જીવનમાં સુખ અને દુઃખની ઘડી તો દરેક વ્યક્તિની સાથે આવતી અને જતી રહે છે, ગમે તેટલું સુખ આવે છતાં પણ આપણે ક્યારે પણ મૂળભૂત સ્વભાવને બદલવો જોઈએ નહીં. તેમજ ગમે તેટલું દુઃખ આવે ત્યારે પણ ક્યારે હતાશ અને નિરાશ થવું જોઈએ નહીં, સારી પરિસ્થિતિઓમાં પોતાનું વર્તન ચોખ્ખું કરીને ચાલવું જોઈએ..
તેમજ ખરાબ પરિસ્થિતિની અંદર દરેક વ્યક્તિનો સાથ સહકાર સાથે લઈને ચાલવું પડે છે, અત્યારે જિંદગીથી કંટાળી ગયેલા એક યુવકે એવડું મોટું પગલું ભરી લીધું હતું કે, આ યુવકના મૃત્યુ બાદ તેના ચાર દીકરા તેમજ તેની પત્ની અને તેના માતા પિતા સહિત પરિવારના દરેક સભ્યો ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે..
શૈલેષ નામના 38 વર્ષના યુવકે અત્યારે આપઘાત કરી લેવાનો મામલો સામે આવ્યો છે, હરી દર્શન કોલોની માંથી બન્યું છે. અહીં શૈલેષભાઈ નામના યુવક તેમના પરિવાર સાથે રહે છે, પરિવારમાં તેમના ચાર દીકરા તેમની પત્ની શાલીની બેન તેમના પિતા પરાગભાઈ અને તેમની માતા કમળાબેન નો સમાવેશ થતો શૈલેષભાઈ એક કારખાનાની અંદર કામકાજ કરતા હતા..
ત્યાં મેનેજર તરીકેની નોકરીમાં તેમને આઠ વર્ષ સુધી ચૂક્યા હતા, જેમ-જેમ સમય વીતતો ગયો તેમ તેમને આર્થિક સંકળામણ પણ થવા લાગી હતી કારણ કે, તેમના ચારે બાળકોને ભણાવી ગણાવીને મોટા કરવાની જવાબદારી તેમના ખભા ઉપર હતી. તો બીજી બાજુ કારખાનામાંથી તેને કોઈપણ પ્રકારનો પગાર વધારો ન મળતા તેનું જીવન ગુજારવું ખૂબ જ મુશ્કેલ બની જઈ રહ્યું હતું..
તેણે આ બાબત વિશે ઘણી બધી વાર તેની પત્નીને પણ જણાવ્યું હતું કે, ઘર સંસાર ચલાવવા માટે જેટલા રૂપિયા જોઈએ તેટલા રૂપિયાની કમાણી તેમના ધંધામાંથી ન થતી હોવાને કારણે તેમને ઉછીના કે વ્યાજના પૈસા લેવાની ફરજ આવી પડી હતી. વ્યાજની રકમ આટલી બધી માથે ચડી ગઈ કે, વ્યાજખોરો એ ત્રાસ આપવાનું પણ શરૂ કરી દીધું હતું..
જ્યારે આ તમામ બાબતો સહન ન થઈ શકે ત્યારે શૈલેષભાઈએ આમ વખત કરવાનું વિચાર્યું હતું, જો એવા સમયે તેને કોઈ સારા સર્જન વ્યક્તિઓનો સાથ સહકાર મળી ગયો હતો અને તેમના બે થી ત્રણ શબ્દો શૈલેષભાઈના મગજમાં ઉતરી ગયા હોત તો તેઓએ આપઘાત કરીને પોતાનો જીવન ટૂંકાવી દીધુ ન હોત..
પરંતુ મનોમન ગૂંચવાઈ જઈને અન્ય કોઈ વ્યક્તિને પોતાની સમસ્યા કહેવાને બદલે તેઓએ એક અંતિમ ચિઠ્ઠી લખી હતી એની અંદર તેઓએ જણાવ્યું હતું કે, હું જિંદગીથી ખૂબ જ કંટાળી ગયો છું. મારા ચારેય બાળકોને હું ભગવાન ભરોસે મૂકીને આપઘાત કરવા જઈ રહ્યો છું. તેમ કહીને તેઓ જેરીલી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો..
તેમણે પોતાના જ કારખાનાના એક કેબીનની અંદર આપઘાત કરી લીધો હતો, કારખાનાના માલિકે જ્યારે શૈલેષભાઈના પરિવાર સુધી આ વાતના સમાચાર પહોંચ્યા કે, શૈલેશભાઈ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે, ત્યારે પરિવાર તો થઈ ગયો હતો. શૈલેષભાઈને સારવાર માટે પણ લઈ જવામાં આવ્યા પરંતુ તેમને સારવાર માટે લઈ જવામાં આવે એ પહેલા તો તેમનું મૃત્યુ થઈ ગયું હતું..
પરિવારજનો શૈલેષભાઈના પગલાને લઈને ખૂબ જ આઘાતમાં ચાલ્યા ગયા હતા, શૈલેષભાઈના માતા પિતા તો દુઃખની આ ઘડીને સહન કરી શક્યા નહીં, શૈલેષભાઈની પત્ની અને તેના ચારે બાળકો પણ છત્રછાયા વગરના થઈ ગયા હોવાથી તેઓની માથે પણ હવે મુશ્કેલીઓ વધી ચુકી હતી..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]