જંગલના રાજા સિંહ વારંવાર જંગલ છોડીને ગામડાના વિસ્તારોમાં લટાર મારતા નજરે ચડે છે. ઘણીવાર તો ખેતરોમાં પણ ઠાઠ-માઠથી બેઠેલા નજરે ચડતા હોય છે. અવારનવાર સિંહના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતા હોય છે. કારણ કે સિંહ એક એવું પ્રાણી છે.. ( વિડીયો જુવા માટે લેખને અંત સુધી વાંચો )
જેનાથી સૌ કોઈને ડર લાગે છે. પરંતુ સિંહ માનવતા દાખવીને ક્યારેય માણસો પર હુમલો કરતો નથી. પરંતુ તે જ્યારે ભૂખ્યો હોય ત્યારે તેની સામે કોણ ઊભું છે તેનો પણ ખ્યાલ રાખતો નથી. હાલ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા મકતુપુર ગામમાં સિંહના આંટાફેરા મારતા લોકોમાં ફફડાટ મચી ગયો છે.
આ ગામ દરિયાકિનારાની ખૂબ જ નજીક આવ્યું છે. સિંહ નો એક પરિવાર આ ગામની નજીક વિખૂટો પડી ગયા હોવાની જાણ મળી છે. તે વારંવાર ગામડા ના ખેતર વિસ્તારોમાં પણ જોવા મળ્યા છે. એવામાં ગામના સીમમાંથી પસાર થતા એક રોડ પર વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા એવા સમય દરમ્યાન સિંહ અચાનક ખેતરમાંથી આવીને રોડને ઓળંગવાની કોશિશ કરી રહ્યો હતો.
સિંહનો રસ્તો ઓળંગવો અને બાઈકચાલકનું ત્યાંથી પસાર થવું બંને નો સમય એક જ હતો. બાઈક ચાલકની સામે અચાનક જ સિંહ આવી જતા ઘડીક તો એના મોતિય મારી ગયા હતા પરતું સિંહે કશું જ કર્યું નોહતું.. સિંહ પણ ભૂલથી જ આ બાઈક ચાલક સાથે અથડાયો હોઈ તેવું લાગી રહ્યું છે..
કારણ કે અથડાયા બાદ પણ તે ત્યાં ઉભો રેહતો નથી પરતું ત્યાંથી તરત જ ચાલતી પકડે છે. આ તમામ દ્રશ્યો કેમેરામાં કેદ થઇ જતા આ વિડીયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. સિંહ સાથે બાઈક અથડાતા જ બાઈક સવાર હાફળો ફાફલો થઇ ગયો હતો. કારણ કે તેણે સપનામાં પણ નહી વિચાર્યું હોઈ કે સિંહને આટલો નજીકથી જોવાનો વારો આવશે..
ખરેખર આ દ્રશ્ય જે કોઈ વ્યક્તિએ પોતાની નજર સામે જોયું હોઈ તે વ્યક્તિને ખુબ જ ડર લાગે કારણ કે સિંહને આટલે નજીકથી કૈક જુદા જ અંદાજમાં જુવો ખુબ જ અઘરી બાબત છે. બાઈક અથડાતા જ બાઈકચાલક નીચે પડી ગયો હતો. જયારે તેની આગળની બાઈકચાલકે આ તમામ દ્રશ્યોને તેના સ્માર્ટફોનના કેમેરામાં કેદ કરી લીધા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]