જ્યારે ખરાબ સમય ચાલતો હોય ત્યારે ગમે તેટલી મહેનત કરીએ છતાં પણ કોઈને કોઈ પગલું અવળું ભરાઈ જતું હોય છે, અને આપણી માથે મોટી મુશ્કેલી પણ ત્રાટકી પડતી હોય છે. આવો અનુભવ મોટાભાગના વ્યક્તિઓએ પોતાના જીવનની અંદર કર્યો હશે અને જ્યારે સારો સમય ચાલતો હોય ત્યારે અવળું પગલું ભરાઈ ગયું હોય છતાં પણ સુખની ઘડીઓ જ જીવનમાં આવી જતી હોય છે..
હાલ એક પરિવાર ખૂબ જ મોટી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ એક જ્યોતિશે તેમને એક વાત જણાવી હતી, આ વાતને જાણીને પરિવાર પણ બે ઘડીક ચિંતામાં મુકાઈ ગયો હતો. જ્યોતિષની આ વાતને અનુસરવા બાદ પરિવાર રાજીનો રેડ થઈ ગયો છે, આ ઘટના લક્ષ્મીનારાયણ વિસ્તાર પાસે રહેતા વલ્લભભાઈની છે..
વલ્લભભાઈ તેમના પરિવારજનોની સાથે રહે છે, લક્ષ્મીનારાયણ વિસ્તારથી અંદાજે સાત કિલોમીટર દૂર આવેલા એક ખેતરની અંદર વલ્લભભાઈ ખેતી કામ કરીને તેમના પરિવારજનોને મદદરૂપ થાય છે. પરિવારમાં વલ્લભભાઈના બંને દીકરા તેમના બંને દીકરાની વહુ અને નાના બાળકોનો પણ સમાવેશ થાય છે..
વલ્લભભાઈની પત્નીનો આજથી ચાર વર્ષ પહેલાં જ અવસાન થઈ ચૂક્યું હતું, એક દિવસ વલ્લભભાઈ જ્યારે તેમના ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને એક જ્યોતિષ મળ્યા હતા અને આ જ્યોતિશે વલ્લભભાઈને જણાવ્યું કે, તેઓ પાસે ખૂબ જ ઉંડુ જ્ઞાન રહેલું છે. પરંતુ આ જ્ઞાનની ચકાસણી તેઓ અવારનવાર કરતા હોય છે..
એટલા માટે તેઓ વલ્લભભાઈને એક ખૂબ જ રહસ્યની વાત જણાવી રહ્યા છે, તેમ કહીને જ્યોતિષે વલ્લભભાઈને જણાવ્યું કે, તમારા ખેતરમાં રહેલા કુવાની નજીક અંદાજે પાંચ ફૂટ જેટલો ખાડો તમે ખોદશો તો અંદરથી તમને કુબેરનો ખજાનો મળશે અને તમારા પરિવાર માથે રહેલી અત્યારે તમામ આફતો ટળી જશે..
બસ એટલું સાંભળતાની સાથે જ વલ્લભભાઈને લાગ્યું કે, આ જ્યોતિષ તેમની સાથે મજાક મશ્કરી કરી રહ્યા છે, એટલા માટે તેઓ પોતાના ઘરે પરત આવી ગયા હતા અને તેઓએ ઘરે આવીને તેમના બંને દીકરાને પણ જણાવ્યું કે, રસ્તામાં મળેલા જ્યોતિષે તેમને આવી વાતચીત કહી હતી, શરૂઆતમાં તો કોઈ પણ વ્યક્તિએ સાચું માન્યું નહીં..
પરંતુ વલ્લભભાઈને મનની અંદર આ વહેમ રહી ગયો હતો, અને બીજા દિવસે તેઓ પોતાના ખેતરે ઉપાડી અને ત્યાં કુવાની બાજુમાં અંદાજે પાંચ ફૂટ જેટલો ખાડો ખોદયો તો અંદરથી એવી ચીજ વસ્તુઓ મળી આવી કે, જોતાની સાથે જ તેમના ડોળા ફાટેલા અને ફાટેલા રહી ગયા હતા..
આ ઉપરાંત તેમનો પરિવાર પણ રાજીનો રેડ થઈ ગયો હતો. આ ઘટનાને લઈને સમગ્ર પરિવાર મૂંઝવણમાં મુકાઈ ગયો કે, આખરે આ જ્યોતિષ કોણ હતા અને તેઓએ શા માટે તેમના પરિવારની એટલી બધી મદદ કરી દીધી છે, કારણ કે ખેતરના કુવાની પાસે અંદાજે પાંચ ફૂટ જેટલો ઊંડો ખાડો પોતાની સાથે જ અંદરથી વલ્લભભાઈના પરદાદાઓએ દાટેલો કુબેરનો ખજાનો મળી આવ્યો હતો..
આ ખજાનાની અંદર સોના-ચાંદીના સિક્કા માળા મોતી સહિતની ઘણી બધી ચીજ વસ્તુઓ મળી આવી હતી, ખજાનાને જોઈને પરિવાર તો રાજીનો રેડ થઈ ગયો હતો કારણ કે, છેલ્લા બે વર્ષથી આ પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ભાંગી પડી હતી અને આ ખજાનાને વેચીને તેવો ની સ્થિતિ સુધરી જશે અને તેઓ પોતાનું ઘરનું મકાન પણ ખરીદી લેશે તેવું વિચારવા લાગ્યા હતા..
આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી થતી નહીં. આ જ્યોતિષ હકીકતમાં કોણ હતા અને શા માટે તેઓ વલ્લભભાઈની મદદ કરીને જતા રહ્યા હતા, તેની કોઈ પણ માહિતી મળી નથી. જ્યારે આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરવામાં આવી કે, શું તમે કોઈ આવા જ્યોતિષને જોયા છે કે નહીં ત્યારે સૌ કોઈ લોકોએ કહી દીધું કે, અહીં કોઈ પણ પ્રકારના જ્યોતિષ આવ્યા નથી..
કેટલાક લોકો તો કહેવા લાગ્યા કે, નક્કી વલ્લભભાઈના દાદા આ જ્યોતિષનું સ્વરૂપ ધારણ કરીને તેમને આ વાતને કહેવા માટે અહીં આવી પહોંચ્યા હશે. આ ઘટનાને લઈને ગામના લોકો જુદી જુદી ચર્ચા વિચારણાઓ કરવા લાગે છે, પરંતુ સત્યની હકીકત કોઈપણ વ્યક્તિ સુધી હજુ પહોંચી નથી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]