જ્યારે કોઈ વ્યક્તિ બીમારીથી પીડાઈ રહ્યો હોય ત્યારે તાત્કાલિક ધોરણે દવાખાને હાજર થઈને તેની સારવાર કરાવી લેવી જોઈએ અને ડોક્ટરની સલાહ મુજબ આપણા શરીરનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, પરંતુ અત્યારે કેટલાક લોકો ઘરેલુ ઉપચારમાં જ મથામણ કરીને જે તે વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરી નાખે છે..
અને અંતે એવડું મોટું પરિણામ સહન કરવાનો વારો આવી જતો હોય છે કે, જે સહન કરવું કોઈ પણ વ્યક્તિ માટે સહેલું હોતું નથી. હાલ એક દીકરીને મોઢામાંથી બરાડા ફાટી જાય એવો પેટનો દુખાવો થવા લાગ્યો હતો. તે છેલ્લા 15 દિવસથી તેના પરિવારજનોને કહેતી કે તેને પેટમાં અતિશય દુખાવો થઈ રહ્યો છે..
અને આ દુખાવાને કારણે તેને શરીરમાં તાવ પણ ચડી જતો હતો. આવા સમયે તેને હોસ્પિટલમાં દાખલ કરવાની બદલે આ જુવાન દીકરીના દાદા અને તેના નાના બંને ભેગા મળીને એવું કારનામુ કરી નાખ્યું છે કે, બિચારી દીકરીની હાલત ગંભીર થઈ ગઈ હતી અને જીવ જતા જતા બચી ગયો છે..
આ ઘટના સુરજ ગામની છે. બદની પાસે આવેલા ગામડામાં 18 વર્ષની નિશાને છેલ્લા 15 દિવસથી પેટમાં અસહ્ય દુખાવો થતો હતો. આ દુખાવો અચાનક જ થઈ જતો હોવાથી તેને પેટ પકડીને નીચે બેસી જવું પડતું હતું. તે થોડા સમય સુધી તો આ દુખાવો સહન કરી લેતી પરંતુ જ્યારે દુખાવો સહન થવાનું બંધ થતું ત્યારે તે જોર જોરથી બૂમોબૂમ કરવા લાગતી હતી..
બાળકીની માતાએ તેના ઘરના વડીલોને જણાવ્યું કે, તેમની દીકરીને દુખાવો થઈ રહ્યો છે. ત્યારે નિશાના નાના અને નિશાના દાદા બંને ભેગા મળીને કહ્યું કે, આ દીકરીને ડામ આપવું પડશે, ડામ આપવાની સાથે જ તેને તમામ દુખાવો ચાલ્યો જશે, પહેલાના સમયમાં ઘણી બધી વાર નાના બાળકોને પણ આ ડામ આપી દેવામાં આવતો હતો..
તેવો વિચારતા કે, જો ગરમાગરમ ચીજ વસ્તુઓનો ડામ લગાડી દેવામાં આવે તો આ ડામનો દુખાવો જે વ્યક્તિ સહન કરી જાય તો તેને અન્ય દુખાવો આરામથી સહન થઈ જતો હોય છે. પરંતુ તેના સમયમાં ડામ જેવી ચીજ વસ્તુઓ પર વિશ્વાસ કરવાની બદલે હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ આ બંને વડીલોએ નિશાને ડામ આપી દેતા જ શરીરમાં લોહીનું હલનચલન બંધ થઈ ગયું હતું..
અને તે આ દુઃખને સહન કરી શકી નહીં તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલે પણ પહોંચાડવામાં આવી હતી. જ્યાં તેની હાલત ખૂબ જ ગંભીર છે. જ્યારે આ ઘટનાની જાણકારી તેમના આસપાસના પડોશના લોકોને થઈ ત્યારે તેઓએ પણ આ બંને વ્યક્તિ ઉપર આરોગ લગાવવાના શરૂ કરી દીધા કે, આ વડીલોની વાતચીત માનવી જોઈએ નહીં..
અને આ દીકરીને જુઓ તેમનો પરિવાર શાળા માટે હોસ્પિટલે લઈ ગયો હતો, બિચારી આ દીકરી હેરાન ન થાય તો પરંતુ પરિવારે કરેલું ઉપચાર કરવાના બહાને આ દીકરીને ડામ આપી દીધો હતો. અત્યારના સમયમાં ક્યારેય આવી ઘરેલા નુસખાઓ અપનાવવા જોઈએ નહી અને તાત્કાલિક દવાખાને દોડતું થવું જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]