આજકાલ રાજ્યમાં અવારનવાર એવી ઘટનાઓ બનતી હોય છે કે જે જાણીને સૌ કોઈ લોકો ખુબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં તો લોકો વિચારવા પર મજબુર બને છે કે શું આ લોકોને કોઈ લાજ શરમ નથી કે શું? હાલ એવો જ એક શરમજનક કિસ્સો જનપદની આઝાદ નગર કોલોનીમાંથી સામે આવ્યો છે..
અહી અનિલ કુમાર નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે. અનિલ કુમારના પરિવારમાં એક દીકરી અને એક દીકરો હતો. તેમના ઘરથી થોડે દૂર જ શામલી જનપદમાં તેમનો સાળો રેહતો હતા. તેમને એક દીકરો હતો. અનિલ કુમારની દીકરી અને તેમની અવાર નવાર તેમના સાળાના ઘરે રેહવા માટે જતા હતા તેમજ રોજ બરોજ ત્યાંથી જ અવર જવર રેહતી હતી..
અનીલકુમારની દીકરી ધીમે ધીમે તેના મામા ના દીકરા સાથે ખુબ જ સારા સબંધમાં આવતી જતી હતી, કોઈ પણ મુશ્કેલી પડે કે તે તરત જ તેના ભાઈ એટલે કે મામા ના છોકરાને મદદ માટે બોલાવતી હતી. તેઓ સાથે જ પીચર જોવા અને હરવા ફરવા જતા હતા. અને તેમની વચ્ચે ઘણા સમયથી વાતચિત ચાલી રહી હતી.
તેમજ તેઓ પોતાના પરિવારજનોથી છુપાઈને ઘણીવારો બહાર મળતા હતા. તે બંને વચ્ચે ધીમે ધીમે પ્રેમ વધી રહ્યો હતો. જેથી તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ આ બાબત ઘરે પરિવારજનોને કહી શકાય તેમ ન હતી. તેથી થોડા દિવસો પહેલા તેઓ ઘર છોડીને ભાગી ગયા હતા.
ત્યારબાદ તે બંને પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેમણે કોર્ટમાં તેમના લગ્નની પુષ્ટિ કરીને તંત્ર સામે પોતાની સુરક્ષાની માંગણી કરી હતી. આ સંબંધની જાણ તેમના પરિવારજનોને થતા તેઓ ખૂબ જ ગુસ્સે થયા હતા. એ દીકરી ના પિતાએ તો તેની સાથે પોતાના દરેક સંબંધ પણ તોડી નાખ્યા અને પોતાની દીકરી ને મૃત માનીને તેનું શ્રાદ્ધ પણ કરી નાખ્યું હતું.
તે બંનેના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવી હતી. તેમજ વહેલામાં વહેલી તકે તે બંનેને શોધીને ઘરે પાછા લાવવા માટે તમામ પ્રયાસો શરૂ કર્યા હતા. તેમના પરિવાર જનો એ જણાવ્યું કે તે બંને મામા ફુઆના સંબંધથી ભાઈ બહેન થાય છે. પરંતુ તે બંને એ એકબીજા સાથે લગ્ન કરીને પરિવારનાં દરેક સભ્યોને શરમ આવે તેવું કાર્ય કર્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]