આધુનિક સમયમાં લોકો સાથે ગંભીર દુર્ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. અવારનવાર આવી બનાવો બનતા ઘણા બધા વ્યક્તિઓ એકસાથે પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આજકાલ લોકો મોજ શોખને કારણે પોતાનું વાહન ઉતાવળમાં ચલાવીને બીજા લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. ખરાબ અને બેફામ રીતે ડ્રાઇવિંગ કરવાને કારણે નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.
આવી જ એક ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ખૂબ જ દર્દનાક બની હતી. જેમાં એકસાથે ઘણા લોકોને કાળ ભરખી ગયો હતો. આ ઘટના ઉત્તરાખંડમાં બની હતી. ઉતરાખંડના પૌડી ગઢવાલ જિલ્લામાં આવેલા બિરખાલ વિસ્તારમાં મોડી સાંજે બની હતી. આ ઘટનામાં એક બસ હરિદ્વારના લાલઢાંગથી કારાગાંવ જઈ રહી હતી.
મોડી રાતે બસમાં 50 થી વધારે મુસાફરો બેસીને બીજે ગામ જઈ રહ્યા હતા. આ મુસાફરો જાનૈયા હતા. ગામમાં લગ્ન પ્રસંગ હોવાને કારણે ગામના લોકો બીજે ગામ જાન લઈને જતા હતા. ખૂબ જ ધૂમ ધામથી જાનૈયાઓ લગ્ન ગીતો ગાયને બસમાં બેઠા અને તેઓના ગામમાં લગ્ન પ્રસંગને કારણે ખુશીનો માહોલ બસમાં હતો.
તે સમયે રસ્તામાં આવતા સીમડી ગામ પાસે પહોંચતા ખૂબ જ અંધારું હતું અને અચાનક બસના ડ્રાઇવરને જોકું આવતા જ બસના ડ્રાઇવરે પોતાના બસ પરનું કાબુ ગુમાવ્યું હતું અને અચાનક જ સીમડી ગામ પાસે ખીણવાળો રસ્તો હોવાને કારણે એક બાજુ પર આવેલી ખીણમાં બસ બેકાબૂ બનીને જતી રહી હતી.
જેના કારણે 500 મીટર ઊંડી ખીણમાં બસ ખાબકીને પડી હતી. જાનૈયાઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. તેઓને સામે મોત દેખાઈ રહ્યું હતું. 50 જાનૈયાઓમાંથી 25 જાનૈયાઓનો ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. બસ પડતા જ બસના કુચે-કુચા થઈ ગયા હતા. પથ્થરો સાથે અથડાતા બસ ભાંગી તૂટી ગઈ હતી.
જેના કારણે તેમાં બેઠેલા મુસાફરોને પણ ખૂબ જ ઇજાઓ થઈ હતી અને ઘણા બધા મુસાફરો કચડાઈ ગયા હતા. સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ થતા તરત જ બસમાં રહેલા મુસાફરોને બચાવવા માટે તેઓ પહોંચી ગયા હતા. તે સમયે ખૂબ જ અંધારું હોવાને કારણે પોતાના મોબાઈલની ફ્લેશલાઈટને મદદથી ઈજાગ્રસ્ત લોકોને શોધવામાં આવ્યા હતા.
પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસે પણ ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ સારવાર માટે મોકલ્યા હતા અને બાકીના 25 લોકોના મૃત્યુ થઈ ગયા હતા. તેમના મૃતદેહને શોધવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના ગામના લોકોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
ખૂબ જ ગંભીર ઘટના એક જ ક્ષણમાં સર્જાઈ જતા ઘણા બધા વ્યક્તિઓએ એક સાથે પોતાના જીવ ગુમાવ્યા હતા. આવી આકસ્મિક ઘટના બની જતા પરિવારના એક સાથે ઘણા બધા વ્યક્તિઓના મૃત્યુ થઈ રહ્યા છે. ત્યારબાદ મુખ્યમંત્રીએ દુર્ઘટના બની હોવાને કારણે પોતાનો શોખ વ્યક્ત કર્યો હતો. હજુ પણ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]