Breaking News

જીજાજીના મોત બાદ બેસણાના કાર્યક્રમમાં ખુદ જીજાજી સામેથી ચાલીને આવતા ભલભલાના ટાંટિયા ધ્રુજી થર-થર ધ્રુજી ગયા, હકીકત જાણીને ઉડી જશે હોશ..!

ભલભલા લોકોને માથા પકડીને વિચારો પર મજબૂર કરી દે તે પ્રકારનો એક કિસ્સો અત્યારે ઉત્તર પ્રદેશના રમણનગર વિસ્તારમાંથી સામે આવી ગયો છે. અહીંયા અશોક નામનો યુવક તેના પરિવાર સાથે રાજી ખુશીથી જીવન જીવતો હતો. એક દિવસ અચાનક જ તેની તબિયત બગડવા લાગી હતી.

જ્યારે તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરે જણાવ્યું કે, અશોકના શરીરમાં લોહીના કણ ઘટી રહ્યા છે. તેને દાખલ પણ કરવામાં આવ્યો. પરંતુ ત્રણથી ચાર દિવસ સુધી તેને શરીરમાં કોઈ પણ પ્રકારની રિકવરી ન દેખાતા ડોક્ટરે તેમના પરિવારજનોને ઘરે જવા માટે જણાવ્યું હતું અને કહ્યું કે અશોકની સારવાર vip વોર્ડની અંદર ચાલી રહી છે..

તેનું ધ્યાન રાખવા માટે પરિવારને કોઈ પણ સભ્યને પોતાનો સમય આપવો જરૂરી નથી. તમે ઘરે જઈ શકો છો. ડોક્ટરની વાતચીત માનીને પરિવારના દરેક સભ્યો ઘરે ચાલ્યા ગયા અને બે દિવસ બાદ અચાનક જ રાત્રિના સમયે ડોક્ટરનો ફોન આવ્યો કે, અશોકનું મૃત્યુ થઈ ગયું છે. તેવો અશોકને બચાવી શક્યા નહીં તેનું તેમને ખૂબ જ વધારે દુઃખ છે..

અને તેઓ કાર મારફતે અશોકની બોડીને ઘર સુધી મોકલાવી રહ્યા છે. જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે પરિવારના સૌ સભ્યો ખૂબ જ દુઃખની લાગણીમાં ચાલ્યા ગયા હતા. તેઓએ અશોકના અંતિમ સંસ્કારની કામગીરી પણ શરૂ કરી દીધી અને અશોકના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા…

પરિવારના કોઈ પણ સભ્ય છેલ્લી વખત અશોકનું મોઢું પણ જોઈ શક્યા નહીં, અને તેના અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવ્યા હતા. સમગ્ર પરિવાર ખૂબ જ દુઃખી હતો અને તેની શોકસભાની વિધિ પણ શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં આસપાસમાં રહેતા લોકો તેમજ સગા સંબંધી વહાલા કુટુંબીજનો સૌ કોઈ લોકો પરિવારજનોને સાંતવના પાઠવવા માટે આવી પહોંચ્યા હતા..

અને એ વખતે જ એવો બનાવ બની ગયો હતો કે, તે જોઈને ત્યાં ઉભેલા લોકોના ટાંટિયા થર-થર ધ્રુજવા લાગ્યા હતા. જ્યારે અશોકની શોકસભાની કામગીરીઓ ચાલતી હતી. ત્યારે ખુદ અશોક સામેથી ચાલીને ઘરે આવ્યો હતો. જે વ્યક્તિના બે દિવસ પહેલા અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવ્યા છે તે જ વ્યક્તિ સામેથી ચાલીને આવતો જોઈને પરિવારના સભ્યોના ડોળા ફાટીને હાથમાં આવી ગયા હતા..

અને વિચારવા મજબૂર બની ગયા કે આખરે આ મડદુ કેવી રીતે જીવતું બનીને ચાલતું ચાલતું આવી રહ્યું છે. આ ઉપરાંત ત્યાં રહેલા કેટલાક લોકો તો એટલા બધા ડરી ગયા હતા કે બેસણામાંથી ઉભા થઈને ભાગવા લાગ્યા હતા. આ ઘટના બન્યા બાદ સૌ કોઈ લોકો હોબાળો મચાવી દીધો હતો અને આ કેવી રીતે શક્ય બન્યું છે.

તે પૂછપરછ કરવા લાગ્યા હતા. ત્યારે અશોકે જણાવ્યું કે, તમે શા માટે મારું બેસણું કરી રહ્યા છો. હું જીવી રહ્યો છું. છતાં પણ તમે લોકોએ મને મૃત જાહેર કરી દીધો છે. ડોક્ટરની એક ભૂલને કારણે આજે ખૂબ જ મોટી મુશ્કેલી સર્જાઈ ગઈ હતી. હકીકતમાં બે દિવસ પહેલા તેઓએ જે અંતિમ સંસ્કાર કરી હતી..

અંતિમ સંસ્કાર અશોકના નહીં પરંતુ અશોક ની બાજુના બેડ પર સૂતેલા ઉમેશ નામના યુવકના હતા. ઉમેશનું ગંભીર બીમારીને કારણે મૃત્યુ થઈ ગયું હતું અને એ સમયે હોસ્પિટલના મેનેજમેન્ટ સ્ટાફની ભૂલને કારણે મૃતદેહ ઉમેશના પરિવારજનોને મોકલવાને બદલે ડોક્ટરે અશોકના પરિવારજનોને મોકલાવી આપ્યો હતો..

અશોકના પરિવારે તેમનો જ દીકરો સમજીને એક પણ વખત તેનું મુખડું જોયા વગર જ તેને અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. જ્યારે અશોકની તબિયત બરાબર થઈ ગઈ ત્યારે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તે ચાલતો ચાલતો પોતાને ઘરે પરત આવી ગયો હતો આ ચોંકાવનારી ઘટના બનતાની સાથે જ સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા છે. આ સમગ્ર ઘટનાની જાણકારી અશોકના સાળાએ આપી છે. જયારે આ ઘટના ઘટી ત્યારે અશોકનો સાળો જતીન ત્યાં જ હાજર હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *