Breaking News

અંતિમ પત્રમાં ‘હું દીકરીને લઈને મરવા જાઉં છું’ લખીને પરણીતા 8 વર્ષની દીકરીને લઈને ગુમ થઈ ગઈ, પત્રના શબ્દો વાંચી પરિવાર રોડે ચડી ગયો..!

જ્યારે માણસ ખૂબ જ કંટાળી જાય અને તેની પાસે દુઃખની ઘડીમાંથી બહાર નીકળવાનું કોઈપણ સોલ્યુશન ન હોય ત્યારે તેને કોઈ સારા અને સમજણા વ્યક્તિના સાથ સહકારની જરૂર હોય છે. એવા સમયે જો તેને કોઈ સજજન વ્યક્તિનો સંપર્ક ન થાય તો તે હતાશ તેમજ કંટાળી જઈને અંતે ઊંધું પગલું પણ ભરી લે તેવા બનાવો આપણી સામે અવારનવાર સામે આવી ગયા છે..

અત્યારે સુરતના માંગરોળ તાલુકાના તરસાડી નગર પાસેના પંડવાઈ રોડ ઉપર સ્વસ્તિક રેસીડેન્સી આવેલું છે. ત્યા રહેતા પરિવારજનો રોડે ચડ્યા છે. કારણકે પરિવારની પરણીતા તેની આઠ વર્ષની દીકરીને લઈને અચાનક જ ગુમ થઈ ગઈ છે. સ્વસ્તિક રેસીડેન્સીની અંદર પ્રકાશકુમાર કરશનભાઈ તેમના પરિવારજનો સાથે રહે છે..

પરિવારમાં તેમની પત્ની ભૂમિકા કે જેની ઉંમર ૩૨ વર્ષની છે. તેમજ 14 વર્ષનો દીકરો વૃષભ અને આઠ વર્ષની દીકરી ત્રિશાનો સમાવેશ થાય છે. પ્રકાશભાઈ કરંજ ગામે આવેલી એક કંપનીમાં સુપરવાઇઝર તરીકેની ફરજ બજાવે છે. તેઓ રોજની જેમ સવારે નોકરીએ જતા હતા અને સાંજે 07:00 વાગ્યા આસપાસ તેઓ ઘરે આવતા એક દિવસ તેઓ સાંજે ઘરે આવ્યા ત્યારે..

તેમના મોટા દીકરા ઋષભ એ જણાવ્યું કે, તેની મમ્મી અને ત્રિશા બંને પાંચ વાગ્યા આસપાસ ઘરેથી નીકળી ગયા છે. અને હજુ સુધી પણ ઘરે પરત ફરિયા નથી. પોતાના દીકરાના મોઢેથી આ શબ્દો સાંભળતા જ પ્રકાશભાઈ તેમની પત્નીને શોધવા માટે તેમના સગા વહાલા ની સાથે સાથે તેમના સાસુ સસરાને પણ ફોન કરીને તપાસ મેળવવા લાગ્યા હતા..

તેઓ ઘરમાં આમથી આમ આટા ફેરા મારી રહ્યા હતા. એવામાં તેમને ટીવીના શોકેસ પાસેથી એક પત્ર મળી આવ્યો હતો. આ પત્ર વાંચતા જ પરિવારજનોના ડોળા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા હતા. કારણ કે આ પત્ર અંતિમપત્ર હતો. જેમાં ભૂમિકા એ ઘણી ઘણી વસ્તુઓ લખી હતી. તેણે આ પત્રમાં લખ્યું હતું કે, હું મારા શરીરથી ખૂબ જ કંટાળી ગઈ છે..

તેઓ તેની જાતે તેમજ તેમની મરજીથી જ મરી જવા માંગે છે. તેમની આઠ વર્ષની દીકરી ત્રિશા તેના વગર કોઈ પણ વ્યક્તિ સાથે રહેતી નથી એટલા માટે તેઓ તેમને પણ પોતાની સાથે જ મારી નાખવા યોગ્ય સમજે છે. તેઓએ જણાવ્યું કે તેમની બીમારીના ઓપરેશન કરાવવા માટે પરિવારનો કોઈ પણ સભ્ય તેને સાથ સહકાર આપતો નથી..

તેઓ છેલ્લા એક વર્ષથી બીમાર હતા. તેમની સેવા પણ કોઈ કરવા રાજી હતું નહીં. તેઓ તેમની દીકરીને લઈને મરી જવાય ઈચ્છે છે. તેમના મોટા દીકરા વૃષભનું સૌ કોઈ લોકો ધ્યાન રાખજો તેમજ તેને ભણાવજો અને ઘરમાં જે પણ વસ્તુ છે તે તમામ વસ્તુ કોઈ પણ વ્યક્તિને આપવાની નથી. તેમના તમામ સોનાના ઘરેણા ઉપર વૃષભનો જ અધિકાર રહેશે..

હું આ ઘરમાંથી કોઈ પણ વસ્તુ લઈ જતી નથી. આ બધું તમારું છે. હું માત્ર ભગવાનની મૂર્તિ લઈને ત્રિશાને લઈ કોઈ અવાવરૂ જગ્યા જઈ પાણીમાં કૂદકો મારીને મોતને વાલુ કરી લેવા ઇચ્છું છું. હું જ્યારે જીવતી હતી ત્યારે તમે લોકોએ મને ખૂબ જ બદનામ કરી પરંતુ હવે મારી છેલ્લી ઈચ્છા છે કે, મને તમે મારા મૃત્યુ બાદ બદનામ કરતા નહીં..

કારણકે મેં કોઈ પણ ખોટું કામ કર્યું નથી. જો મારાથી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરી દેજો, અને તમે તમારી જિંદગી શાંતિથી જીવવા લાગજો, અંતિમપત્રમાં લખેલા આ શબ્દો સાંભળતા જ કાનમાં એકાએક તમરા બોલવા લાગ્યા હતા. એવામાં ઘરમાંથી બીજો પણ એક પત્ર મળી આવ્યો હતો. જેમાં તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે, મારે તેમનું કોઈપણ વસ્તુ જોતું નથી..

તેમજ તમે મારા મા બાપનું ધ્યાન રાખજો અને મારી અંતિમ ક્રિયામાં પારુલને તો બોલાવતા જ નહીં, આ મારી છેલ્લી ઈચ્છા છે. એમ કહીને તેઓ ઘર મૂકીને ચાલ્યા ગયા છે. આ બનાવની જાણ પ્રકાશભાઈએ કોસંબા પોલીસમાં કરી હતી. પોલીસે શોધખોળ હાથ ધરી જેમાં સોસાયટીના રહીશોને પણ પૂછતા જ કરવામાં આવી હતી..

અને સીસીટીવી કેમેરાની તપાસ કરતા તેમાં ભૂમિકાબેન તેમની દીકરી ત્રિશાને લઈને ચાલતી જતી જોવા મળે છે. હાલ ભૂમિકા તેમજ ત્રિશા નો કોઈ પણ અતો પતો મળ્યો નથી. આ કેસને ઉકેલવા માટે સૌ કોઈ લોકો મથામણ કરી રહ્યા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *