ભારતમાં દર કલાકે 15 લોકોનાં તથા દરરોજ 20 બાળકોનાં મૃત્યુ થાય છે. અકસ્માતને કારણે વિકલાંગતાનો ભોગ બનનાર લોકોનો આંકડો વાર્ષિક પાંચ લાખ જેટલો છે. સમગ્ર વિશ્વમાં સૌથી ખરાબ માર્ગ સુરક્ષાની રીતે ચીન પછી ભારત બીજા ક્રમે છે. આપણા દેશમાં વિશ્વના 1 ટકા જેટલાં વાહનો છે પરંતુ માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુનો દર 10 ટકા જેટલો છે
ઉત્સવો અને તહેવારો વચ્ચે ઘણીવાર આપડી એક નાની ભૂલ ઘણું મોટું પરિણામ આપી દેતી હોય છે હમણાં જ ભાદરવી પૂનમના દિવસે અનેક લોકો માતા અંબા ના દર્શને ઉમટી પડ્યા હતા શ્રદ્ધાળુ એ માતા ના દર્શન અને આર્શીવાદ પણ પ્રાપ્ત કર્યા હતા અને આ ઉત્સવ ખુશ જાણીતી તો અને એનું ઘણું મહત્વ પણ રહેલું છે.
અહીં વાત કરવામાં આવે તો આ પૂનમના દિવસે માતા અંબા ના દર્શન માટે પરિવાર ગયો હતો પણ કુદરતની ઇરછા સામે કોઈ નું કઈ પણ ચાલતું હોતું નથી તેમાં આદ્યશક્તિ મા અંબાના ધામમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. હાલ અંબાજી જતા અને આવતા માર્ગા પર ભક્તો જ ભક્તો દેખાઈ રહ્યાં છે. ભાદરવી પૂનમની બાધા પુરી કરવા અંબાજી જતા ભક્તોથી રસ્તાઓ ભરાઈ ગયા છે.
આવામાં સતત બીજા દિવસે શ્રદ્ધાળુઓ સાથે અકસ્માત નો બનાવ બન્યો છે. ગઈકાલે અંબાજી પાસે રાણપુર વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે પગપાળા જતા યાત્રીઓને ટક્કર મારી 3 ના મોત નિપજ્યા હતા. ત્યારે આજે બાયડ-કપજવંજ હાઈવે પર લક્ઝરી બસે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા એક શ્રદ્ધાળનું મો ત નિપજ્યું છે
મળતી માહિતી અનુસાર, અંબાજીથી પરત ફરી રહેલ શ્રદ્ધાળુઓને અકસ્માત સર્જાયો છે. બાયડ-કપડવંજ હાઇવે પર લકઝરીએ એક ટ્રેકટરને પાછળથી ટક્કર મારી હતી. આ ટ્રેક્ટરમાં અંબાજીથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓ સવાર હતા. પાછળથી લક્ઝરીને ટક્કર એટલી જોરદાર હતી કે, તેમાં એક શ્રદ્ધાળનુ તો ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે. તો આ ઉપરાંત માતાના દર્શન કરી પરત ફરતા બીજા સભ્યો જેમાં 12 જેટલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.
અને આ તમામ 12 જેટલા ઘાયલ શ્રદ્ધાળુઓ ને ઘાયલ ઈજાગ્રસ્તોને હાલત જોતા તાત્કાલિક ધોરણે વાત્રક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે. માતા ના દર્શન સમયે કોઈને પણ અંદાજ નહીં હોય કે પરત ફરતા તેમની સાથે આવો ગમખ્વાર અકસ્માત બની જશે મોતને ભેટેલા અને સારવાર હેઠળ રહેલ તમામ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]