લોકો સાથે મારામારી અને ઝઘડાની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. સમાજમાં આવી ઘટનાઓ વધતા આજની યુવાન પેઢી પણ ખરાબ રસ્તે દોરી રહી છે. લોકો પોતાની દાદાગીરી બતાવીને બીજા લોકો સાથે ઝઘડા કરી રહ્યા છે. આવી જ એક મારામારીની ઘટના હાલમાં સામે આવી હતી. જેમાં એક વ્યક્તિ પોતાને દાદા છે.
તેમ બતાવીને બીજા લોકો સાથે ખુબ જ મારામારી કરી રહ્યો હતો. આ ઘટના સુરત શહેરમાં બની હતી. સુરત શહેરના કામરેજ તાલુકામાં આ ઘટના બની હતી. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામમાં પરિવાર રહેતું હતું. પરિવાર ગામના માનસરોવર સોસાયટીમાં રહેતું હતું. પરિવારના યુવકનું નામ અર્જુનભાઈ નીનાભાઈ પાટીલ હતું.
તેઓ ઘણા સમયથી આંબોલી ગામની સીમમાં સાઈ નામનો ટી સ્ટોલ ચલાવી રહ્યા હતા. તેઓ સાઈ ટી સ્ટોલ નામની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. તેમના બનેવી પણ તેમને આ કામમાં મદદ કરી રહ્યા હતા. બંને સાળા-બનેવી મળીને ચાની લારી ચલાવી રહ્યા હતા. તેમના બનેવીનું નામ ગજાનનભાઈ હતું.
એક દિવસ ગજાનનભાઈ ચાની લારીએ હતા. તેઓ સાંજનો સમય થતા પોતાની ચાની લારી બંધ કરી રહ્યા હતા. તે સમયે લારી પાસે એક યુવક આવી પહોંચ્યો હતો. આ યુવક ખૂબ જ માથાભારે હોય તેમ દેખાઈ રહ્યું હતું. આ યુવકનું નામ સરફરાઝ સાદિક હતું. સરફરાઝ સાદિક ચાની લારીએ પહોંચીને ગજાનંદભાઈ પાસે વિમલ ગુટખા માંગી હતી.
ગજાનનભાઈએ વિમલ ગુટખા આપી હતી.ત્યારબાદ યુવકે ગજાનનભાઈને વિમલના પૈસા આપ્યા નહીં જેને કારણે ગજાનનભાઈએ સરફરાઝ પાસેથી વિમલના પૈસા માંગ્યા હતા. તે સમયે પોતે કાઠોર ગામનો દાદા છે. તેમ તેણે જણાવ્યું હતું અને પૈસા નહીં મળે તેમ કહી દીધું હતું. જેને કારણે ગજાનનભાઈએ તેની સાથે પૈસા બાબતે ઝઘડો કર્યો હતો.
ઝઘડો થતાં માથાભારે યુવાને લાકડી પોતાની બાઈકમાંથી કાઢી હતી. ગજાનનભાઈ પર હુમલો કર્યો હતો. લારીને ઊંધે કરી નાખી હતી. આવી તોડફોડ કરવાને કારણે ગજાનનભાઈએ તેમના સાળા અર્જુનભાઈને આ ઘટનાની જાણ કરી હતી. અર્જુનભાઈ તરત જ પોતાની મોટર સાયકલ લઈને લારી પર આવી ગયા હતા.
લારી પર આવીને સરફરાઝને ઘણો સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સરફરાઝ સમજ્યો ન હતો. તેમણે અર્જુનભાઈ પર પણ હુમલો કર્યો હતો. પંચરની દુકાનમાંથી હથોડો લાવી અર્જુનભાઈની બાઈકને હથોડા વડે ભાંગી નાખી હતી. આવી મારામારી કરીને તેમણે ઘણું નુકસાન પણ પહોંચાડ્યું હતું. જેને કારણે અર્જુનભાઈ તરત જ કામરેજ પોલીસને ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી.
પોલીસ ઘટનાએ પહોંચી હતી. માથાભારે સરફરાઝ નામના યુવકની ધરપકડ કરી લીધી હતી. જેને કારણે તેમને પોલીસ સ્ટેશન લઈ જઈ તેમની પૂછપરછ કરી રહ્યા હતા. આજકાલ લોકો પોતાનાં નામચીન બનવા માટે અનેક લોકો સાથે દાદાગીરી કરીને મારા મારી રહ્યા છે. પોતે કામ ધંધો ન કરીને લોકો પાસેથી મફતની વસ્તુઓ માંગીને બીજા લોકોની જીવન કમાણીને લૂંટી રહ્યા છે. પોલીસ સરફરાઝની પૂછપરછ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]