જ્યાં સુધી બાળકોને દરેક બાબતોની સમજણ ન આવે ત્યાં સુધી માતા પિતા હર હમેશા તેમના બાળકો ઉપર નજર રાખતા હોય છે, બાળકોની ઉંમર અંદાજે 18 વર્ષથી ઉપરની થઈ જાય ત્યારબાદ થી તેના માતા-પિતા તેમના બાળકો ઉપર એટલું બધું ધ્યાન આપતા નથી. પરંતુ અત્યારના સમયમાં બાળકો ન કરવાના કારનામાઓ પણ કરી બેસવા લાગ્યા છે..
જેને લઇ દરેક માતા પિતાએ હર હંમેશા પોતાના બાળકો સમગ્ર દિવસ દરમિયાન કયા કાર્ય કરે છે, તેના પર હંમેશા દેખરેખ રાખવી જોઈએ અત્યારે જુવાન ઉંમરની બે દીકરીઓ ઘરેથી પૈસા લઈને નીકળી પડી હતી. આ ઘટનાની સાથે તેના માતા પિતાનો જીવ તાળવે ચોંટી ગયો હતો, આ કિસ્સો સામે આવ્યા બાદ દરેક મા-બાપે તેમના બાળકોનું ખાસ ધ્યાન રાખવું પડશે..
આ બનાવ કિંજલ પાર્ક વિસ્તારનો છે, અહીં લાલજીભાઈ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમની બે જુવાનજોધ દીકરીઓ તેમજ એક નાના દીકરા અને તેમની પત્ની નો સમાવેશ થાય છે, લાલજીભાઈ અને તેમની પત્ની રીટાબેને ખૂબ જ લાડ પ્રેમથી તેમની બંને દીકરી પ્રીતિ અને રીન્કીને પાલનપોષણ કરીને મોટી કરી હતી..
આ બંને દીકરીઓ ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કરીને હવે કોલેજના અભ્યાસમાં પ્રવેશી ચૂકી છે, જ્યારે લાલજીભાઈનો નાનકડો દીકરો સુમિત ધોરણ છ માં અભ્યાસ કરે છે, આ બંને જુવાનજોધ દીકરીઓએ તેમના માતા-પિતા માથે ખૂબ જ મોટી આફત નાખી દીધી હતી, આ બંને દીકરીઓ છેલ્લા ત્રણ મહિનાથી તેના માતા પિતાને હરવા ફરવા જવા માટે કહેતી હતી..
તે તેના માતા પિતાને જણાવતી કે, તેઓ ફરવા જવા માંગે છે એને એટલા માટે તેમને રૂપિયાની ખાસ જરૂર છે. પરંતુ લાલજીભાઈએ તેમની બંને દીકરીને સમજાવતા જણાવ્યું હતું કે, આટલી નાની ઉંમરની અંદર માતા-પિતા વગર ક્યારેય પણ ઘરની બહાર પગ મૂકવો જોઈએ નહીં..
અને તમે લોકો ફરવા જવાની વાત કરી રહ્યા છો, જે બિલકુલ બકવાસ છે, તેમ કહીને આ બંને દીકરીની વાત તેના પિતા લાલજીભાઈ નકારી કાઢી હતી, તેમને એવી તો શી ખબર કે, તેમની બંને દીકરીઓ એક દિવસ તેમને રખડતા કરી દેશે અને હાલ એવી જ ઘટના બની ચૂકી છે, સવારના સમયે લાલજીભાઈના કબાટના લોકરમાંથી 70,000 લઈ તેમની બંને દીકરીઓ ઘરેથી નીકળી પડી હતી..
અને ત્યારબાદ તે ક્યાં ગઈ છે, તેનો કોઈ પણ અતો પતો ન મળતા માતા પિતાનો જીવ તાળવે ચોંટી ગયો હતો, તેઓ તેમની બંને દીકરીને લઈને શોધખોળ કરવા લાગ્યા હતા. અંદાજે સાંજના આઠ વાગ્યે આસપાસ તેમને માહિતી મળી ગઈ તેમની બંને દીકરીઓ ટ્રેન પકડીને મુંબઈ જવા માટે નીકળી પડી છે..
તેમની પાસે કોઈ પણ મોબાઈલ ફોન પણ નથી, માત્ર તેઓ ઘરેથી તિજોરીમાં પડેલા 70 હજાર રૂપિયા રોકડા લઈને નીકળી ચૂકી છે, તેઓ કઈ હાલતમાં હશે અને કઈ જગ્યા પર અત્યારે હશે તેની કોઈ પણ જાણકારી હજુ સુધી મળી આવી નથી, આ ઘટનાને લઈને આ બંને મા બાપનો જીવ અધ્ધર થઈ ગયો હતો..
તેઓ તરત જ નજીકના પોલીસ સ્ટેશનને પહોંચી અને તેમની બંને બાળકીઓને શોધખોળ કરવા માટે જણાવ્યું હતું. સાંજના 10:00 વાગ્યે આસપાસ આ દીકરી હોય તેના મા બાપને ફોન કરીને જણાવ્યું હતું કે, તેઓ મુંબઈ ફરવા માટે આવ્યા છે. તેમની સાથે ભણતા અન્ય કેટલાક વિદ્યાર્થીઓ પણ હંમેશા એકલવાયા ફરવા માટે જતા હોય છે..
એટલા માટે તેમને પણ ફરવા જવાની ઈચ્છા થઈ ગઈ હતી, પરંતુ તેમના માતા પિતાએ તેમને ફરવા જવાની ના પાડી એટલા માટે આ બંને દીકરીઓ પોતાની જાતે જ ઘરેથી નીકળી પડી હતી. માતા-પિતામાંથી કોઈ પણ વ્યક્તિને આ ઘટના વિશે જણાવ્યા વગર નીકળી પડતાં મા બાપ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા..
તરત જ લાલજીભાઈ અને તેમની પત્ની રીટાબેન તેમની બંને દીકરીઓને લેવા માટે મુંબઈ તરફ નીકળી પડ્યા હતા, જ્યારે જ્યારે આપણે આવી ઘટનાઓ સાંભળીએ છીએ ત્યારે આપણું મગજ પણ કામ કરતું બંધ થઈ જતું હોય છે કે, આવનારા સમયની અંદર જુઓ મા બાપ તેમના દીકરા કે દીકરીઓનું ધ્યાન રાખશે નહીં તો ખૂબ જ મોટી મુશ્કેલીઓ પણ સહન કરવી પડશે..
આ ઘટનાને લઈને ચર્ચા મચી જવા પામ્યો હતો, દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સાબિત થઈ ચૂક્યો છે, અત્યારના જુવાન ઉંમરના બાળકોને હંમેશા એકબીજા વ્યક્તિઓની ચીજ વસ્તુઓ કે તેમના હરવા ફરવાની બાબતો જોઈને પોતાને પણ એ કામકાજ કરવાની ઈચ્છા થઈ જતી હોય છે, એ અનુસાર તેઓ માતા-પિતાની મંજૂરી કે માન સન્માન રાખ્યા વગર ઘરેથી નીકળી પડે છે. આ પ્રકારનો આ ચોથો કિસ્સો સર્જાતા હવે દરેક માતા-પિતા આંખો ફાડી ગયા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]