રોજબરોજ અજાણતા એવી ઘણી બધી ઘટના બની જતી હોય છે કે, એ ઘટના બન્યા બાદ સૌ કોઈ લોકોને ધરાઈ ધરાઈને પસ્તાવો થાય છે. કે કદાચ એ વખતે ધ્યાન રાખવામાં આવ્યું હોય તો અથવા તો સાવચેત કરવામાં આવ્યા હોત તો આજે આ ઘટનાનો માર સહન કરવાનો વારો આવેત નહીં..
પરંતુ એક વખત ઘટના ઘટી ગયા બાદ તેને કોઈપણ વ્યક્તિ બચાવી શકતું નથી. અત્યારે એક દીકરી સાથે ભૂલથી ખૂબ જ ચોંકાવનારી ઘટના બની ગઈ છે. જેના કારણે તેનો જીવ પણ જતો રહ્યો છે. ઘણી બધી વાર કોઈ કાર્ય કરતી વખતે વ્યક્તિનું મન એક જગ્યાએ સ્થિર રહેતું નથી અને કામની અંદર હંમેશા દખલગીરીનો સામનો કરવો પડતો હોય છે..
કંઈક આવો જ એક બનાવો ચંદ્રિકા નગર સોસાયટીની અંદર રહેતા જીતેશભાઈની એકની એક જુવાન જોધ દીકરી નિરાલી સાથે બન્યો હતો. નિરાલી છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ ભયંકર રીતે ખાંસી ખાઈ રહી હતી. ખાંસીની આ બીમારીને કારણે તેણે દવાખાનેથી દવા પણ લીધી હતી..
પરંતુ આ દવા ઘરની અંદર ગમે ત્યાં પડેલી હોવાને કારણે એક વખત તેણે ખાંસીની દવાને બદલે ત્યાં બાજુમાં પડેલી મચ્છર, કીડી અને વાંદા મારવાની દવાના ઘૂંટડા પીઈ લીધા હતા. આ દવા પિતાની સાથે તેના આંતરડા ફાટી ગયા અને ત્યાં ને ત્યાં જ તે નીચે ઢળી પડી હતી. અને તેના મોઢામાંથી સફેદ કલરના ફીણ પણ નીકળી ગયા હતા..
તેણે પીધેલી આ ઝેરી દવાની અસર તાત્કાલિક ધોરણે તેના શરીરમાં શરૂ થઈ જવાને કારણે તેનું મૃત્યુ થઈ ગયું હતું. તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પણ લઈ જવામાં આવી પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે પણ જણાવી દીધું કે, નિરાલીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આ સમાચાર સાંભળતા જ પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો હતો..
ચારેકોર રોકકળ મચી ગઈ હતી. નિરાલીના માતા પિતા તો દુઃખની આ ઘડી સહન કરી શક્યા નહીં અને તેઓ પણ નીચે ઢળી પડ્યા હતા નિરાલીની માતા તો જોર જોરથી રડવા લાગી હતી. કારણ કે તેમને સંતાનમાં માત્ર એક જ દીકરી હતી અને એ દીકરીનું પણ મૃત્યુ થઈ જતા હવે પતિ અને પત્ની બંને ને એકલવાયું જીવન જીવવાનો વારો આવી ગયો છે..
તેમના પરિવારજનો એટલા બધા ઊંડા શોકના આઘાતમાં ચાલ્યા ગયા હતા કે, તેમને સાંભળવા માટે આસપાસના પડોશીઓ પણ તેમની વાહરે આવી ગયા હતા. એક નાની અમથી ભૂલને કારણે આજે આ દીકરીનો જીવ ગયો હતો. થોડા સમય પહેલા પણ એક એવી જ ઘટના સામે આવી હતી કે જેમાં રસોડાની અંદર માત્ર પાંચ વર્ષનો એક નાનકડો દીકરો રમી રહ્યો હતો..
અને રમતા રમતા તેણે ફિનાઈલની બોટલના ઘૂંટડા પીઈ લીધા હતા અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે ઘરની અંદર સૌ કોઈ લોકોએ સાવચેત રહેવાની ખૂબ જ જરૂરિયાતો ઊભી થઈ જતી હોય તેવું સૌ કોઈ લોકો કહેવા લાગ્યા છે. દિન પ્રતિ દિન દરેક ચીજ વસ્તુઓમાં પૂરતું મન લગાવીને કાર્ય કરવું જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]