આપણી આસપાસના વિસ્તારોમાં એવા ચોકાવનારા કિસ્સાઓ બની રહ્યા છે કે, જેને કારણે વ્યક્તિઓ લૂંટાઈ રહ્યા છે. ઘણા બધા ઘરોમાં પરિવારના લોકો હોવા છતાં લોકો તેમની સાથે ચોરી છુપે એવી ઘટનાઓ કરી રહ્યા છે. જે વિચારીને પણ લોકોના મગજ કામ કરતા બંધ થઈ જાય છે. આવી જ એક ઘટના હાલમાં ચાંદ કુયાનની નવી કોલોનીમાં રહેતા બીસીસીએલના કર્મચારીના ઘરે બની હતી.
પરિવારના લોકો ઘરે જ હતા. પરિવારમાં ઝરીલાલ હઝરા તેમની પત્ની અને બાળકો સાથે રહે છે. ઝરીલાલની પત્નીનું નામ સુલેખાદેવી છે. તેઓ પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહે છે. એક દિવસ પરિવારના લોકો સાંજ થતાં સાંજનું સાથે ભોજન કરીને સુઈ રહ્યા હતા. તે સમયે ઝરીલાલ અને તેમની પત્ની બંને બહારના રૂમમાં સુતા હતા.
અને તેમના બાળકો અંદરના રૂમમાં સૂતા હતા. બાળકોને ખુલ્લામાં સુવાથી ડર લાગતો હતો. જેના કારણે બાળકો રૂમમાં સૂતા હતા અને પતિ-પત્ની પોતાના ઘરનો દરવાજો થોડો ખુલ્લો મૂકીને સુતા હતા. જેના કારણે તેઓને પવનની અવાર-જવર થાય તે માટે દરરોજ તેઓ ઘરનો દરવાજો થોડો ખુલ્લો મૂકીને સુતા હતા.
પરંતુ તે દિવસે મોડી રાત્રે પતિ-પત્ની અને બાળકોને ખૂબ જ ઘેન ચડી ગયું અને તેઓ જબરી ઊંઘમાં સુઈ ગયા હતા. પરિવારના લોકો સવાર થતા ઉઠ્યા હતા. તેમાં સુલેખાદેવી સૌથી પહેલા ઉઠી હતી અને તેમણે પોતાના પથારીમાંથી ઊભા થઈને ઘરમાં જઈને જોયું તો તેમના ઘરમાં દરેક વસ્તુઓ જેમ તેમ પડેલી હતી.
અને ઘરમાં કબાટના લોક પણ તૂટેલા હતા. જેના કારણે તરત જ સુલેખા દેવીએ દોડીને તેમના પતિ ઝરીલાલને જગાડ્યા હતા અને ઝરીલાલને તેમના ઘરે કોઈ આવ્યા હોવાનું જણાવ્યું હતું. ઝરીલાલે જાગીને જોયું તો કબાટ ખુલ્લા હતા અને બધી જ વસ્તુઓ વેરવીખેર થઈ ગયેલી હતી. કબાટમાં પણ તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના ગાયબ હતા.
અને તેની સાથે મૂકેલી રોકડ પૈસા પણ ગાયબ હતા. જેના કારણે તરત જ ઝરીલાલે પોલીસને આ ઘટનાની જાણ કરી અને તેમના પાડોશી સંદીપ પાસવાનને પણ આ ઘટનાની જાણ કરી હતી. ઝરિલાલ ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. કારણ કે તેમના પાડોશીના લોકો ગામડે ગયા અને તેમણે પણ ઝરીલાલના ઘરે તેમના ઘરેણા સાચવવા માટે મૂક્યા હતા.
ઝરીલાલના ઘરેણાંની સાથે-સાથે તેમના પાડોશીના ઘરેણા પણ લુટેરાઓએ લૂંટ કરીને ગયા હોવાની શંકા હતી. ઘરમાં પરિવારના લોકો હોવા છતાં ઘરમાં ચોરી થઈ હતી જેના કારણે તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ તપાસને હાથ ધરી હતી. તે સમયે જરીલાલે જણાવ્યું હતું કે તેમના ઘરે બે સોનાની બુટ્ટી, એક ટોપ, ત્રણ જોડી પાયલ, ચાંદીની ખીજડી, સોનાનું લોકેટ અને 7000 રૂપિયા રોકડા અને પાડોશી સંદીપભાઈની પાયલની જોડી હતી.
દરેક વસ્તુ લુટેરાઓ લૂંટ કરી ગયા હોવાનું જણાવ્યું હતું. લુટેરાઓ મોડી રાત્રે ઘરમાં ઘૂસ્યા હતા પરંતુ પરિવારના લોકોને કોઈ પણ ખબર રહી નથી. જેના કારણે પોલીસને શંકા હતી કે પરિવારના લોકો પર નશાનો સ્પ્રે છાંટી દેવામાં આવ્યો હશે. જેના કારણે પરિવારના લોકોને કોઈપણ ખબર રહી નથી.
પરિવારને સૂતો મૂકીને લુટેરાઓ લુંટ કરી ગયા હતા. જેના કારણે ખૂબ જ આઘાતમાં પરિવારના લોકો આવી ગયા હતા. તેમણે પોતાની મૂડીને ભેગી કરીને ઘરેણા ખરીદ્યા હતા પરંતુ તેમની જીવન કમાણીને લુટેરાઓ એક જ ક્ષણમાં લૂંટ કરી ગયા હતા. જેના કારણે પરિવાર ખૂબ જ રડી રહ્યું હતું અને પોલીસ પણ લૂંટેરાઓને શોધી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]