાં રહેતી હતી. અંજલીના પિતા ક્રાંતિ ચૌહાણ છે. પરિવાર ચંદોલીમાં ગામમાં ઘણા સમયથી રહેતું હતું.
અંજલીએને અભ્યાસ કરવો હતો અને અંજલીના પરિવારના લોકો પણ અંજલીને અભ્યાસ કરાવવા માંગતા હતા. જેના કારણે અંજલિ વારાણસીમાં તેના માસીના ઘરે અભ્યાસ કરતી હતી. વારાણસીના પાંડેપુરમાં તેમના માસી રહેતા હતા. જેના કારણે એક દિવસ અંજલી તેમના માસીના ઘરે રહીને કસ્તુરબા ઇન્ટર કોલેજમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી હતી.
અંજલિને થોડા દિવસની રજા હોવાને કારણે તે પોતાના પરિવારને મળવા પચવાનીયા ગઈ હતી અને ત્યાંથી ફરી તેમની શાળા ચાલુ થતી હોવાને કારણે તે માસીના ઘરે વારાણસીમાં પરત આવી હતી. ત્યારબાદ સાંજનો સમય થતાં પરિવારના લોકો સાંજનું ભોજન જમીને સુઈ રહ્યા હતા. અંજલીએ પણ તેમના માસીના પરિવારના લોકો સાથે બેસીને ભોજન જમ્યું હતું.
ત્યારબાદ અંજલી પણ પરિવારના લોકોની સાથે સૂઈ ગઈ હતી. અચાનક અંજલિને પેટમાં દુખાવો થયો હતો. જેના કારણે અંજલિએ તેમની માસીને જગાડીને તેની તબિયત બગડી રહી છે તેમ જણાવ્યું હતું. પરિવારના લોકો જાગી ગયા હતા અને અંજલિને સારવાર માટે લઈ ગયા હતા પરંતુ હોસ્પિટલ લઈ જઈને સારવાર દરમિયાન અંજલિનું મૃત્યુ થઈ ગયું હતું.
અચાનક અંજલિનું મૃત્યુ થઈ જતા પરિવારના લોકો આઘાતમાં આવી ગયા હતા. માસીના પરિવારના લોકોએ તેમના પિતા ક્રાંતિ ચૌહાણને જણાવ્યું કે અંજલિનું આ રીતે મૃત્યુ થઈ ગયું છે. જેના કારણે દીકરીના મૃત્યુને લઈને પરિવારમાં રોરોકળ થઈ ગઈ હતી. દીકરીએ અચાનક જ પોતાનો જીવ ગુમાવ્યો હોવાને કારણે પરિવારના લોકો આઘાત સહન કરી શક્યા નહીં.
અંજલી ઠંડીમાં તેમના પચવાનિયા ગામમાંથી તેમના માસીના ગામ વારાણસી આવી હતી. જેના કારણે ખૂબ જ ઠંડી લાગી ગઈ હતી. ઠંડીને કારણે તેમની તબિયત બગાડતા અંજલીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરિવારમાં એકની દીકરીનો આવું કરણ મૃત્યુ થઈ જતા પરિવારના લોકો આઘાતમાં સરી પડ્યા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]