શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર એવા કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં આજની યુવાન પેઢીના યુવક યુવતીઓ એકબીજા સાથે પ્રેમ સંબંધ બનાવી રહ્યા છે. અને આવા પ્રેમ સંબંધમાં ઝઘડાઓ થતાં તેઓ પોતાના જીવન ગુમાવી રહ્યા છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાંથી સામે આવી હતી.
જેમાં એક યુવતીએ તેના પ્રેમીથી કંટાળીને ગંભીર પગલું ભરી લીધું હતું. યુવતીનું નામ વંદના હતું. વંદના ખુશીરામની દીકરી હતી. ખુશીરામનો પરિવાર હરદોઈ જિલ્લાના કોતવાલી પિહાની વિસ્તારના રાયગઈ ગામમાં રહે છે. ખુશીરામની દીકરી વંદના તેને પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતી હતી.
વંદનાની ઉંમર 20 વર્ષની છે. વંદના બિલ ગ્રામ તહસીલ વિસ્તારમાં આવેલી કોલેજમાં બીએની વિદ્યાર્થીની હતી. તે ડિગ્રી માટે અભ્યાસ કરી રહી હતી અને તેના જ ગામનો એક યુવક તેની સાથે અભ્યાસ કરતો હતો. આ યુવકનું નામ આદર્શ હતું. આદર્શ હરદોઈમાં રહેતો હતો અને વંદના સાથે જ અભ્યાસ કરતો હતો.
બંને સાથે અભ્યાસ કરતા હોવાને કારણે બંને મિત્રો સારા એવા મિત્રો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો. જેના કારણે વંદના તેમના પ્રેમી આદર્શ સાથે લગ્ન કરવા માગતી હતી પરંતુ તે બંને એક જ ગામના હોવાને કારણે બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ ખૂબ જ સારો હતો. ત્યારબાદ આદર્શ વંદના સાથે થોડા દિવસથી ખરાબ વ્યવહાર કરી રહ્યો હતો.
અને તે વંદનાને છોડી રહ્યો છે તેમ જણાવ્યું હતું. જેના કારણે વંદનાને ખૂબ જ ખોટું લાગ્યું અને દુઃખ લાગી આવ્યું હતું. વંદનાને લાગ્યું હતું કે તેણે મારી સાથે પ્રેમ કરવાનું નાટક કર્યું છે અને તેણે મારી સાથે દગો કર્યો છે તેમ વિચારીને વંદના આઘાતમાં આવી ગઈ હતી અને તેમની માનસિક ત્રાસ લાગ્યો હતો. જેના કારણે એક દિવસ માતા પિતા ઘરે ન રહેતા વંદના ઘરે હતી.
અને વંદના મહિલા હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો હતો ત્યારબાદ ફોન કરીને તેણે પોતાનો પ્રેમી એ દગો કર્યાનું જણાવ્યું હતું. અને તે આપઘાત કરી રહ્યો છે તેમ પણ જણાવ્યું હતું. જેના કારણે પોલીસ વંદનાના ઘરે પહોંચી હતી અને વદનાના ઘરનો દરવાજો ખોલીને પોલીસે જોયું તો પોલીસ પણ ચોકી ગઈ, વંદના લટકતી હાલતમાં જોવા મળી હતી.
વંદનાએ લટકીને આપઘાત કરી લીધો હતો. જેના કારણે તેમનું મૃત્યુ પણ થઈ ગયું હતું. વંદનાનો ભાઈ આશિષ અને તેમની માતા રાજકુમારી તેમજ વંદનાના પિતા ખુશીરામ ઘરે આવ્યા હતા. તે સમયે પોલીસને જોતા તેઓ ડરી ગયા અને ઘરમાં તેમની દીકરીને લટકતી હાલતમાં જોઈને તેઓ આઘાતમાં ઢળી પડ્યા હતા.
દીકરીએ અંતિમ નોટ લખીને આપઘાત કર્યો હતો. જેના કારણે આ અંતિમ નોટ પોલીસને મળી હતી અને અંતિમ નોટમાં વંદના કહ્યું હતું કે, તેમના પ્રેમીએ તેની સાથે દગો કર્યો છે અને પ્રેમ કરવાનું નાટક કર્યું છે. તેનો પ્રેમ ખોટો દર્શાવ્યો છે. જેના કારણે વંદનાએ આપઘાત કરી લીધો હતો. આવી ઘટનાઓ ખુબ વધી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]