સમાજ માં તમામ લોકો ની માનસિક મનોવૃત્તિ સમાન હોતી નથી એજ રીતે આ દુનિયા માં ને આપણી જ આજુ બાજુ માં રહેતા તમામ લોકો ના વિચારો અને તેમની લાગણી ઓ સમાન હોતી નથી દરેક લોકો સમય અને સંજોગો અનુસાર જુદું-જુદું જ વિચરતા હોય છે જેમાં વસતા લોકો પર નિર્ભર છે કે તેના વિચારો કેટલા શુદ્ધ છે અથવા,
તેની બીજા સાથે નું વર્તન કેવા પ્રકારનું રહેલું છે કારણકે આપણે જાણીયે છીએ કે આપણી સાથે જ રહેતા લોકો માં પણ કેટલાક લોકો ના મનમાં સદાય ને માટે બીજા પ્રત્યે મનમાં ને જીવમાં ખુબ જ ખોટી લાગણી ઓ ભરેલી રહેલી હોય છે જેના કારણે અમુક લોકો ના મન સતત ગુસ્સા માં જ રહેતા હોય છે જેની ખુબ વિપરીત અસરો જોવા મળે છે.
આવી જ હાલ ગુસ્સા ને કારણે કેટલું મન કાબુ માં રહેતા નથી ને ખુબ મોટું પગલું હાથમાં ભરી લે છે જે ખરેખર તમામ લોકો એ જાણવા જેવું તો ખરું જ હાલમાં બનેલ ઘટના ને વિસ્તારમાં માં જાણવા માં આવે તો અમદાવાદ શહેરમાં સંબંધો પર ફટકાર પડી હોય એવો કિસ્સો સામે આવ્યો છે. એક વૃદ્ધા તેમના પરિવારજનો સાથે જમવા બેઠા હતા.
ત્યારે ફોન આવતા તેઓએ તેમના પૌત્રને કોનો ફોન આવ્યો એટલું જ પૂછતાં આ પૌત્ર આવેશમાં આવી ગયો હતો. અને તેના ગુસ્સા ને મનમાં કાબુ ગુમાવી બેસતા બાદમાં તેણે જમતા જમતા દાળ લેવાનો ડોયો માથામાં મારી દેતા વૃદ્ધાને કપાળમાં ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધાએ આ અંગે પોલીસને જાણ કરતા વૃદ્ધાની ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.
નારણપુરા પોલીસ લાઈન પાસે રહેતા 69 વર્ષીય વૃદ્ધા નિવૃત જીવન ગુજારે છે. તેઓ તેમના પતિ અને સંતાન સાથે રહે છે. તેઓને બે સંતાન છે જેમાં એક પુત્ર તેની પત્ની સાથે અલગ રહે છે. જ્યારે એક પુત્ર તેની પુત્રવધુ અને પૌત્ર આ વૃદ્ધા સાથે રહે છે. વૃદ્ધાના પુત્રને બીમારી હોવાથી તે પથારીવશ રહે છે અને તેની પત્ની પ્રાઇવેટ નોકરી કરે છે.
જ્યારે 21 વર્ષીય પૌત્ર કોઈ કામધંધો ન કરી ઘરમાં ઝગડા કર્યા કરે છે. બે-એક દિવસ પહેલા આ વૃદ્ધા અને પરિવારજનો જમવા બેઠા હતા. ત્યારે તેમના પુત્ર પર તેની સાળીનો ફોન આવ્યો હતો. જેથી પૌત્રને કોનો ફોન આવ્યો તેમ પૂછતાં તે આવેશમાં આવી ગયો હતો. તેણે જમતા જમતા દાળ લેવાનો ડોયો આ વૃદ્ધાને માથામાં મારી દીધો હતો.
આવા પ્રકારની ગંભીર ઘટના એક વૃદ્ધા સાથે થતા તેના લીધે બાદમાં દાદી ને પૌત્ર ઉભો થઇ ગડદા પાટુ નો માર મારવા લાગ્યો હતો. જેથી તેને બધાએ છોડાવતા તે ત્યાંથી નીકળી ગયો અને ધમકી આપતો ગયો હતી. વૃદ્ધાને દવાખાને લઈ જવાયા જ્યાં હવે વૃદ્ધાએ તેના પૌત્ર સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]