Breaking News

‘જયારે છોકરો જણીશ ત્યારે જ ઘરમાં પગ મૂકજે’ કહીને મારફાડ સાસુ વહુને હેરાન કરતી, વહુએ મોડી રાત્રે ભરી લીધું એવું પગલું કે બધા જોતા જ રહી ગયા..!

પારિવારિક જીવનમાં સુખ અને દુઃખ તો આવતાને જતા રહે છે, જ્યારે સુખની ઘડી હોય ત્યારે દરેક લોકો સાથે ખૂબ જ હસી મજાક ભરયા સ્વાભાવ સાથે સરળ જીવન જીવી લેવું જોઈએ અને જ્યારે દુઃખની ઘડી હોય ત્યારે દરેક પરિવારે ભેગા મળીને ખૂબ જ હિંમત અને સાહસિકતાથી કામ લઈ આ દુઃખની ઘડીનો સામનો કરવો જોઈએ..

પરંતુ અત્યારે ઘરેલુ મામલાની અંદર અપમાન સહન ન થતા એક મહિલા એવું પગલું ભરી લીધું હતું કે, બધા જોતા ને જોતા રહી ગયા હતા. આ ઘટના પુનેશ્વર કોલોનીની છે. આ કોલોનીમાં ગૌરાંગભાઈ તેના પરિવાર સાથે રહે છે, ગૌરાંગભાઈ એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યા છે. જ્યારે તેમની પત્ની સંગીતાબેન ઘરકામ કરીને જીવન ગુજરતી હતી..

સંગીતા તેની બે દીકરીઓ તેમજ તેના સાસુ-સસરાને ખૂબ જ સારી રીતે સાચવણી કરતી હતી, છતાં પણ તેની સાથે ખૂબ જ માઠું વર્તન થઈ રહ્યું હતું આ બાબત વિશે તેણે તેના પતિ ગૌરાંગભાઈને ઘણી બધી વાર જણાવ્યું હતું કે, તેના સાસુ સસરા તેને ખોટી રીતે હેરાન પરેશાન કરી રહ્યા છે..

જે વસ્તુ તેના હાથમાં નથી તે વસ્તુ માંગીને તેને ખૂબ જ પજવણી કરે છે, સંગીતાએ તેના પતિ ગૌરાંગભાઈને થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે તમારી માતા વિમળાબેન રોજબરોજ મને છોકરાના જન્મ આપવાની બાબતને લઈને મારી સાથે લડાઈ ઝઘડો કરવા લાગે છે. આ ઉપરાંત લડાઈ ઝઘડામાં મારફાટ સાસુનો સાથ સહકાર તેના સસરા પણ આપી રહ્યા હતા..

ગૌરાંગભાઈ જણાવ્યું કે, આવનારા દિવસોમાં બધું જ સરખું થઈ જશે તેમ વિચારીને આ મહિલા તેની સાસુ-સસરાનું માઠુ સહન કરતી આવી હતી, એક દિવસ સવારના સમયે વિમળા બેને તેના દીકરા ગૌરાંગની પત્ની સંગીતાને જણાવ્યું કે, તું જ્યારે છોકરો જણીશ ત્યારે જ તારે આ ઘરની અંદર પગ મુકવાનો છે..

હવે તું આ ઘરની અંદરથી જઈ શકે છે અને આ શબ્દો સંગીતાથી સહન થયા નહીં અને તેણે એ જ રાત્રે પરિવારના દરેક સભ્યોને માટે ભોજન બનાવ્યું હતું, ત્યારબાદ સાથે ભોજન લીધું અને પરિવાર સુવા માટે ચાલ્યો ગયો ત્યારે સંગીતા એક બીજી રૂમમાં જઈને લટકીને આપઘાત કરી લીધો હતો..

ખૂબ જ વધારે સમય સુધી સંગીતાએ રૂમનો દરવાજો ન ખોલ્યો એટલા માટે પરિવારને શંકા ગઈ હતી, રૂમનો દરવાજો વારંવાર બાદ પણ સંગીતા દરવાજા ને ખોલતી ન હોવાથી રૂમનો દરવાજો તોડી નાખવામાં આવ્યો હતો અને અંદર પ્રવેશ કરતાની સાથે જ ગૌરાંગે જોઈ તો તેની પત્નીએ આપઘાત કરીને જીવન ટૂંકવી દીધું હતું..

એક બાજુ સંગીતાની બંને નાનકડી દીકરીઓ રડી રહી હતી તો બીજી બાજુ સંગીતા યાદ કરીને જીવન ટૂંકાવી દીધું હતું, આ દુઃખની આ ઘડીને ગૌરાંગભાઈ પણ જોઈ શક્યા નહીં અને તેઓ પણ ત્યાં જ ઢળી પડ્યા હતા. જ્યારે ખબર પડી કે સંગીતાએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે ત્યારે સંગીતાના માતા પિતા પણ તેનાથી તાત્કાલિક ધોરણે શહેરમાં દોડતા થઈ ગયા હતા..

સંગીતાને એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર માટે પણ લઈ જવામાં આવી પડે તો ત્યાં સુધીમાં તો ખૂબ જ મોડું થઈ ગયું અને તેનો જીવ પણ ચાલ્યો ગયો હતો, સંગીતાએ તેના રૂમની અંદર એક અંતિમ ચિઠ્ઠી લખી હતી. આ ચિઠ્ઠી ની અંદર તેણે જણાવ્યું હતું કે, તેના સાસુ અને તેના સસરા બંને તેને ખૂબ જ હેરાન પરેશાન કરતા હતા..

આ બાબતને લઈને તેણે ઘણી બધી વાર તેના પતિને પણ જાણકારી આપી છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં અને તેની સાસુના કડવા વેણ વચન તેના કાળજાની અંદર ચોંટી ગયા હતા, હવે તે આ અપમાનનું સહન કરી શકે નહીં એટલા માટે તે જીવ ગુમાવીને હંમેશા માટે પરિવારને શાંત કરી રહી છે..

જ્યારે અંતિમ ચિઠ્ઠીમાં લખેલા આ શબ્દોને પરિવારના સભ્યોની સાથે સાથે સંગીતાના માતા પિતાએ પણ સાંભળ્યા ત્યારે તેમના પણ હોશ છૂટી ગયા હતા કે, બિચારી સંગીતાએ કેટલું સહન કર્યું છતાં પણ તેના સાસુ અને સસરા તેને હેરાનગતિ કરવામાં કોઈ કસર બાકી મૂકી નહીં. હકીકતમાં સંગીતાના જ્યારથી લગ્ન થયા ત્યારથી જ સંગીતાને તેની સાસુ વિમળાબેન કહેતી કે..

તારે એક દીકરાને જન્મ આપવાનો છે, પરંતુ સંગીતાએ ઉપરા ઉપરી બે વખત દીકરીને જન્મ આપ્યો હતો, સંગીતા અવાર નવાર તેના સાસુ-સસરાને કહેતી કે તેને દીકરો જન્મ્સે કે દીકરી તેનો આધાર તેના ઉપર નથી, આ સાથે સાથે તે આ બાબતમાં કશું કરી શકતી નથી. કુદરતની જે ઈચ્છા છે તે ને સંગીતા પોતાના ખોળે જન્મ આપશે..

પરંતુ આ બાબત મારફાટ સાસુ વિમળાબેન સમજી શક્યા નહીં અને પોતાના જ દીકરાની વહુ ને હેરાન પરેશાન કરવાનું શરૂ રાખ્યું એમાં એક દિવસ સંગીતાએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું, આ ઘટના ખૂબ જ ચોંકાવનારી ઘટના સાબિત થઈ છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *