સમગ્ર ગુજરાત રાજ્ય ની જો વાત કરવામાં આવે તો તમે પણ અનેક વાર છાપાઓ અને સમાચારો માં જોતા ને વાંચતા જ હશો એ પ્રમાણે રાજ્યમાં દિવસે ને દિવસે ગુનાહિત પ્રવુતિઓ માં ખુબ મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે જેમાં મુખ્યત્વે મહિલાઓ અને બાળકી સાથે ના ગેર-બનાવ તમામ માટે એક ચર્ચા નો વિષય જ ગણવો રહ્યો.
હાલમાં આવો જ એક બનાવ રાજકોટ શહેરમાં બનવા પામ્યો છે સમગ્ર ઘટનાની જો વિસ્તારમાં વાત કરવામાં આવે તો રાજકોટના કરણપરામાં આવેલી નોવા હોટલમાં 17 દિવસ પહેલા પ્રેમિકાની હત્યા કરી ને પ્રેમીએ એસિડ પી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા ની સાથે જ તુરંત એ ડિવિઝન પોલીસે દોડી જઈ,
અને સગીરાના મૃતદેહને તરત પીએમ માટે હોસ્પિટલ ખસેડી યુવાનને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ સાથે જ પોલીસની પ્રાથમિક દરમિયાન ખુલાસો પણ થયા છે જેમાં સગીરા જામનગરની અને યુવાન કચ્છનો હોવાનું બહાર ખૂલ્યું હતું. યુવાને પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો દઇ સગીરાને પતાવી દીધી હતી.
જામનગરની સગીરા અને કચ્છનો યુવાન જેમિસ ધનરાજભાઈ દેવાયતા બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જાણવા આવી રહ્યું છે, આ ઘટના સમયે ACP જી.એસ. ગેડમે જણાવ્યું હતું કે, જેમિસે સગીરાના ગળે પ્લાસ્ટિકની લોકર પટ્ટીથી ગળેટૂંપો આપી બે-રેહમી થી હ-ત્યા કરી હતી. જેમિસ અને સગીરા સવારે 9 વાગ્યે નોવા હોટલમાં આવ્યા હતા.
આ બંને હોટલના 301 નંબરના રૂમમાં રોકાયાં હતાં. અને જેમિસે સગીરાની હત્યા અને પોતે એસિડ પીતાં પહેલાં પરિવારને જાણ કરી હતી. સગીરાના પિતાની ફરિયાદ પરથી જેમીસ વિરૂદ્ધ 302 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યોછે. રાજકોટની હોટેલમાં પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ પણ એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ સાથે 17 દિવસની સારવાર બાદ પ્રેમી જેમિસનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનેલ સમગ્ર ઘટના સમયે મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, સવારથી જ મારી દીકરીનો ફોન બંધ આવતો હતો. સાંજ સુધી ઘરે ન આવતાં અમે ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો.
ફોન કરતાં જેમિસે મારી દીકરીની હત્યા કરી નાખી અને હું પણ આપઘાત કરું છું એવું કહ્યું હતું. કરણપરા રોડ પર નોવા હોટલમાં હોવાનું ફોનમાં જણાવ્યું હતું. આ પગલું ભરવાનું કારણ કોઈ સ્પષ્ટ કહ્યું નહોતું. મૃતકના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રેમસંબંધ હોય એવી કોઈ દિવસ અમને જાણ કરી નહોતી. ફ્રેન્ડ સર્કલ હોવાની ચર્ચા થઈ,
પણ આવી કોઈ વાત અમારા ધ્યાનમાં આવી નથી. અમારી માગ છે કે અમારી દીકરીની હત્યા કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે. મારી દીકરી ભણવા જતી ત્યારે બપોરે રિસેસ પડે તો પણ મને ફોન કરતી અને કહેતી પપ્પા રિસેસ પડી છે. જેમિસને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. સગીરાએ પણ પોતાની માતાને ફોન કરી મદદ માગી હતી,
પરંતુ માતા-પિતા જામનગરથી રાજકોટ પહોંચે એ પહેલાં જેમિસે તેની હત્યા કરી નાખી હતી. હોટલના બાથરૂમમાં લોહીનાં નિશાન અને એક જીન્સનું પેન્ટ મળી આવ્યું હતું. ખરેખર રાજ્યમાં આ પ્રકારની જયારે જયારે પણ ઘટનાઓ સામે આવે છે તેવા સમયે એક બાળકી ના માતા અને પિતા પર ખુબ જ મોટો પ્રશ્ન બેટી ની સુરક્ષાનો થઈ જ આવે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]