હાલના સમયમાં ખૂબ જ શરમજનક ઘટનાઓ બની રહી છે. જેમાંથી કેટલીક ઘટના તો એ પ્રકારની સામે આવવા લાગે છે કે, જેને જાણીને આપણે પણ શરમમાં મુકાઈ જતા હોઈએ. અત્યારે આવો જ એક શરમ જનમ કિસ્સો મહારાષ્ટ્રના એક ગામડામાંથી સામે આવ્યો છે. અહીં ફલીપ નગર ગામની અંદર રાજકિશોરભાઈ તેમની પત્ની લક્ષ્મીબેનની સાથે રાજી ખુશીથી જીવન વિતાવતા હતા..
સંતાનમાં તેઓને 15 વર્ષની દીકરી અને 19 વર્ષના એક દીકરાનો સમાવેશ થતો હતો. બંને બાળકો ખૂબ જ સારો અભ્યાસ કરતા હતા. રાજકિશોરભાઈ એગ્રો કેમિકલ્સની ફેક્ટરીમાં કામ કરતા હતા. જ્યારે તેમની પત્ની લક્ષ્મીબેન ઘર કામ કરીને જીવન ગુજારતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી લક્ષ્મીબેન તેના બંને સંતાનો અને રાજકિશોરભાઈ સાથે નાની-નાની વાતચિતોને લઈને ઝઘડો કરવા લાગતા હતા.
રાજ કિશોરભાઈ આ બાબતને લઈને ખૂબ જ હેરાન પરેશાન હતા અને તેઓ વિચારવા લાગતા કે, આખરે તેમની પત્નીને એવું તો શું થયું છે કે તેઓ અચાનક જ તેમની ઉપર ગુસ્સો કરવા લાગે છે. ધીમે ધીમે લક્ષ્મીબેને તેમના સંતાનોને પહેલા જેવી સાચવણી આપવાનું પણ બંધ કરી દીધું હતું. એક દિવસ તેઓએ રાજકીશોરભાઈ ને જણાવ્યું કે તેઓ તેમની સહેલીઓની સાથે જાત્રાએ જવાનું વિચારે છે..
રાજકીશોરે વિચાર્યું કે જાત્રા કરવી એ ખૂબ જ સારી બાબત કહેવાય એટલા માટે તેઓએ તેમની 45 વર્ષની પત્નીને જાત્રાએ જવા માટેની રજા આપી હતી. પરંતુ તેમને શું ખબર કે તેમની 45 વર્ષની આ પત્ની તેમની સાથે દગો કરીને ખૂબ જ મોટું પગલું ભરવા જઈ રહી છે. તેને દસ દિવસની અંદર જાત્રા કરીને પોતાને ઘરે પરત આવી જવાની હતી..
પરંતુ 15 દિવસ સુધી પણ તે જ્યારે ઘરે ન આવી ત્યારે રાજ કિશોરભાઈએ તેને વારંવાર ફોન કરીને પૂછવાની કોશિશ કરી હતી કે, તેઓ ક્યાં છે.? અને શા માટે ઘરે આવવામાં એટલું બધું મોડું થઈ ગયું છે..? પરંતુ લક્ષ્મીબેને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આ ઉપરાંત તેની અન્ય સહેલીઓને ફોન કરવામાં આવ્યો ત્યારે જાણકારી મળે કે તેની અન્ય સહેલીઓ કોઈપણ પ્રકારની જાત્રામાં ગયા નથી..
બસ આ સાંભળતાની સાથે જ રાજકિશોરભાઈ સમજી ગયા કે તેમની પત્ની તેમને ઉલ્લુ બનાવીને ઘર મૂકીને ચાલી ગઈ છે. ઉપરાંત તેમની પડોશમાં રહેતો 38 વર્ષનો હરીશ નામનો યુવક પણ છેલ્લા 15 દિવસથી ગાયબ હતો. હરીશ અને લક્ષ્મીબેન મોબાઈલ ફોન પર વાતચીત કરતા પહેલા પકડાઈ ચૂક્યા હતા. ત્યારે રાજ કિશોરભાઈને તેમની પત્ની ઉપર શંકા ગઈ હતી..
અને હવે આ બંને વ્યક્તિ પંદર દિવસથી ગાયબ હોવાને કારણે સૌ કોઈ લોકોને શંકા જવા લાગી હતી કે, નક્કી આ બંને વ્યક્તિ એકબીજાની સાથે હશે. અચાનક પંદરમાં દિવસે લક્ષ્મીબેનનો ફોન રાજકિશોરભાઈ ઉપર આવ્યો અને તેઓએ જણાવ્યું કે, લક્ષ્મીબેન હવે તેમની પડોશમાં રહેતા હરીશભાઈને પ્રેમ કરે છે.
હરીશભાઈ પણ તેમને ખૂબ જ રાજી ખુશીથી સાચવી રહ્યા છે. આ બંને વ્યક્તિ એકબીજાને પ્રેમ કરતા હોવાથી હવે તેઓ ખૂબ જ દૂર ચાલ્યા ગયા છે. અને ત્યાં તેઓ નવું જીવન વિકસવી લીધું છે. આજ પછી તેઓ ક્યારે પણ પરિવારમાં પરત આવવાના નથી. લક્ષ્મીબેનને તેના પતિ રાજ કિશોરભાઈ ને જણાવ્યું કે, હવે તમે મારા બંને સંતાનોને સાચવી લેજો..
અને રાજી ખુશીથી જીવન જીવજો ક્યારે પણ હવે તમને મોઢું દેખાડવાની નથી. 15માં દિવસે જ્યારે પરિવારજનો એ ફોનમાં વાતો સાંભળી ત્યારે તેમને ધોળા દિવસે આંખે અંધારા આવી ગયા હતા. કારણ કે, તેઓએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય તે પ્રકારની ઘટના અત્યારે બની જવા પામી હતી..
જ્યારે આ ઘટનાની જાણકારી રાજકિશોરના માતા-પિતા સુધી પહોંચી ત્યારે તેમના માટે તો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું. કારણ કે ગામમાં રહેતા અન્ય વ્યક્તિઓ આ વાતને લઈને તેમને મહેણા ટોણા મારવા લાગ્યા હતા અને ખૂબ જ ખરાબ ખરાબ વાતચીતો પણ કરવા લાગ્યા હતા..
આખરે 45 વર્ષે આ મહિલાએ તેના પરિવારજનોને બરબાદ કરી નાખ્યા હતા. તો તેના બંને સંતાનો પણ અત્યારે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ ઘટનાને લઈને ભારે ચકચાર મચી જવા પામ્યો છે, જયારે જયારે આવી ઘટનાઓ આપડે સાંભળીએ છીએ ત્યારે આપડે વિચારમાં મુકાઈ જતા હોઈ છે કે આખરે માણસો પોતાના સંતાનોનો વિચાર શા માટે નથી કરતા ?
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]