Breaking News

જાણી લો સિંગતેલમાં કેટલા રૂપિયાનો થયો ઘટાડો અને વધારો..? તાજા ભાવો જાણીને આંખો ફાટેલી રહી જશે..!

સીંગતેલના ભાવો શેરબજારની જેમ રોજ ઉપર-નીચે થઈ રહ્યા છે. થોડા થોડા દિવસે વધારો નોંધાતાની સાથે જ ગૃહિણીઓની આંખો ફાટી નીકળી જાય છે. જ્યારે રોજના વધારાની સામે ઘટાડો માત્ર નજીવો નોંધાઇ છે. સિંગતેલના ભાવ મગફળીના ભાવ પર આધારિત હોય છે. મગફળીના ભાવમાં દર વર્ષે થોડો થોડો વધારો થાય છે..

પરંતુ સિંગતેલના ભાવ થોડા થોડા નહીં પરંતુ એક સામટા વધવાથી ગૃહિણીઓના બજેટ ભાંગી પડે છે. છેલ્લા એક મહિનાની અંદર સિંગતેલના ભાવ અંદાજે પાંચ થી છ વખત વધ્યા છે. જેમાં એક સાથે જ વધારો કરવામાં આવે છે. છેલ્લા બે દિવસની અંદર સિંગતેલના ભાવમાં અંદાજે 30 રૂપિયાનો વધારો થયો છે.

એટલે કે સીંગતેલના ડબ્બા નો ભાવ 2750 રૂપિયા થઈ ગયો છે. આ ભાવ આશરે બે મહિના પહેલા 2200 થી 2400 રૂપિયા હતો. માત્ર બે મહિનાની અંદર અંદર 300 થી 400 રૂપિયાનો વધારો નોંધાતા મધ્યમ વર્ગીય પરિવારને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.

બીજી બાજુ કોઈ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે છેલ્લા બે વર્ષથી મગફળીનું ઉત્પાદન ખૂબ વધારે માત્રામાં થાય છે. છતાં પણ સિંગતેલના ભાવમાં શા માટે વધારો થાય છે.?  આ બાબતને લઈને વેપારીઓનું કહેવું છે કે, વૈશ્વિક બજારોમાં ખૂબ જ તેજી હોવાને કારણે સન ફ્લાવર અને પામોલીન તેલમાં પણ ખૂબ વધારે ભાવ ઉછળ્યા છે..

એટલા માટે સિંગતેલના ભાવમાં પણ તેજીનો માહોલ દેખાય તેવું જણાઈ રહ્યું છે. જ્યાં મગફળીની અને સીંગતેલની નવી સિઝન શરૂ ન થાય ત્યાં સુધી ભાવ એકદમ વધતાં જ રહેશે. મોટા મોટા વેપારીઓનું કહેવું છે કે સીંગતેલ નો ભાવ 2900 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધી પણ ચાલ્યો હશે..

છેલ્લા એક મહિનાની અંદર કપાસિયા તેલમાં 150 રૂપિયાનો વધારો જ્યારે સનફ્લાવર તેલ માં 80 રૂપિયાનો વધારો થયો છે. તો બીજી બાજુ સીંગતેલમાં 200 થી 350 રૂપિયા નો વધારો થયો છે. આગામી અઠવાડિયાની અંદર પણ સિંગતેલના ભાવમાં વધારો થાય તેવી શક્યતાઓ રજૂ કરવામાં આવી છે. આ ભાવ વધારાને લઇને મધ્યમ વર્ગીય પરિવારોને ખૂબ મોટી હાલાકીનો ભોગ બનવું પડ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *