Breaking News

જાણી લો.. અંતિમ મુલાકાત સમયે હીરાબા એ મોદીજીને શું કહ્યું હતું..? આ ગુરુમંત્રથી મોદીજી માટે દેશના વડાપ્રધાન સુધીની સફર સફળ રહી..

આજે વહેલી સવારે વડાપ્રધાન મોદીજીની માતાશ્રી હીરાબા નું 100 વર્ષની વયે નિધન થયું છે. આ સમાચાર આવતા જ આખો દેશ શોકમાં ડૂબી ગયો છે. વડાપ્રધાન મોદીજી હમણાં થોડા દિવસો પહેલા જ તેમની માતા સાથે અડધો કલાકની મુલાકાત ચા ની ચુસકી સાથે લીધી હતી. હીરાબા ની તબિયત બરાબર ન હોવાથી તેમને યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી.

મોદીજી દરેક પળની ખબર એક્સપર્ટ ડોકટરો પાસેથી મેળવી રહ્યા હતા. જ્યારે તેમના સુધી સમાચાર પહોચ્યા કે તેમની માતાશ્રીનું વહેલી સવારે નિધન થયું છે ત્યારે તેઓ ખુબ જ ભાવુક થઈ ગયા હતા. આજે આખો દેશ હીરાબા ના અવસાનને લઈ શોકમાં ડૂબી ગયો છે. દરેક લોકોએ હીરા બા ને શ્ર્ધાજ્લી પાઠવી છે.

મોદીને તેમની માતા હીરાબા જીવનના પહેલા મિત્રો અને શિક્ષક હતા. તેઓ પોતાની માતા પાસેથી ઘણી બધી પ્રેરણાદાયી વાતો શીખતા હતા. અને હંમેશા હીરાબા સદાચારી જીવન જીવતા હતા. ગમે ત્યારે મોદી તેમના માતાને મળવા આવે ત્યારે હંમેશા માતા સાથે ખૂબ જ વાતો કરતા હતા. જે યાદ કરીને તેઓ ખૂબ જ ભાવુક બન્યા હતા.

મોદીની માતૃશ્રી હીરાબાઈ મોદીને છેલ્લી શિખામણએ આપી હતી કે, ‘કામ કરો બુદ્ધિથી, જીવન જીવવું શુદ્ધિથી’ આ અંતિમ સંદેશ હીરાબાએ આપ્યો હતો. વડાપ્રધાન મોદીજી હમેશા પોતાની માતા હીરાબાએ શીખવાડેલા સંસ્કાર, સંઘર્ષ અને મહેનતની રાહ પર ચાલ્યા છે. એટલા માટે જ આજે તેઓ સમગ્ર દુનિયાના બેસ્ટ વડાપ્રધાન છે.

હીરાબા હંમેશા કહેતા કે મહેનત, લગન અને સંપૂર્ણ નિસ્વાર્થ ભાવે કામ કરવું જોઈએ તેમજ જીવન હમેશા શુદ્ધિથી જીવવું જોઈએ.. તેમના આ અંતિમ શિખામણને મોદીજીએ ગુરુમંત્ર બનાવી દીધો હતો. મોદીજી હમેશા નિસ્વાર્થ પણે દેશ માટે કામ કર્યું છે અને હમેશા એકદમ સરળ,ચોખ્ખું અને શાંતિપ્રિય સ્વભાવનું જીવન જીવ્યું છે.

દરેક વ્યક્તિ માટે દુનિયાનું સૌથી મોટું દુખ માતાની અંતિમ વિદાય છે, મોદીજીએ હીરાબાની અર્થીનેકાંધ આપીને શબવાહિનીમાં બેસી અંતિમ સંક્સ્કારની વિધિ પણ પૂર્ણ કરી હતી. આ ઘડીએ તેઓ ખુબ જ ભાવુક થયા હતા. તેઓએ સવારમાં પોતાની માતાશ્રીને અંતિમ વિદાય આપીને પુત્રધર્મ નિભાવ્યો હતો અને ત્યારબાદ દેશની સેવામાં લાગી જઈને રાજધર્મ પણ નિભાવવા લાગ્યા છે.

નરેન્દ્ર મોદી વહેલી સવારે દિલ્હીથી તેઓ પોતાના ભાઈના ઘરે પહોંચ્યા અને હીરાબાને મોડી રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જેના કારણે હીરાબાને મોદીના ભાઈ સારવાર માટે યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારબાદ હીરાબાની સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની માતાને હોસ્પિટલ લઈ ગયાના સમાચાર મળ્યા ત્યારથી તેઓ સતત ડોક્ટરોના સંપર્કમાં હતા.

તેમની માતાની તબિયતના એક-એક સમાચાર તેઓ મેળવતા હતા. હીરાબાને 6 એક્સપર્ટ ડોક્ટર તેમજ અન્ય એક્સપર્ટ સ્ટાફને સાથે રાખીને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી હતી. ત્યારબાદ મોદીએ દિલ્હીથી અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા. અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને મોદીએ માતાના સ્વાસ્થ્ય અંગે ડોક્ટરો અને અન્ય લોકો સાથે વાતચીત કરી હતી.

ત્યારબાદ હોસ્પિટલમાં લગભગ સવા કલાક સુધી મોદી રોકાયા હતા. ત્યારબાદ દિલ્હી જવા રવાના થયા હતા. માતાને મળવા સોમાભાઈ મોદી યુએન મહેતા હોસ્પિટલ આવ્યા હતા. હીરાબાના સમાચાર પૂછ્યા હતા. ત્યારબાદ થોડો સમય રોકાયા બાદ તેઓ પણ ત્યાંથી નીકળી ગયા હતા. થોડીવારમાં ફરી નરેન્દ્ર મોદીને સમાચાર મળ્યા હતા કે તેમના માતાનું અવસાન થઈ ગયું છે.

જેના કારણે તેઓ ફરી મોદી તેમના ભાઈ પંકજભાઈના ઘરે ગાંધીનગર રાયસણમાં પહોંચી ગયા હતા. જ્યાં તેમની માતાના હીરાબાના અંતિમ દર્શન કર્યા હતા. ત્યારબાદ અંતિમ સંસ્કાર માટે હીરાબાને લઈ જવામાં આવ્યા હતા. મોદીએ પોતાની માતાની અર્થીને કાંધ આપી હતી. ત્યારબાદ મોદીની માતા હીરાબાની અંતિમયાત્રા શરૂ થઈ હતી.

ગાંધીનગરના સેક્ટર 30 માં આવેલી સ્મશાન ભૂમિમાં હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મોદીએ પોતાની માતાના અવસાન બાદ પણ તેમના કોઈ પણ નિર્ધારિત કાર્યક્રમને રદ કર્યા નહીં. તેઓ પોતાની ફરજ ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે. માથાના અંતિમ સંસ્કાર બાદ તેઓ સીધા અમદાવાદના રાજભવન ગયા હતા.

જ્યાં તેમણે રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠકમાં રીતે બીજી મીટીંગોમાં ભેગા થશે અને પોતાના પ્રોજેક્ટને શરૂ કરશે. મોદીએ પોતાની માતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ દેશ માટે તેમણે એક પણ કામ છોડ્યા નહીં તેઓ રોજિંદા જીવનની જેમ પોતાના કામ તરત જ શરૂ કરશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *