લગ્નગાળાના સમયમાં જુદી-જુદી જગ્યાએથી એવી ઘણી બધી દુઃખો પહોંચાડતી ઘટનાઓ સામે આવવા લાગી છે. લગ્ન પ્રસંગમાં પરિવારના દરેક સભ્યોના મનમાં એવો ડર હોય છે કે, કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ વગર તેમના ઘરે આવેલો શુભ પ્રસંગ પૂર્ણ થઈ જાય તો સારું પરંતુ જ્યારે શુભ પ્રસંગ આવી પહોચ્યો હોય ત્યારે મુશ્કેલીઓ ઊભી થવાના બનાવો પણ ખૂબ જ વધારે બની જતા હોય છે..
અત્યારે એક એવી ઘટના બની જવા પામી છે કે, જેને લઇ શુભ પ્રસંગ મોતના માતમમાં ફેરવાઈ ગયો હતો. તેમજ પરિવારજનોનો માહોલ પણ જોવા મળ્યો હતો. આ ઘટના ઓમકાર વાડી વિસ્તાર પાસે રહેતા રમણીકલાલના પરિવારજનોની છે. રમણીકાલના એકના એક દીકરા જીગરના લગ્ન કોન્ડીપુર ગામમાં રહેતી હીરા નામની યુવતી સાથે નક્કી કરવામાં આવ્યા હતા..
આ લગ્નની તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી. વરરાજાની કારને પણ સજાવી દેવામાં આવી હતી અને તેઓ સવારના સમયે તેમના ગામડેથી જાન લઈને હીરા નામની યુવતીના ગામડે જવા માટે નીકળી ગયા હતા. પરંતુ અડધી રસ્તે જ વરરાજાની બહાર ગોથું ખાઈને ખાળિયામાં પલટી મારી જતા વરરાજા સહિત તેના અન્ય બે મિત્રો તેમજ વરરાજાના જીજાજીનું પણ મૃત્યુ થઈ ચૂક્યું છે..
આ કાળમુખા અકસ્માતની અંદર એક સાથે ચાર લોકોનો જીવ જતો રહેતા ચારે કોર ચકચાર મચી જવા પામ્યો છે. વરરાજો ફેરા ફરવા માટે પહોંચે એ પહેલા તો તેનું મૃત્યુ થઈ જતા યુવતીના લગ્ન પહેલા જ તે ઊંડા આઘાતમાં ચાલી ગઈ હતી. કારણ કે જે યુવક સાથે તેના લગ્ન થવાના હતા, એ અકસ્માતની અંદર મૃત્યુ થઈ ગયું હતું..
આ બનાવ બન્યા બાદ તેના કુટુંબના અન્ય સભ્યો કહેવા લાગ્યા હતા કે, આખરે જીગરના એવા તો કેવા નસીબ હશે કે તે પોતાના જ લગ્ન પ્રસંગના ફેરા ફરવા માટે પહોંચી એ પહેલા તેનું મૃત્યુ થઈ ગયું છે. તેના અન્ય બે મિત્રોના પણ આવનારા મહિનાની અંદર લગ્ન હતા. એ બંને વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે..
જ્યારે જીગરના જીજાજીને એક નાનકડી દીકરીનો જન્મ થયો, તેનું હજુ માત્ર એક અઠવાડિયું જ થયું હતું. પોતાની દીકરીને લાડ પ્રેમથી ઉછેર કરીને સાચવેએ પહેલા જીગરના જીજાજીનો પણ મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટનાની અંદર ચાર વ્યક્તિના મૃત્યુ થયાનું દુઃખ કોઈપણ વ્યક્તિ માટે સહન કરવું મુશ્કેલ હતું…
બીજી બાજુ જ્યારે હીરા તેમજ હીરાના માતા પિતા અને તેના અન્ય પરિવારના સભ્યોને જાણકારી પહોંચાડવામાં આવી કે, વરરાજાની કારનું અકસ્માત થયો છે. અને તેમાં વરરાજા સહીત અન્ય ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ત્યારે ત્યાં પણ સર્જાઈ ગઈ હતી. આ ઘટનાના આટલી બધી ગંભીર હતી કે, સૌ કોઈ લોકોને સંભાળવા ખૂબ જ મુશ્કેલમય બની ગયા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]