નાના બાળકો મોટા વ્યક્તિઓ અને પરિવારના લોકોને જોઈને દરેક રમત અને કોઈપણ કામ કરતા શીખે છે. નાના બાળકોને બીજાની નકલ કરવી ખૂબ જ ગમતી હોય છે. આજની યુવાન પેઢી બીજા લોકોના ગેરકાનુંની કામો જોઈને પોતે પણ આવા કામો કરી રહ્યા છે. જેના કારણે તેમના પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે.
ક્યારેક પરિવારના લોકોને પોતાના બાળકોને ગુમાવવાનો વારો આવે છે. આવી જ એક કરુણ ઘટના હાલમાં નાલંદામાં બની હતી. નાલંદાના બિહાર શરીફના મહાલપર વિસ્તારમાં રહેતા પરિવારના દીકરાએ પોતાની સાથે જીવલેણ ઘટના કરી નાખી અને જે જોઈને સૌ લોકોના હૃદય ધ્રુજી ગયા હતા.
પરિવારમાં રહેતા રાજેશ પ્રસાદ પોતાના પરિવાર સાથે રહે છે. તેમને સંતાનમાં એક દીકરો હતો. દીકરાનું નામ નિખિલકુમાર રાજેશ પ્રસાદ હતું. નિખિલની ઉંમર 17 વર્ષની હતી. નિખિલ ખૂબ જ અવળા રસ્તે ચડી ગયો હતો. પોતાના માતા-પિતાના સંસ્કારોને ભૂલીને તે પોતાના મિત્રના સંગતમાં આવીને નશાના રવાડે ચડી ગયો હતો.
દરરોજ નશો કરતો હોવાને કારણે તેને નશાની આદત બની ગઈ હતી. નિખિલને 12 વર્ષની ઉંમરથી નશો કરવાની આદત પડી ગઈ હતી. તે અવારનવાર નશીલા પદાર્થોનું સેવન કરતો જેના કારણે તેમના પરિવારના લોકોએ નિખિલને પટનામાં આવેલા વ્યસન મુક્તિ કેન્દ્રમાં પણ મોકલ્યો હતો પરંતુ ત્યાંથી નિખિલ ભાગીને ઘરે આવતો રહ્યો હતો.
નસાની આદત છુટતી ન હતી અને તે બહારથી નશો કરીને ઘરે આવતો પરંતુ ઘરના તમામ લોકો નિખીલને નશાથી દૂર કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ નિખિલ ખૂબ જ નશાબંધી થઈ ગયો હતો, જેના કારણે તે પોતાનું ભણતર પણ બગાડી રહ્યો હતો અને પોતાની જિંદગીને પણ ખરાબ કરી રહ્યો હતો.
નિખિલનું આ વર્તન જોઈને તેમના માતા-પિતા ખૂબ જ ચિંતામાં રહેતા હતા. જેના કારણે માતા-પિતાએ ફરી તેને વ્યસન મુક્તિ કેન્દ્રમાં મોકલ્યો હતો. નિખિલને ત્રણ મહિના આ કેન્દ્રમાં રાખવામાં આવ્યો છતાં નિખિલને નિશાની આદત છુટ્ટી ન હતી, જેના કારણે તે બીમાર પડી ગયો હોવાને કારણે પરિવારના લોકો ત્રણ મહિના પહેલા જ તેને ઘરે લાવ્યા હતા.
ઘરે લાવ્યા બાદ એક દિવસ તે પોતાના મિત્રો સાથે બહાર ગયો અને બહારથી રખડતો રખડતો ઘરે આવ્યો હતો. તે ખૂબ જ નશો કરીને ઘરમાં આવ્યો હોવાને કારણે ઘરના ઘણા લોકો તેમને ખૂબ જ ખીજાયા હતા. જેના કારણે નીખીલ પોતાના રૂમમાં જતો રહ્યો હતો. પોતાના રૂમમાં જઈને નિખિલે એવું કર્યું કે પરિવારના લોકો રૂમમાં દોડવા લાગ્યા હતા.
નિખિલ રમવા ગયો અને અચાનક જ એવો ધડાકેદાર અવાજ આવ્યો જે સાંભળીને પરિવારના લોકો ધ્રુજી ગયા હતા. જપકીને ભાગેલા પરિવારના લોકોએ નિખિલના રૂમમાં જઈને નિખિલના દરવાજો ખખડાવ્યો પરંતુ નિખિલે દરવાજો ખોલ્યો નહીં જેના કારણે પરિવારના લોકોએ દરવાજો તોડીને અંદર જઈને જોયું તો નિખિલ જે હાલતમાં પડેલો હતો.
તે જોઈને તેની માતા ત્યાંને ત્યાં જ ઢળી પડી હતી. ત્યારબાદ આસપાસના લોકો પણ નિખિલના ઘરે આ ધડાકેદાર અવાજ સાંભળીને આવી ગયા હતા. નિખિલ પાડોશીના લોકોએ જોયું તો નિખિલ લોહીથી લથપથ હાલતમાં જમીન પર પડેલો જોવા મળ્યો હતો. નિખિલના એક હાથમાં બંધુક હતી અને નિખીલે પોતાના જ માથામાં ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.
અને નિખિલે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ જોઈને પરિવારના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. પરિવારના લોકોએ બિહાર પોલીસ સ્ટેશનને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ તપાસને હાથ ધરી હતી અને નિખિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.
નિખિલના રૂમમાંથી ઘણી બધી નશીલા પદાર્થોની કોથળીઓ પણ મળી આવી હતી. એક બાળક નાની ઉંમરમાં આવા રવાડે ચડી જતા તેણે પોતાનો જીવ ગુમાવાનો વારો આવ્યો હતો. જેના કારણે માતા-પિતાએ પોતાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]