Breaking News

હોટેલમાં મળવા ગયેલા પરણીત પ્રેમી પંખીડાએ હોટેલના રીસેપ્શનમાં ફોન કરીને કીધું એવું કે સ્ટાફ કામો પડતા મૂકીને દોડતો થયો, ત્યાં પહોચ્યા ત્યાં તો…!

આજની યુવાન પેઢી દિવસેને દિવસે ખરાબ રસ્તે દોરાઈ રહી છે. લોકો આજકાલ પોતાના અંગત સંબંધોને છોડીને બીજા લોકો સાથે સંબંધ બનાવી રહ્યા છે, તેઓ પોતાના બાળકોનું વિચાર્યા વગર પોતાના સ્વાર્થ માટે આવા પગલા ભરી રહ્યા છે. આવી જ એક ઘટના હાલમાં સામે આવી જેમાં યુવક યુવતીએ પોતાના જીવને ગંભીર હાલતમાં મૂકી દીધા હતા.

આ ઘટના હરિયાણાના બહાદુરગઢમાં બની હતી. ઔરંગાબાદમાં રહેતા પરિવારના યુવક બીજી યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતા. આ યુવકનું નામ જીતેન્દ્ર હતું અને તેની પ્રેમિકાનું નામ નયા હતું. બંને ઘણા સમયથી એકબીજા સાથે પ્રેમ સંબંધમાં હતા. બંને પરણિત હોવા છતાં બંનેને પ્રેમ સંબંધ હતો અને નયા બહાદુરગઢના બંસ ગામમાં રહેતી હતી.

નયાને બાળકો હતા અને જીતેન્દ્ર પણ પરિણીત હોવાને કારણે બાળકો હતા. બંને પરિણીત હતા અને તે બંનેને બાળકો હતા પરંતુ પોતાના બાળકોનું અને પરિવારનું વિચાર્યા વગર બંને પ્રેમ સંબંધમાં હતા. તેઓ એક દિવસ મોડી રાતે બહાદુરગઢમાં આવેલી રોહતક રોડ પર અલકાજા હોટલમાં એકબીજાને મળવા માટે ગયા હતા.

તે સમયે બંને હોટલની એક રૂમમાં રોકાયા તે સમયે બંને પોતાની સાથે ગંભીર ઘટના કરી નાખી હતી. જેને જોતા જ હોટલના માલિક તેમજ હોટલનો સ્ટાફ ચોકી ગયો હતો. જીતેન્દ્ર અને નયા બંને હોટલના સ્ટાફને ફોન કરીને પોતાની રૂમમાં આવવા માટે કહ્યું હતું અને રિસેપ્શન પર ફોન કરીને તેમણે એવું કહ્યું હતું કે,..

જેને કારણે હોટલનો રિસેપ્શનનો સ્ટાફ તેમજ હોટલના માલિક રૂમ તરફ દોડવા લાગ્યા હતા. જીતેન્દ્રએ ફોન કરીને જણાવ્યું હતું કે તેઓ રૂમ નંબર 307 માં રોકાયા છે, અને તે બંને ઝેરી દવા ગટગટાવી લીધી અને તેઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે આટલુ કહીને ફોન મૂકી દીધો જેના કારણે સ્ટાફ દોડતો દોડતો રૂમ પાસે પહોંચ્યો હતો.

ત્યારે તેઓએ દરવાજો ખોલીને જોયું તો બંને રૂમમાં બેભાન હાલતમાં પડ્યા હતા તેને તરત જ બહાદુરગઢની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની પ્રાથમિક સારવાર ચાલુ કરી દેવામાં આવી હતી બંનેના આધાર કાર્ડ ઉપરથી બંનેના પરિવારજનોને હોટલના માલિકે આ ઘટનાની જાણ કરી હતી.

અને પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી જેને કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બંનેની સારવાર ચાલી રહી હતી પરંતુ સવાર થયા પહેલાં જીતેન્દ્ર અને તેમની પ્રેમિકા નું મૃત્યુ થઈ ગયું હતું. તેમના પરિવારજનોને આ ઘટનાની જાણ થતા તેઓ નિરાશ થઈ ગયા. બંનેએ પોતાના બાળકોને અનાથ કરી નાખ્યા હતા.

તે બંનેના રૂમમાંથી પોલીસને તપાસ કરતા એક અંતિમ નોટ પણ મળી, આ અંતિમ નોટ વાંચ્યા પછી પોલીસ ચોકી ગઈ અને તેના પરિવારજનો પણ આઘાતમાં આવી ગયા હતા. અંતિમ નોટમાં લખ્યું હતું કે, ‘અમે બંનેએ ઘણીવાર ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અમારા બાળકોનું અમે વિચારી રહ્યા હતા, જેના કારણે આજે અમે આ પગલું ભર્યું છે,..

અને અમારા જીવ ગુમાવી રહ્યા છીએ’ આવી અંતિમ નોટ લખીને બંનેએ પોતાના જીવ ગુમાવી દીધા હતા અને તેમના પરિવારજનોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. લોકો આજકાલ પોતાના બાળકોનું વિચાર્યા વગર આવા પગલા ભરી રહ્યા છે અને બાળકોને અનાથ કરી રહ્યા છે, પોલીસ આગળની તપાસ કરી રહી હતી….

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *