Breaking News

‘હું રાજી ખુશીથી આ પગલું ભરી રહ્યો છું’ કહીને ચિત્રકારે પોતાના ઘરે કંટાળીને લટકીને કર્યો આપઘાત, જાણીને પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો..!!

આજના સમયમાં સવારથી લઈને સાંજ સુધીમાં આપણી આસપાસ એવા કિસ્સા બનતા દેખાઈ રહ્યા છે કે જેના કારણે પરિવારના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. લોકો પોતાની જિંદગીમાં મુશ્કેલીઓને દૂર કરીને આગળ વધવાને બદલે પોતાની સાથે ગંભીર ઘટનાઓ કરી રહ્યા છે. આવી કરુણ ઘટના હાલમાં સામે આવી છે.

આ ઘટના રાજકોટ શહેરમાં રહેતા પરિવારના યુવક સાથે બની હતી. શહેરના કાલાવડ રોડ પર આવેલા ઇસ્કોન મંદિરના પાછળના ભાગમાં રૂડાનગર ત્રણમાં રહેતા યુવક કુલદીપભાઈ ભટ્ટીએ પોતાની જિંદગી કાયમ માટે ટૂંકાવી દીધી હતી. કુલદીપભાઈ ચિત્રકાર હતા. તેઓ ખૂબ જ સરસ અલગ-અલગ પોસ્ટર બનાવીને તેમના તેમનું ગુજરાન ચલાવતા હતા.

તેમને ચિત્રનો ખૂબ જ શોખ હોવાને કારણે તેઓ ચિત્રકાર બન્યા હતા અને તેમના પરિવારના લોકો પણ કુલદીપ ભાઈને ખુબ જ પ્રોત્સાહન આપતા હતા પરંતુ એક દિવસ તેઓ પોતાના ઘરે એકલા હતા અને પરિવારના લોકો બહાર ગયા હતા. તે સમયે તેમણે પોતાના ઘરની અંદરથી બંધ કરીને એવી ઘટના કરી નાખી.

કે પરિવારના લોકો ઘરે પરત આવ્યા ત્યારે દરવાજો ખોલ્યો નહીં. પરિવારના લોકોએ ખૂબ જ દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કુલદીપ ભાઈ દરવાજો ન ખુલતા પરિવારના લોકો ચિંતામાં આવી ગયા હતા. તેઓએ પાડોશીના લોકોની મદદથી ઘરના દરવાજાને તોડી નાખ્યો હતો. તે સમયે પરિવારના લોકોએ જે દ્રશ્ય જોયું તે જોતાં જ તેઓ આઘાતમાં રડી પડ્યા હતા.

પરિવારના લોકોએ જોયું તો કુલદીપભાઈ લટકી રહ્યા હતા અને તેમણે આપઘાત કરી દીધો હતો. પોતાનું જીવન હંમેશા માટે ટૂંકાવી દીધું હતું. તરત જ પરિવારના લોકોએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને પરિવારના લોકો તેમજ તેમના સગા સંબંધીઓના પૂછપરછ કરી હતી.

તે સમયે કુલદીપભાઈ પાસેથી એક અંતિમ નોટ મળી આવી હતી. પોલીસની તપાસ કરતા અંતિમ નોટમાં એવું લખ્યું હતું કે, જે સાંભળીને પરિવારના લોકો આઘાતમાં સરી પડ્યા હતા. કુલદીપએ અંતિમ નોટમાં લખ્યું હતું કે, ‘હું રાજી ખુશીથી આ પગલું ભરી રહ્યો છું, હું જિંદગીથી કંટાળી ગયો છું, મારા પાછળ મારા માતા-પિતા કે બીજા કોઈનો કંઈ જ વાંક નથી, કોઈને હેરાન કરશો નહીં’..

આટલું લખીને તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરિવારના લોકોને પોસ્ટમોર્ટમ પછી પોલીસે કુલદીપભાઈનો મૃતદેહ આપ્યો હતો. પરિવારના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા અને તેમના પરિવારના યુવા દીકરાએ આવી ઘટના કરી નાખતા પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો હતો…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *