Breaking News

જાત્રા કરીને ઘરે આવતી દેરાણી-જેઠાણીની કારે કાબુ ગુમાવી દેતા 10 ગોથા ખાઈને ભુક્કો બોલી ગયો, કાળજા ધ્રુજાવતો અકસ્માત..!

હાઈવે ઉપરથી રોજના ઘણા બધા અકસ્માતો સામે આવે છે. જેમાંથી અમુક અકસ્માત વાહન ચાલકોની ભૂલના કારણે થઈ જતા હોય છે. તો અમુક અકસ્માત એવી રીતે બને છે કે, જેમાં વાહન ચાલકો કોઈ મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આ ઉપરાંત કોઈ અન્ય પશુઓ કે પ્રાણીઓ રસ્તા વચ્ચે આડા ઉતરવાને કારણે અથવા તો ખાડા અને રોડ રસ્તાને કારણે પણ અકસ્માત સર્જાય છે..

અત્યારે એક એવો અકસ્માત સર્જાયો છે, જેને જોનારા લોકોના કાળજા ધમધમી ઉઠ્યા હતા. અકસ્માતનો બનાવ રાજસ્થાનના જયપુર પાસે આવેલા આગ્રા મુંબઈ હાઇવે ઉપર બન્યો છે. મૂળ મધ્યપ્રદેશના મુરેના વિસ્તારમાં રહેતી દેરાણી-જેઠાણી તેમજ તેની બે નણંદો ની સાથે ડ્રાઇવર કાર લઈને તેઓ વૃંદાવનના દર્શન કરવા માટે જાત્રાએ ગયા હતા..

ત્યાંથી તેઓ દર્શન કરીને ઘરે પરત ફરતા હતા, ત્યારે અચાનક જ કારની બ્રેક ફેલ થઈ ગઈ અને કાર વધુ ગતિ હોવાને કારણે બેકાબૂ બની ગઈ હતી. કાર બેકાબૂ થતાની સાથે જ ડિવાઈડર તોડીને સામેની બાજુએ કાર ચાલી ગઈ અને ત્યાં કુલ 10 જેટલી પલટી મારીને કારનો કુરચે કુરચો બોલી ગયો હતો..

આ અકસ્માતમાં 35 વર્ષનો મુકેશ નામનો ડ્રાઇવર તેમજ 45 વર્ષની નિર્મલા ગુપ્તા નામની એક મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે 52 વર્ષની મહાદેવી, 50 વર્ષની સરસ્વતી તેમજ 49 વર્ષની હિરેદેવીની હાલત આટલી બધી ગંભીર હતી કે, તેમને તરત જ ધેલપુરની એક હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા..

નિર્મલા ગુપ્તા અને હીરે દેવી બંને દેરાણી જેઠાણી છે. જ્યારે મહાદેવી અને સરસ્વતી બંને તેમની નણંદો છે. નણંદ અને ભાભીની આ જુગલ જોડીઓ વૃંદાવનના દર્શન કરવા માટે ગઈ હતી. પરંતુ તેમના પરિવારજનોને એવી તો શી ખબર કે તેઓ દર્શન કરીને આવશે એ પહેલા તેમને એક કાળમુખા અકસ્માતનો સામનો કરવો પડશે..

આ અકસ્માત થતા જ હાઇવે ઉપર ચક્કાજામ થઈ ગયો હતો. સૌ કોઈ લોકો પોતાના વાહનો થોભાવીને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને કારની અંદરથી બહાર કાઢવાની મથામણ કરવા લાગ્યા હતા. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને આ કારણે જપ્ત કરી લીધી હતી. કારની પલટી ખાઈ જવાને કારણે તે સામેની બાજુએથી આવતા એક ટ્રક સાથે અથડાતા કારનો ભૂકો બોલી ગયો હતો…

કારની અંદર બેઠેલા બે વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે ત્રણ વ્યક્તિ હજુ પણ સારવાર હેઠળ છે. આ ઘટનાને લઇ મૃતક વ્યક્તિના પરિવારજનો માથે આફતોનો આફ ફાટી નીકળ્યું છે. અત્યારે પોસ્ટમોર્ટમની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ લાશોને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *