આજકાલનો નજેવી બાબતો ઉપર આપઘાત કરીને પોતાનો જીવ ટૂંકાવી દેવો તે એક સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમાંથી રોજ અનેક એવા કિસ્સાઓ આપણે સાંભળવામાં આવતા હોય છે કે નજેવા ઘરેલુ ઝઘડાઓમાં કે નાની અમથી ગેરસમજણ માં લોકો આપઘાત કરીને પોતાના જીવન ટૂંકાવી દેતા હોય છે..
જેના પગલે તેની પાછળ તેમનો પરિવાર બેહાલ બની જતો હોય છે. આવો જ એક કિસ્સો મૂળ કચ્છ ભુજ ના નખત્રણા ગામના વતની કે જેવો સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા રામેશ્વર ટિમ્બર માં વસવાટ કરે છે ત્યાં બન્યો હતો. હકીકતમાં મહિલાનો પતિ તે મહિલાના કાકા ની સાથે લાકડાનો વેપાર ચલાવે છે..
તે મહિલા અને તેના પતિ વચ્ચે નાની-મોટી ગેરસમજણ લગ્ન બાદ અવાર નવાર જરૂર રહેતી હતી. એક દિવસ વ્યવસાય પરથી ઘરે આવ્યો ત્યારે મહિલાએ આઇસ્ક્રીમ ખાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ પતિ એને ચોખ્ખી ના પાડી દીધી હતી કે તને આઈસ્ક્રીમ નહીં મળે. તારે જે કરવું હોઈ તે કરીલે..
જેમ જ પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ખાવા-પીવાની બાબત કે પૈસા વાપરવાની બાબત અથવા તો એના મમ્મી પપ્પાને રાખવાની બાબત પર ઝઘડા થતા હતા. પરંતુ આ વખતે જ્યારે તેના પતિએ તેને આઈસ્ક્રીમ ખાવા માટે કહ્યું હતું તેમ જ કોઈપણ જુદા જુદા ખર્ચ ન કરવા માટે કહ્યું હતું તો આ વાતનું તેની પત્નીને ખૂબ લાગી આવ્યું હતું…
તેથી તેણે ચાર દિવસ પછી તે વાતને યાદ કરીને ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો. પતિ જ્યારે સાંજે ઘરે પહોંચ્યો ત્યારે ખબર પડી કે પત્ની ઘરનો દરવાજો ખોલતી નથી. ત્યારે દરવાજો તોડીને અંદર જોયું તો પોતાની પત્ની પંખા સાથે લટકી મળી આ ઘટનાની જાણ પોલીસને કરતા તરત જ આગળની તપાસ હાથ ધરી છે.
પરંતુ આવી નાની-નાની નજીવી બાબતો પરથી ખોટું લગાડીને પોતાનો જીવ ગુમાવી દેવો યોગ્ય વાત ગણાય નહીં. કારણકે લગ્નજીવનમાં અથવા તો વ્યવહારુ જીવનમાં આવી નાની-મોટી વાતો અથવાતો ચર્ચાઓ વિચારણા ચાલતી હોય છે. તેમ જ ક્યારેક તો તુતુ મેમે પણ થતી હોય છે. પરંતુ એ બધી વાતોને ભૂલીને રાજીખુશીથી જીવન જીવવું એ જ સાચી માનવતા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]