જ્યારે પણ પોતાના માતા પિતાને નાનકડા બાળકો ઘરની બહાર જતાં જુએ છે. ત્યારે તેઓ માતા-પિતાની સાથે સાથે જવાની જીદ પકડી લેતા હોય છે. કારણ કે નાના બાળકને ઘરની અંદર બંધ રહેવાને બદલે જુદી જુદી જગ્યાએ હરવું ફરવું ખૂબ જ વધારે પ્રસન્ન પડતું હોય છે. એટલા માટે જો કોઈ વ્યક્તિ ઘરની બહાર આટા મારવા માટે જતું હોય તો નાનું બાળક હમેશા તેની સાથે જવાની જીદ કરે છે..
આવી જ એક જીદ સાત વર્ષના દિલખુશ નામના દીકરાએ કરી હતી, અને તેણે તેના પિતા સાથે જોવા માટે ઘરમાં ધમ પછાડા કરી દીધા હતા. પરંતુ આ દીકરો પોતાની ઘરે પરત જીવિત ભરી શક્યો નથી. આ ઘટના રાજસ્થાનના બુંદીની છે. અહીં દેવજી વિસ્તાર પાસે આવેલા એક ગામડામાં શંભુલાલ નામના વ્યક્તિ તેમના પરિવાર સાથે રહે છે..
પરિવારમાં તેમની પત્ની તેમજ તેમના સાત વર્ષના દીકરા દિલ ખુશનો સમાવેશ થતો હતો. શંભુલાલ ગામડાના સીમ વિસ્તારમાં પોતાના ખેતરમાં ખેતી કરી જીવન ગુજારતા હતા. તેઓએ પોતાના ખેતરમાં ઘઉંનો પાક ઉગાડ્યો હતો. તેઓ સવારના 5:30 વાગ્યા આસપાસ પોતાના ઘઉંના ખેતરમાં પાકને પાણી વાળવા માટે ખેતરે જઈ રહ્યા હતા..
ત્યારે તેમનો સાત વર્ષનો દીકરો પથારીમાંથી જાગીને બેઠો થયો હતો અને કહ્યું કે, મારે પણ તમારી સાથે આવું છે. તેણે જોર જોરથી રડવાનું પણ શરૂ કરી દીધું હતું. સવારના 5:30 વાગ્યામાં શંભુલાલ તેના દીકરાને ખેતરે લઈ જવાની મનાઈ કરી હતી. પરંતુ દીકરો રડવા લાગ્યો હતો. એટલા માટે તેઓ અંતે દીકરાની જીદ સામે નમીને તેમને ખેતરે લઈ ગયા હતા..
દિલખુશની માતા પણ ખેતરે લઈ જવાની મનાઈ કરતી હતી. પરંતુ દીકરો આટલું બધું રડવા લાગ્યો કે, એક પિતા પોતાના દીકરાની જીદ સામે ઝૂકી જવું પડ્યું હતું અને તેને ખેતરે લઈ ગયા હતા. બિચારા મા-બાપને એવી તો શી ખબર કે તેમનો દીકરો ખૂબ જ મોટી મુસીબતોમાં પડી જશે..
શંભુ લાલ પોતાના દીકરા સાથે પોતાને ખેતરે પહોંચ્યા અને ત્યાં પાણીની મોટર શરૂ કરીને ખેતરના પાકને પાણી આપવા લાગ્યા હતા. પોતાના પિતાને ખેતરમાં કામ કરતા જોઈને 7 વર્ષના દીકરાને પણ પોતાના પિતાની નકલ કરવા લાગ્યો હતો. તે જેવો ખેતરમાં પોતાના પિતાની નકલ કરતો હતો કે, તેનો પગ ખેતરના ભાગમાંથી પસાર થતા સાપ ઉપર પડ્યો હતો..
અને તેને સાપ કરડી ગયો હતો. થોડી જ વારમાં દિલ ખુશ નામનો સાત વર્ષનો આ દીકરો બેહોશ થઈને ત્યાં ઢળી પડ્યો હતો. પોતાના દીકરાનો અવાજ ન સાંભળતા શંભુલાલ નામના ખેડૂત પોતાના દીકરા પાસે આવ્યા અને જોયું તો તેમનો દીકરો ત્યાં બેભાન પડ્યો હતો. અને ત્યાંથી સાપના પસાર થવાના નિશાન પણ મળી આવ્યા હતા..
એવી ઘટના બની ગઈ હતી કે, પોતાના દીકરાની લાશને ખોળામાં લઈને શંભુલાલ નામના ખેડૂતને દોડતું થવું પડ્યું હતું. હુન્ડોલી વિસ્તારની હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચી એ પહેલા જ આ દીકરાનું મૃત્યુ થઈ ગયું હતું. તેના પગમાં સાફ કરડવાના બે નિશાન પણ મળી આવ્યા હતા.
જ્યારે આ ઘટનાની જાણકારી દિલખુશની માતાને મળી ત્યારે તેતો ત્યાં ને ત્યાં જ બે-પાંચ અને ઢળી પડી હતી. કારણ કે તે પોતાના લાડકા દીકરાના મૃત્યુના સમાચારનો આઘાત સહન કરી શકે નહીં તો બીજી બાજુ દિલકુશના પિતા શંભુલાલ માટે પણ આ દુઃખની ઘડી સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી..
કારણકે તેઓ સતત અને સતત વિચારી રહ્યા હતા કે, તેમનો દીકરો ખેતરે આવવાની જીદ કરતો હતો. દિલખુશની માતાએ ખૂબ મનાઈ કરી પરંતુ દીકરો રડવા લાગ્યો એટલા માટે તેઓ તેને ખેતરે લઈને આવ્યા અને આ બનાવ બની ગયો છે. જેને અત્યારે તેઓ ખૂબ જ દુઃખી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]