રોજબરોજ લોકોને પારિવારિક જીવનને લઈને બનતા બનાવો ખૂબ જ સામે આવી રહ્યા છે. આ બનાવો ખૂબ જ ચોકાવનારા બની રહ્યા છે. જેને કારણે આપણી જોઈને અને સાંભળીને ચોકી જઈએ છીએ. લોકો પોતાના જ પરિવારના લોકોથી ત્રાસીને પોતાના જીવ ગુમાવી રહ્યા હોય છે. અવારનવાર બનતી આપઘાતની ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે.
જેમાં એક વધુ ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ચંદન ચોક મોહલ્લામાં બની હતી. મોહલ્લામાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ -પત્ની અને તેમના ત્રણ સંતાનો રહેતા હતા. પરિવારમાં રહેતા યુવકનું નામ શંકરલાલ બેરવા હતું. તેમની ઉંમર 40 વર્ષની હતી અને તેમને સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો હતા.
જેમાં મોટી દીકરીની ઉંમર 17 વર્ષની હતી અને નાની દીકરીની ઉંમર 14 વર્ષની હતી. તેનાથી નાનો દીકરો હતો. દીકરાની ઉંમર 11 વર્ષની હતી. શંકરલાલ મિકેનિકનું કામ કરતા હતા. તેઓ ખૂબ જ સારું એવું કામ કરતા હતા. જેના કારણે તેઓ સમૃદ્ધ હતા અને પોતાના પૈસા બીજા લોકોને વ્યાજે આપતા હતા. તેને ઘણા બધા વ્યક્તિઓને પોતાના પૈસા આપ્યા હતા.
છેલ્લા બે ત્રણ વર્ષથી તે સારું એવું કમાઈ રહ્યા હતા પરંતુ તેમને ઘરમાં પોતાની પત્ની સાથે ઘરકંકાશ ચાલી રહ્યો હતો. તેમણે એક મહિના પહેલા નવી બાઈક લીધી હતી. જેના કારણે તેની ખુશી માટે પોતાના પરિવાર સાથે શ્રીસાંવલિયાજીના દર્શન કરવા માટે પણ ગયા હતા અને તે પોતાની દીકરીઓના લગ્ન પોતાની જાતિના યુવક સાથે કરવા માગતા હતા.
તેઓ પોતાના બાળકોને ખૂબ જ વહાલ કરી રહ્યા હતા પરંતુ પોતાની પત્નીથી તેઓ ખૂબ જ કંટાળી ગયા હતા. જેના કારણે એક દિવસ તેમની પત્ની અને ત્રણેય બાળકો પોતાના ઉપરના રૂમમાં સૂતા હતા અને શંકરલાલ પોતાના કામ ધંધે ગયા હોવાને કારણે તેઓ રાતે મોડા આવ્યા હતા. મોડા આવતાની સાથે જ તેઓએ પોતાના ઘરના મેઈન ગેટનું તાળું તોડી નાખ્યું હતું.
તેઓ અંદરથી તાળું મારીને એક રૂમમાં જતા રહ્યા હતા ત્યારબાદ તેણે રૂમ બંધ કરી દીધી હતી. સવારનો સમય થતા પરિવારના લોકો જાગીને નીચે આવ્યા હતા પરંતુ તેમણે જોયું તો રૂમનો દરવાજો કોઈ ખુલી રહ્યું ન હતું. જેના કારણે તેમની પત્ની અને બાળકોએ રૂમનો દરવાજો ખૂબ જ ખટખટાવ્યો હતો પરંતુ શંકરલાલે દરવાજો ખુલ્યો ન હતો,
ત્યારબાદ તેઓ રૂમની પાછળની બાજુમાં જઈને જોયું તો શંકરલાલ સાથે જે ઘટના બની હતી. તે જોઈને પરિવાર એક સાથે બૂમ પાડી બેઠું હતું. જેના કારણે આસપાસના પાડોશીના લોકો આવ્યા હતા અને તેઓએ ઘરના પાછળના દરવાજાનું બારણું તોડીને પરિવારના લોકોને બહાર કાઢ્યા હતા અને પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હતી.
અને શંકરલાલજીએ જે રૂમમાં બંધ થયા હતા તેમના દરવાજાનું બહાનું ખોલતા જ પરિવારજનો આઘાતમાં આવી ગયા હતા. પોલીસે જોયું તો શંકરલાલ લટકી રહ્યા હતા, તેમણે આપઘાત કરી લીધો હતો અને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ જોતા જ પાડોશીના લોકો અને પરિવારના લોકો શોકમાં આવી ગયા હતા.
શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસે ઘરની તપાસ કરતા તેને એક અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં શંકરલાલે લખ્યું હતું કે, ‘હું શંકરલાલ છું.. મારી પત્ની અને બાળકોને કારણે હું આ પગલું ભરી રહ્યો છું અને મારો જીવ ટુંકાવી રહ્યો છું, મારા મૃત્યુ પછી મારી દરેક સંપત્તિમાં આ ચારમાંથી એક પણનો હક નથી,
મારી બધી સંપત્તિ મારી બહેન અને તેમની ભત્રીજીને આપવાનું કહ્યું હતું અને હું ઘણા બધા લોકો પાસેથી પૈસા માંગી રહ્યો છું તેમણે જણાવ્યું હતું કે, હિંમતસિંહ પાસેથી ₹1,00,000, રોશની બેનીવાલ પાસેથી 20 હજાર રૂપિયા, કૌશલ ગાયત્રી પાસેથી 10,000 રૂપિયા અને તેમની ભાભી પાસેથી 10,000 રૂપિયા મારી પરત લેવાના છે,
જેના કારણે દરેક પૈસા પરત લઈને મારી બહેન અને મારા નાના ભાઈને આ પૈસા આપી દેજો અને જો મારો પુત્ર ખરેખર તેના કાકા સાથે રહેવા માંગતો હોય તો તેમને પણ મારી સંપત્તિનો અડધો ભાગ આપી દેજો’ આવું લખીને તેને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું અને તેમના પરિવારજ પર પોતે આપઘાત કર્યાનો આરોપ લગાવી દીધો હતો. ત્યારબાદ પોલીસે શંકરલાલના મૃતદેહને હોસ્પિટલ પીએમ માટે મોકલ્યો હતો અને આગળની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]