અમદાવાદમાં આજકાલ ડગલેને પગલે ખૂબ જ સુરક્ષા રાખવી પડતી હોય છે. સહેજ પણ ચૂક થઈ જાય કે લોકો પોતાના કાળા ઈરાદે ઘરમાં ઘૂસી જતા હોય છે અને ન કરવાની પ્રવૃત્તિઓ આચરે છે. કેટલાક લોકો ચકમો આપીને ચોરી લુંટ ફાટ કે અન્ય ઘટનાઓ પણ આચરીને જતા રહે છે. અમદાવાદ જિલ્લામાં આવા કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે.
રાજકોટના જુહાપુરા વિસ્તારની અંદર નસેમન સોસાયટી આવેલી છે. જેની અંદર કુરેશી પરિવાર રહે છે. પરિવારની મહિલા શહેરના કુરેશી કે જેની ઉંમર 50 વર્ષની છે. તેઓ ઘરે એકલા હતા. તેમના પતિએ કામ ધંધા અર્થે બહાર ગયા હતા. એવામાં ઘરના ગેટ પાસે એક વ્યક્તિ આવી પહોંચ્યો હતો. તેને બ્લુ કલરનું શર્ટ અને બ્લુ કલરનું જીન્સ પહેર્યું હતું..
તેણે મહિલાને જણાવ્યું કે તે પોતે પોલીસ વાળો છે. તેમજ તેના પતિનું એક્સિડન્ટ થઈ ગયું છે. તેમજ લોહી લુહાણ પણ થઈ ગયા છે. આટલા માટે પૈસાની જરૂર છે. એમ કહીને તેને ઘરમાં એન્ટ્રી લીધી હતી. મહિલાને આ યુવકની વાત ઉપર વિશ્વાસ આવી ગયો અને વિચાર્યું કે, જો આ વ્યક્તિ પોલીસવાળા હોય અને મદદ માટે આવ્યા હોય તો તેને પોતાના ઘરના સભ્યના એક્સિડન્ટને લઈને મદદ કરવી જોઈએ..
એમ વિચારીને તેને તિજોરી ખોલીને દાગીના આપી દેવાનો વિચાર કરી રહી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક મહિલા અંચકાઈ રહી હતી. એવામાં યુવકે તાત્કાલિક પોતાની પાસે રહેલી છરી બતાવી હતી અને તિજોરી ખોલાવીને દાગીનાના ત્રણ બોક્સની લૂંટ કરી લીધી હતી. આ બોક્સ ની અંદર સોનાની બુટ્ટી સાથેના ત્રણ સેટ હતા..
તેની કુલ કિંમત ₹1,36,000 છે. આ સોનાના દાગીના લઈને આ યુવક ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. મહિલા તેની પાછળ ગઈ પરંતુ આ યુવક તેના હાથે આવ્યો હતો નહીં. ત્યારબાદ હોય એ આ બાબતની જાણ તેમના પરિવારજનોને પણ કરી અને કહ્યું કે, તેઓ આ ચોર લુટારાની ચુંગલમાં ફસાઈ ગયા હતા અને કુલ એક લાખ છત્રીસ હજાર રૂપિયા ગુમાવી દીધા છે..
પરિવારજનો વેજલપુર પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે લૂંટનો ગુનો દાખલ કર્યો છે. અને પોલીસ બનીને જ લોકોને લૂંટનાર યુવકને તાત્કાલિક ધોરણે પકડી પાડવા જરૂરી તપાસ પણ શરૂ કરી છે. આવા મામલાઓ જુદા જુદા વિસ્તારોમાંથી સામે આવી ચુક્યા છે જેને લઇને ઘરમાં એકલી રેહતી મહિલાઓને સાવચેત રેહવા જણાવ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]