આધુનિક યુગ ઓનલાઇનનો બની ગયો છે, લોકો ઓનલાઈન સાઈટ પરથી પોતાની જરૂરી ચીજ વસ્તુઓ મંગાવી રહ્યા છે અને તેઓ ઘરે બેઠા વસ્તુ પહોંચી જાય તેવું પસંદ કરી રહ્યા છે. જેને કારણે ઓનલાઇન સાઈટ પર ચીજ વસ્તુઓની ખૂબ જ વધુ ખરીદી કરી રહ્યા છે, જેને કારણે બનેલી ઘટના હાલમાં સામે આવી હતી.
આ ઘટના જાણીને દરેક લોકો ચોકી ગયા છે. ઓનલાઇન સાઇટ પર બ્રાન્ડેડ કંપનીનું ઘીનું વેચાણ થઈ રહ્યું હતું. આ ઘટના કુડસદ ગામમાં બની હતી. કુડસદ ગામમાં આવેલા તબેલામાં આ ઘી બનાવવામાં આવતું હતું. કુડસદ ગામની સીમમાં ભાજીથી મંદિરની સામેની બાજુ પર તબેલો ચલાવવામાં આવતો હતો.
આ તબેલો મેહુલ ગોપાલભાઈ ચલાવી રહ્યા હતા. તેઓ તબેલાની આડમાં ફેક્ટરીમાં ઘી બનાવી રહ્યા હતા. તેઓ તબેલામાં ઘણી બધી ગાયો અને ભેંસો રાખતા હતા. જેને કારણે દૂધ, દહીં, છાશ તેમજ ધીનું વેચાણ કરીને સારી એવો નફો કરી રહ્યા હતા. તેઓએ ઓનલાઇન ચીજ વસ્તુઓનું વેચાણ પણ ચાલુ કર્યું હતું.
અને તેમણે ઓનલાઇનમાં બ્રાન્ડેડ કંપનીનું ઘીનું વેચાણ કર્યું હતું. તે કંપનીનું નામ કામધેનું શુદ્ધ ઘી આપ્યું હતું પરંતુ એક દિવસ કીમ પોલીસને બાતમી મળી હતી. જેને કારણે બાતમી મળતા જ પોલીસ કુડસદ ગામની સીમમાં આવેલા તબેલામાં રેડ પાડવા માટે પહોંચી ગઈ હતી. રેડ પાડતા સમયે દરેક ચીજ વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
જેમાં ઘીમાં ભેળસેળ હોવાનું જાણવા મળ્યું હતું. ઘીમાં પામોલીન તેલ અને વનસ્પતિ ઘીની ભેળસેળ જોવા મળી હતી. મેહુલભાઈ ઘણા સમયથી બજારમાંથી પામોલીન તેલ લાવીને શુદ્ધ ઘીમાં ભેળસેળ કરતા હતા અને તેની સાથે વનસ્પતિ ઘી પણ ઉમેરતા હતા. બાદમાં ઘી ચોખ્ખું દેખાય તે માટે કલર પણ ઉમેરીને તેને ગરમ કરીને પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરતા હતા.
ડબા પર કામધેનુ ફાર્મ શુદ્ધ દેશી ઘીના સ્ટીકરનું પેકિંગ કરીને માર્કેટમાં વેચાણ કરતા હતા જેને કારણે ઓનલાઇન ખરીદી કરતા લોકોને છેતરવામાં આવતા હતા. લોકો પાસેથી હલકી ગુણવત્તાનો માલ વેચીને ડબલ પૈસા લેવામાં આવતા હતા. જેને કારણે પોલીસે 14.37 લાખથી વધુ મુદ્દામાલ કબજે કર્યો હતો અને દરેક લોકોને ચેતવી દીધા હતા.
જો તમે પણ આ ઘીનો ઉપયોગ કરી રહ્યા હોય તો ચેતી જજો અને દરેક જાણકારી મેળવીને જ દરેક વસ્તુઓની ખરીદી કરવી જોઈએ. ભેળસેળવાળું ઘી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા. આવું ઘી ખાતા જ અનેક બીમારીનો લોકો ભોગ બની જાય છે જેથી લોકોએ ચેતીને રહેવું જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]