ક્યારે આપણી સાથે કઈ ઘટના બની જાય તેનું નક્કી હોતું નથી, આપણે એવા ઘણા બધા કિસ્સાઓ પણ જોયા છે. જેમાં બે સેકન્ડ પહેલા જ આપણી સામે હસતો ખેલતો વ્યક્તિ બે સેકન્ડ બાદ આપણી સામે મૃત્યુ પામી ચૂક્યો હોય, ત્યારે કોઈ આ વ્યક્તિનો જીવ ચાલ્યો જાય તે આપણા હાથમાં હોતું નથી..
અત્યારે એક એવી હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જેને નજરે જોનારા લોકોના તો ટાંટિયા ધ્રુજી ગયા હતા, આ બનાવ હિંગળાજ નગરમાં રહેતા રણછોડદાસ નામના વ્યક્તિ સાથે બન્યો છે, રણછોડદાસભાઈ તેમના બે દીકરા ના પરિવાર સાથે રહે છે. તેમના બંને દીકરા સવારથી જ અન્ય શહેરમાં અપડાઉન કરીને નોકરી માટે જતા રહ્યા હતા..
ત્યારબાદ બપોરના સમયે રણછોડદાસભાઈ પોતાના ઘરે પલંગ પર બેસીને જાંબુ ખાઈ રહ્યા હતા, અને આ જાંબુ ખાતી વખતે અચાનક જ તેમની સાથે એવી ઘટના બની ગઈ કે, માત્ર બે જ સેકન્ડમાં તેમના જીવનો ફટાકડો ફૂટી ગયો હતો અને પરિવારની મહિલાઓ જોતીને જોતી જ રહી ગઈ હતી..
જ્યારે આ ઘટના બની ત્યારે તેમના આસપાસના પડોશીઓ પણ તેમના ઘરે દોડી આવ્યા હતા અને રણછોડદાસભાઈને સારવાર માટે શહેરની હોસ્પિટલમાં દાખલ કરવા દોડવા લાગ્યા હતા. પરંતુ રણછોડદાસભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ચૂક્યું હતું. બપોરના સમયે રણછોડદાસભાઈ તેમના પલંગ પર બેઠા બેઠા જાંબુ ખાઈ રહ્યા હતા..
ત્યારે એક પછી એક જાંબુ ખાવા લાગ્યા તેમને પહેલેથી જ જાંબુ ખૂબ જ વધારે ભાવતા હોવાથી તેઓ ખૂબ જ વધારે ગતિએથી જાંબુ ખાઈ રહ્યા હતા, એવામાં અચાનક જ તેમને એક ઉધરસ આવી અને ત્યારબાદ અચાનક પરસેવો વળવા લાગ્યો હતો. ધીમે ધીમે તેનું શરીર ઠંડુ પડી ગયું અને તેઓ પલંગ ઉપરથી નીચે ઢળી પડ્યા હતા..
તેમના હાથમાં રહેલી જાંબુની ડીશ પણ નીચે પટકાઈ ગઈ હતી, તેમના બંને દીકરાઓની પત્નીએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે તેઓ તરત જ રણછોડદાસ દાદાને ઉંચા કરવા લાગ્યા હતા અને તેમને શું થયું છે તેની પૂછપરછ કરવા લાગ્યા, પરંતુ રણછોડદાસ દાદાએ આંખો મીચી દીધી હતી..
મહિલાઓએ રણછોડદાસ દાદાના બંને દીકરાઓને પણ ફોન કરીને જણાવ્યું કે, રણછોડદાસ દાદા જાંબુ ખાતા ખાતા અચાનક જ પલંગ ઉપરથી નીચે ઢળી પડયા છે અને હવે તેઓ આંખો મીચી દીધી છે અને તેઓ શ્વાસ પણ લઈ રહ્યા નથી. તેમને હાલ સારવાર માટે શહેરની હોસ્પિટલમાં લઈ જઈએ છીએ..
પરંતુ આસપાસના પડોશીઓનું કેવું છે કે, રણછોડદાસ દાદાનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તમે તાત્કાલિક ધોરણે આ હોસ્પિટલ પર પહોંચી જશો તેમના બંને દીકરા તાબડતોબ હોસ્પિટલ પર પહોંચી ગયા અને ત્યાં ડોક્ટરે તેમના બંને દીકરાને જણાવ્યું કે, રણછોડદાસ દાદાનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેમનું મૃત્યુ હૃદય રોગનો હુમલો આવવાને કારણે થયું છે..
શરૂઆતમાં તો પરિવારના દરેક સભ્યોને લાગતું હતું કે, રણછોડદાસ દાદા એક પછી એક ખૂબ જ વધારે ગતિથી જાંબુ ખાઈ રહ્યા હતા, અને એવામાં તેમની સાથે કોઈ એવી ઘટના બની હશે કે, જે જાંબુ ખાવાને કારણે શરીરને માફક આવી નહીં હોય અને તેમનું મૃત્યુ થઈ ગયું હશે પરંતુ હકીકતમાં રણછોડદાસ દાદા ને હૃદય રોગનો હુમલો આવી ગયો હતો..
અને તેઓ જાંબુ ખાતા ખાતા મોત પામ્યા હતા, જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે સમગ્ર પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો હતો. પરિવારજનોને સાંતવના પાઠવવા માટે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમના સગા સંબંધીઓ પણ મોતના મરશિયા ગાવા લાગ્યા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]