આપણી આસપાસના વિસ્તારોમાં સવારથી સાંજ સુધીમાં ઘણા બધા હોંશ ઉડાવી દેતા બનાવો સામે આવી રહ્યા છે. લોકોને ક્યારેય વિચાર્ય ન હોય તેવા સપનાઓ આવી રહ્યા હોય છે પરંતુ આ સપનાઓને કારણે ચોકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. આવી એક ઘટના જુનાગઢના નરસિંહ મહેતા સરોવરમાં બની હતી.
સરોવરના પાછળના ભાગમાં એક દિવસ ખોદકામ કરતા એવી વસ્તુ મળી આવી હતી. જે જોઈને સ્થાનિક લોકોના મોઢા ફાટી ગયા હતા અને તેઓના હાથ-પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. જૂનાગઢમાં કેશોદ વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ દવેએ એવું સપનું જોયું હતું કે, ‘સરોવરમાં હનુમાનજી દાદાની મૂર્તિ રહેલી છે’.
ભક્તને હનુમાનજી દાદા દરરોજ સાંજે દર્શન આપતા હતા. હનુમાનજી દાદાને આવવું છે તેમ કહેતા હતા. અશ્વિનભાઈને ત્રણ મહિનાથી હનુમાનજી દાદા સપનામાં આવતા હતા. અશ્વિનભાઈએ પોતાના મિત્ર અતુલભાઇને આ વાત જણાવી હતી. દરેક લોકોને વાત જણાવીન પરંતુ અશ્વિનભાઈની આ વાત કોઈ માની રહ્યું ન હતું.
એક દિવસ અશ્વિનભાઈની વાત માનીને નરસિંહ મહેતા સરોવર પાસે આવેલી જલારામ સોસાયટી પાસે જેસીબીની મદદથી કામ ચાલુ કર્યું હતું. તે સમયે અશ્વિનભાઈના કહેવા પ્રમાણે આ જગ્યા પર ખોદકામ કરવામાં આવ્યું હતું અને કામ કરતા સમયે જમીનમાં કોઈ કેસરી વસ્તુ દેખાતી હતી. જોયું તો સાચુંમાં મૂર્તિ મળી આવી હતી.
3 ફૂટની હનુમાનજીની મૂર્તિ મળી આવતા આસપાસ ઉભેલા દરેક લોકોના આંખના ડોળા નીકળી ગયા હતા અને દરેક લોકો હાથ જોડીને ભગવાનને પગે લાગવા લાગ્યા હતા. દરેક લોકો દર્શન કરી રહ્યા હતા અને સાક્ષાત ભગવાને સ્થાનિક લોકોને દર્શન આપ્યા છે તેમ લોકો માની રહ્યા હતા. આ હનુમાનજી દાદાની મૂર્તિને ‘પ્રગટેશ્વર હનુમાન’ નામ આપવામાં આવ્યું હતું.
શહેરમાં ઝડપથી આ વાત ફેલાઈ રહી હતી. દરેક લોકોને નરસિંહ મહેતા સરોવરમાંથી હનુમાનજી મૂર્તિ મળી આવી છે તેમ વાતની જાણતા દરેક લોકો દર્શન માટે પહોંચ્યા હતા. પ્રગટેશ્વર હનુમાનજીના દર્શન કરવા માટે દરેક ભક્તોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. અચાનક જ ભગવાને દર્શન આપ્યા હોવાને કારણે લોકો પોતાને ધન્ય માની રહ્યા હતા.
અને હવે દરેક લોકોની મુશ્કેલીઓ દૂર થશે તેમ વિચારી રહ્યા હતા. સાક્ષાત હનુમાનજીના દર્શન થયા હોવાને કારણે ભક્તો પોતાનું ભાન ભૂલી ગયા હતા. આવા બનાવો સામે આવતા દરેક લોકોના હોશ ઉડી ગયા હતા. હનુમાનજીના દર્શન કરીને લોકોએ મંદિર બનાવવાનું વિચાર્યું હતું. હનુંમાનજી દાદાની પૂજા કરવામાં આવી હતી…
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]