Breaking News

“હું મારો રસ્તો કાઢી લઈશ” કહીને ધોરણ 9 માં ભણતો દીકરો ઘર મૂકીને ગાયબ થઈ ગયો, શોધતા શોધતા માં-બાપે કહ્યું કે, અમે તો અમારા દીકરાને….

મોબાઈલ અને ઈન્ટરનેટની દુનિયામાં ઘણા બધા બાળકોને હવે શાળા તેમજ ટ્યુશનના અભ્યાસમાં સહેજ પણ મન લાગતું નથી. અત્યારે દરેક બાળકોને ભણાવવા માટે તેમના વાલીઓને ઘણી બધી માથાકૂટ પણ કરવી પડે છે. તેમજ બાળકોને સમજાવીને તેમને ભણવા બેસાડવા પડે છે..

અત્યારે રાજસ્થાનના શિખરમાં આવેલી નિમકથાના રોડ ઉપરથી એક ગંભીર ઘટના બની ગઈ છે. હરિયાણાનો ધોરણ નવમાં ભણતો પિયુષ રાજસ્થાનના શિકરના નીમકથાના રોડ ઉપર આવેલી એક શાળાની અંદર અભ્યાસ કરતો હતો. પિયુષ ના માતા પિતા હરિયાણામાં રહીને મજૂરી કામ કરીને જીવન ગુજારે છે..

તેઓએ તેમના દીકરાને સારા અભ્યાસ માટે અહીં શાળામાં મૂક્યો હતો અને તે હોસ્ટેલમાં રહીને જીવન ગુજારતો હતો. તે છેલ્લા કેટલાક સમયથી ખૂબસૂમ બેસી રહેતો અને ભણવામાં તેનું મન ન લાગતું હોય તે પ્રકારનું અનુભવ તેના અન્ય સાથે મિત્રો પણ કરતા હતા. તેઓએ હોસ્ટેલના સંચાલકોને પણ જણાવ્યું હતું કે, એ પીયુષને ભણવામાં મન લાગી રહ્યું નથી..

અને તે હંમેશા ગુમસૂમ બેસી રહે છે. શાળાના સંચાલકો તેમજ હોસ્ટેલના અધિકારીઓ સાથે મળીને પિયુષને પૂછવાની કોશિશ કરી હતી કે, તેને શું થયું છે.? ત્યારે તેને જણાવ્યું કે, તે અભ્યાસ કરવા માંગતો નથી. પરંતુ પરિવારજનોના દબાણવશ આવીને અભ્યાસ કરી રહ્યો છે. માત્ર ધોરણ નવમાં ભણતો આ વિદ્યાર્થી અભ્યાસ મૂકીને આરામની જિંદગી જીવવા માંગતો હશે..

તે તેની શાળાના સંચાલકોને કહી રહ્યો હતો કે તે હવે આગળનો અભ્યાસ કરવો નથી અને પોતાને વતન પાછું જવું છે. એક દિવસ તેણે તેના સાથી વિદ્યાર્થીને જણાવ્યું કે, તે હવે તેના વતનને જવા માટે નીકળી જવાનો છે. તેમ કહીને તે અચાનક જ શિકરથી નીકળીને હરિયાણા પોતાના વતન એ જવા માટે નીકળી ગયો હતો..

ઘરે પહોચ્યા બાદ તે તેના માતા-પિતા સાથે રેહવા લાગ્યો અને એક દિવસ અચાનક જ ત્યાં રેહતા પાડોશીને કહ્યું કે તે હવે તેનો રસ્તો જાતે જ કાઢી લેશે કહીને ઘરેથી નીકળી ગયો હતો. તે ક્યા ગયો હશે અને કઈ હાલતમાં હશે તેની કોઇપણ જાણકારી તેના માં-બાપ કે અન્ય વ્યક્તિઓને ન હોવાથી ખુબ જ ચકચાર મચી જવા પામ્યો છે.

એક બાજુ શાળા અને હોસ્ટેલના અધિકારીઓ આ બાળકને શોધવામાં મથામણ કરવા લાગ્યા હતા કે તે ક્યાં ગયો છે અને કઈ હાલતમાં હશે..? તેમજ આજે તેના માતા પિતાને પણ જાણકારી મળતા જ તેઓ તેમના દીકરાને શોધવા લાગ્યા હતા. દીકરાને શોધતા શોધતા માં-બાપ બોલતા હતા કે અમે અમારા દીકરાને ભણાવીને હોશિયાર વ્યક્તિ બનાવવા માંગીએ છીએ.

આજે એ ઘટનાના બે દિવસ સુધી ચુક્યા છે. પરંતુ હજી કોઈ પણ માહિતી સામે આવી નથી. જે ખૂબ જ ચોંકાવનારી છે. આ દીકરો ક્યાં ગયો હશે અને કંઈક હશે તે વિચારવા તેના માતા પિતા મજબૂર થયા છે. અત્યારે ખૂબ જ ઊંડા શોકમાં ચાલ્યા ગયા છીએ કારણ કે તેમનો દીકરો ક્યાં ગયો છે અને કઈ હાલતમાં છે. તેની તેઓની કોઈપણ ખબર નથી અને હવે તેવા વિચાર્યું છે કે..

તેમનો દીકરો એક વખત તેમને યાદ આવે તેઓ ક્યારે પણ તેમના દીકરાને ભણવાની બાબત વિશે સતાવશે નહીં. તો આ સિવાયના અન્ય લોકો કહી રહ્યા છે કે, આજકાલના બાળકો પોતાની મનમાની ચલાવવા માટે પોતાના માતા પિતાને વિચારવા પર મજબૂર કરી દે તેવી ઘટનાઓ હવે છાશવારે સામે આવવા લાગી છે. જે દરેક લોકો માટે ગંભીર મામલો સાબિત થવા જઈ રહ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *