અત્યારના સમયમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના નજીકના સભ્યો પાસે જ કોઈ નવી ચીજ વસ્તુ જુએ છે અથવા તો મોંઘી દાટ વસ્તુઓ જુએ છે, ત્યારે તેઓ વિચારવા લાગે છે કે, અમે પણ આટલા બધા પૈસા કમાઈને આ ચીજ વસ્તુ ખરીદી શકે તો ખૂબ જ સારું, જો ભગવાનનો સાથ સહકાર અને અમારા નસીબ હશે તો અમે પણ આવી ચીજ વસ્તુ ખરીદીને મોજ શોખ કરી શકીશું..
પરંતુ કેટલાક વ્યક્તિઓ પોતાની કમાણીએ મોજ શોખ કરવાને બદલે બીજાની સારી સારી ચીજ વસ્તુ જોઈને મનમાં લાલચ પેદા કરે છે અને તેને હડપી લેવાની પણ કોશિશ કરતા હોય છે. મોટાભાગે આ પ્રકારના બનાવો જોઈન્ટ ફેમિલીમાં રહેતા લોકો સાથે બનતા હોય છે. જોઈન્ટ ફેમિલીમાં પરીવાર ખૂબ જ હળીમળીને રહેતા હોય તેવા પણ ઘણા બધા દાખલા સામે આવી ગયા છે..
અને જોઈન્ટ ફેમિલીની અંદર રહેતા લોકોમાં ખૂબ મોટો વીખવાદ પણ જોવા મળે એવા મામલા પણ સામે આવી ગયા છે. અત્યારે ભેગા રહેતા બે ભાઈઓ ના પરિવારમાં ખૂબ જ મોટો હોબાળો મચી જવા પામ્યો છે. આ મામલો સરસપુર ગામનો છે. અહીં વિનોદભાઈ અને ભીમાલાલ નામના બે સગા ભાઈઓ એક જ ઘરની અંદર રહી જીવન ગુજરાન ચલાવે છે..
વિનોદભાઈ ખૂબ સારી કમાણી કરે છે, જ્યારે ભીમાલાલ કમાણીમાં વિનોદભાઈને ટક્કર આપી શકે તેમ નથી. વિનોદભાઈ તેમની પત્નીને સોનાનો હાર, સોનાના પાટલા અને અન્ય ઘણી ઘણી ચીજ વસ્તુ લઈ આપી હતી. તો બીજી બાજુ ભીમાલાલની પત્ની આશાબેન ને પોતાની જેઠાણીના નવા ખરીદેલા ઘરેણા જોઈને એવી ઈચ્છા થતી હતી કે, કદાચ તેના પતિ પણ તેને આવા ઘરેણા લઈ આપે..
તો અન્ય વ્યક્તિની સામે તેમનો ખૂબ જ વધારે વટ પડી જાય. જેઠાણી ગીતાબેન અને દેરાણી આશાબેન બંનેમાં છેલ્લા કેટલાક સમયથી થોડીક રકચક ચાલતી હતી. નવી ચીજ વસ્તુઓ ખરીદવા માટે હંમેશા બંને વચ્ચે માથાકૂટ થઈ જતી હતી. જ્યારે બંને સગા ભાઇઓમાં કોઈ પણ પ્રકારની માથાકૂટ જોવા મળતી નહોતી..
જ્યારથી ગીતાબેનને ઘરેણા લીધા હતા. ત્યારથી જ તેમની દેરાણી આશાબેન ના મનમાં લાલચ જાગી ઉઠી હતી અને આ ઘરેણાને હડપવા માટે તેણે પોતાના પતિને જ બલીનો બકરો બનાવી દીધો હતો. તે રોજ રોજ સાંજના સમયે તેના પતિને કહેતી હતી કે, ઘરમાં એક વ્યક્તિને ઘરેણા લઈ દેવામાં આવે છે..
અને એક વ્યક્તિને વગર ઘરેણાં એ જ ઘરની બહાર નીકળવું પડે છે. આ કોઈ પણ પ્રકારનો ન્યાય કહેવાય નહીં તમે મારા માટે કરીને લઈને આવજો. પરંતુ હિમાલય જણાવી દીધું હતું કે, તેમના મોટાભાઈ વિનોદ ખૂબ જ વધારે પૈસા કમાઈ જાય એટલા માટે તેઓએ તેમની પત્નીને સોના ચાંદીના ઘરેણા કરાવી દીધા છે..
હું જ્યારે કમાઈશ ત્યારે હું પણ તને મારી કમાણીથી સોના ચાંદીના દાગીના કરાવી આપીશ પરંતુ દેરાણી અને તેની જેઠાણીના ઘરેણા જોઈને મનમાં લાલચ જાગી ઉઠી હતી એટલા માટે તે ગમે તેમ કરીને હડપવા માગતી હતી અને તેને વિનોદભાઈ તેમજ ભીમાલાલ બંને વચ્ચે ખૂબ જ મોટું ઝઘડો કરાવી દીધો હતો..
અને અત્યારે આ પરિવાર ભાંગી જવા પામ્યો છે. માત્ર એક ઘરેણા માટે આશા બેને ન કરવાની કરતુતો કરાવી નાખી હતી. તેણે પોતાના શબ્દો વડે પરિવારમાં એટલી મોટો બખેડો ઉભો કરાવી દીધો હતો કે, અત્યારે આ બંને પરીવાર છૂટા થવા જઈ રહ્યા છે. આવી ઘરેલુ બાબતો મોટાભાગે સામે આવતી નથી..
પરંતુ જ્યારે જ્યારે પણ પારિવારિક મામલાઓ સામે આવે છે. ત્યારે તેમાંથી કોઈને કોઈ શીખ જરૂર મળતી હોય છે. એટલા માટે હંમેશા સંપીને રહેવું જોઈએ. અને નાની નાની ચીજ વસ્તુઓમાં લડાઈ ઝઘડો કરવાને બદલે સહેજ નમતું પણ મૂકી દેવું જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]