કહેવાય છે કે જે વ્યક્તિ હાલના સમયને જાણી જઈને પરિસ્થિતિ મુજબ જીવન જીવે છે, તેને ક્યારેય પણ ભવિષ્યમાં કોઈ બાબતની ચિંતા રહેતી નથી પરંતુ જે વ્યક્તિ સમયને ઓળખી શકતા નથી, તેમજ પરિસ્થિતિને પણ જાણી શકતા નથી, તેવા વ્યક્તિ એકને એક દિવસ મોટી મુસીબતની અંદર પણ ફસાઈ જતા હોય છે..
અત્યારે એક યુવક વ્યાજના ચકરડાની અંદર ફસાઈ ગયો હતો, અને અંતે તેને એવું પગલું ભરીને પોતાનો જીવ શાંત કરી દેવાનો વારો આવ્યો હતો કે, જેના વિશે જાણીને ભલભલા લોકોના કાળજા ધમધમી ઉઠ્યા હતા, હાલની પરિસ્થિતિને જોઈને જીવન જીવતા લોકો માટે વધુ હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે..
આ ઘટના લક્ષ્મી સર્કલ પાસે આવેલી સીતારામ સોસાયટીની છે, આ સોસાયટીની અંદર નીતિન નામનો તેના પરિવાર સાથે જીવન ગુજારતો હતો, નીતિન મશીનરીના વ્યવસાય સાથે જોડાયેલો હતો અને છેલ્લા બે વર્ષથી તેમને ધંધાની અંદર ખૂબ જ વધારે નુકસાન જવાને કારણે પરિવારનું જીવન ચલાવવા માટે તેમજ તેમની ત્રણેય દીકરીઓને ભણાવી ગણાવીને મોટી કરવા માટે તેઓને વ્યાજે પૈસા લેવાની ફરજ આવી પડી હતી..
એક બાજુ ધંધાની અંદર નુકસાની જતી હતી તો બીજી બાજુ તેને વ્યાજે પૈસા લઈને પરિવારનું ભરણપોષણ કરવું પડતું હતું, આ ઘટના વિશે જાણીને મોટાભાગના લોકોને આંખમાંથી આંસુ નીકળી ગયા છે, નીતિના પરિવારમાં નીતિનની પત્ની માધુરી તેમજ તેની ત્રણ દીકરીઓમાં પીંકી, રિયા અને કીર્તિનો સમાવેશ થતો હતો..
આ ત્રણેય અભ્યાસ કરવા લાગી હતી, પરિવારના ભરણપોષણ ઉપર સંકટ આવી પડતા નીતિને વ્યાજખોરોની પાસેથી ખૂબ જ ઊંચા વ્યાજે પૈસા લઈ લીધા હતા અને ત્યારબાદ તે જેટલી પણ કમાણી કરતો તેમાંથી મોટાભાગના રૂપિયા વ્યાજની અંદર ચાલ્યા જતા હતા. આ વ્યાજના ચકરડાની અંદર તે અંદર ઘૂસતો ગયો હતો..
સમય એટલો બધો વિકટ આવી ગયો કે, તેની પાસે કોઈપણ વિકલ્પ બાકી રહ્યો નહીં, એટલો બધો વધી ગયો કે, નીતિનને પોતાના પરિવારને સાથે લઈને બધાને જમવાનો પણ વારો આવી ગયો હતો. પરંતુ વ્યાજખોરોનો ત્રાસ અટક્યો નહીં તેઓ તેમના વ્યાજે આપેલા રૂપિયા લેવા માટે નીતિન પાસે આવી પહોંચતા હતા..
અને નીતિન પાસે રકમ ન હોવાને કારણે તે મોટી મુશ્કેલીની અંદર મુકાઈ જતો હતો, આ વાતની જાણકારી તેને તેની પત્નીને પણ કરી હતી એ વખતે દરેક લોકોએ સમજાવ્યું કે, આ સમય ખૂબ જ ખરાબ ચાલી રહ્યો છે. પરંતુ અમારા દિવસોની અંદર ખુશીનો સમય પણ આવશે હંમેશા મહેનત જરૂર આપવી જોઈએ..
પરંતુ નીતિન આ ત્રાસથી એટલો બધો કંટાળી ગયો હતો કે, તેને શું કરવું તે સમજાયું નહીં. એક દિવસ તે સાંજના સમયે પોતાને ઘરે આવ્યો અને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો, નીતિનની પત્ની માધુરી વારંવાર દરવાજો ખડકટાવીને નીતિનને બોલાવવાની કોશિશ કરી પરંતુ નીતિને જવાબ આપ્યો નહીં અને દરવાજો પણ ખોલ્યો નહીં..
જ્યારે માધુરીને શંકા ગઈ હતી, એટલા માટે તેણે તેમના પડોશમાં રહેતા પ્રવીણભાઈને પોતાના ઘરે બોલાવ્યા અને પ્રવીણભાઈની મદદથી તેને રૂમનો દરવાજો તોડી નખાવ્યો હતો. રૂમનો દરવાજો તોડતાની સાથે જ રહેશે જોઈ લીધું કે, માધુરી ચક્કર ખાઈને નીચે ઢળી પડી હતી, હકીકતમાં નીતિને આપઘાત કરીને જીવન પણ ટૂંકાવી દીધો હતો..
ત્રણ દીકરીઓ બહારની રૂમમાં બેઠી બેઠી રડી રહી હતી અને અંદર નીતિને ઝેરના ઘૂંટડા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો, તેના ખિસ્સામાંથી એક અંતિમ નોટ પણ મળી આવી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, આ વ્યાજ ચૂકવીને તૂટી ગયો છું હવે હું જીવન જીવી શકીશ નહીં, હે ભગવાન મારા ત્રણેય સંતાનોની સાથે મારી પત્ની તેમજ મારા માતા પિતાને પણ તમે સાચવી લેજો..
હું ભગવાન ભરોસે સમગ્ર વસ્તુઓ મૂકીને હવે જઈ રહ્યો છું, તેમ કહીને તેને જીવન ટૂંકવી દીધું હતું. આ ઘટના બની ત્યારે સોસાયટીમાં પણ હાહાકાર મચી જવા પામ્યો હતો, નીતિનના માતા પિતાને જ્યારે ખબર પડી કે, તેમના દીકરાએ કામ કરીને જીવન ટૂંકું કરી દીધું છે. ત્યારે દુઃખની આ ઘટનાને તેઓ પણ સહન કરી શક્યા નહીં..
આવા બનાવોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે, જ્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીની અંદર ફસાઈ જતો હોય છે, ત્યારે પરિવારજનોનો સાથ સહકાર મેળવવાની બદલે તેઓ એકલવાયુ બની જઈને આપઘાતના પગલ ભરવા લાગ્યા છે, આવી ઘટના ખૂબ જ વધી રહી છે, જે દરેક લોકો માટે ખૂબ જ ચોંકાવનારી છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]